Today News updates : દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં અચાનક પલટો, વાવાઝોડા સાથે વરસાદ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 May 2025: દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા છે

Written by Ankit Patel
Updated : May 21, 2025 23:32 IST
Today News updates : દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં અચાનક પલટો, વાવાઝોડા સાથે વરસાદ
દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો (તસવીર - એએનઆઈ સ્ક્રિનગ્રેબ)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 May 2025, આજના તાજા સમાચાર: દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડી શકે છે. વરસાદના કારણે એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો પણ ઉખડી ગયા છે. થોડા દિવસ પહેલા દિલ્હી-એનસીઆરમાં પણ આવો જ ભારે વરસાદ થયો હતો, વાવાઝોડાના કારણે નુકસાન પણ જોવા મળ્યું હતું. લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમીના કારણે દિલ્હીની જનતા પરેશાન હતી, હવે ગરમીમાં થોડી રાહત મળી છે.

ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2નો બીજો દિવસ

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અને પહેલા ફેઝ બાદ હવે ડિમોલિશનનો બીજો ફેઝ ચાલું થયો છે. સોમવારે 20 મેના રોજ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 8500 જેટલા મકાનો ધ્વસ્ત કર્યા હતા. આજે 21 મે, બુધવારના દિવસે ડિમોલિશનનો બીજો દિવસ ચાલું થયો છે.

દુનિયાભરમાં પાકિસ્તાનને ઘેરવાની તૈયારીઓ, 3 ભારતીય પ્રતિનિધિમંડળ રવાના થશે

ભારત સરકારે પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર વિશે દુનિયાને માહિતગાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, ભારતના તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો, 7 પ્રતિનિધિમંડળોને 32 અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો. આ 7 પ્રતિનિધિમંડળોમાંથી 2, બુધવાર, 21 મે ના રોજ વિદેશ જવા રવાના થઈ રહ્યા છે.

JDU ના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના નેતૃત્વમાં પહેલું પ્રતિનિધિમંડળ જાપાન જશે. પ્રતિનિધિમંડળમાં બીજેપી સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, બીજેપી સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ સાંસદ ડૉ જોન બ્રિટાસ, બીજેપી સાંસદ પ્રદાન બરુઆ, બીજેપી સાંસદ હેમાંગ જોશી, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદૂત મોહન કુમાર સામેલ છે. આ પ્રતિનિધિમંડળ જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની મુલાકાત લેશે.

Live Updates

Today News Live : દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં અચાનક પલટો, વાવાઝોડા સાથે વરસાદ

દિલ્હી-એનસીઆરમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડી શકે છે. વરસાદના કારણે એકાએક તાપમાનમાં ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ વૃક્ષો ઉખડી ગયા હોવાના પણ સમાચાર છે. થોડા દિવસ પહેલા દિલ્હી-એનસીઆરમાં પણ આવો જ ભારે વરસાદ થયો હતો, વાવાઝોડાના કારણે નુકસાન પણ જોવા મળ્યું હતું. લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત ગરમીના કારણે દિલ્હીની જનતા પરેશાન હતી, હવે ગરમીમાં થોડી રાહત મળી છે.

Today News Live : હરિયાણાના અંબાલામાં ધૂળની આંધીના કારણે અંઘારું છવાયું

Today News Live : NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું - અમે ગર્વિત ભારતીયો તરીકે જઈ રહ્યા છીએ

આતંકવાદ સામે ભારતની નિરંતર લડાઈ દર્શાવવા માટે વિવિધ દેશોની મુલાકાત લેનારા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્ય અને NCP સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે આ રાજકારણ વિશે નથી. અમે ગર્વિત ભારતીયો તરીકે જઈ રહ્યા છીએ જેઓ આતંકવાદ સામે લડવા માંગે છે. અમે વિશ્વમાં ગમે ત્યાં કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિની નિંદા કરીએ છીએ.

Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 20 મે 2025, સવારે 6 વાગ્યાથી લઈને 21 મે 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢના વિસાવદરમાં 2.44 ઈંચ નોંધાયો હતો. ત્યારબાદ રાજકોટના કોટડા સંગાનીમાં 1.85 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Today News Live : સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, ઓટો શેરમાં તેજી

શેરબજારમાં બે દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ નિફ્ટી બુધવારે વધ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81186 સામે આજે 81327 ખુલ્યો હતો. બ્લુચીપ સ્ટોકમાં તેજીથી સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 81500 નજીક પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24683 સામે વધીને આજે 24744 ખુલ્યો હતો. નિફ્ટી 90 પોઇન્ટ વધીને 24774 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 1450 પોઇન્ટ અને નિફ્ટ આઈટી ઈન્ડેક્સ 38 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સના બ્લુચીપ સ્ટોકમાં સનફાર્મા 2.7 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા, મારૂતિ, એચડીએફસી બેંક અને એચયુએલના શેર 1 ટકા આસપાસ વધ્યા હતા.

Today News Live : દુનિયાભરમાં પાકિસ્તાનને ઘેરવાની તૈયારીઓ, આજે 3 ભારતીય પ્રતિનિધિમંડળ રવાના થશે

ભારત સરકારે પાકિસ્તાનના આતંકવાદ અને ઓપરેશન સિંદૂર વિશે દુનિયાને માહિતગાર કરવાનો નિર્ણય લીધો છે. આ માટે, ભારતના તમામ પક્ષોના 51 નેતાઓ અને 85 રાજદૂતો, 7 પ્રતિનિધિમંડળોને 32 અલગ-અલગ દેશોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળ જણાવશે કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પોષે છે અને ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આ આતંકવાદ પર કેવી રીતે હુમલો કર્યો. આ 7 પ્રતિનિધિમંડળોમાંથી 2, બુધવાર, 21 મે ના રોજ વિદેશ જવા રવાના થઈ રહ્યા છે.

JDU ના કાર્યકારી પ્રમુખ સંજય ઝાના નેતૃત્વમાં પહેલું પ્રતિનિધિમંડળ જાપાન જશે. પ્રતિનિધિમંડળમાં બીજેપી સાંસદ અપરાજિતા સારંગી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી, બીજેપી સાંસદ બ્રિજલાલ, સીપીઆઈ સાંસદ ડૉ જોન બ્રિટાસ, બીજેપી સાંસદ પ્રદાન બરુઆ, બીજેપી સાંસદ હેમાંગ જોશી, કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ અને રાજદૂત મોહન કુમાર સામેલ છે. આ પ્રતિનિધિમંડળ જાપાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા અને સિંગાપોરની મુલાકાત લેશે.

Today News Live : ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ-2નો આજે બીજો દિવસ

અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બંધાયેલા ગેરકાયદે બાંધકામો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અને પહેલા ફેઝ બાદ હવે ડિમોલિશનનો બીજો ફેઝ ચાલું થયો છે. સોમવારે 20 મેના રોજ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 8500 જેટલા મકાનો ધ્વસ્ત કર્યા હતા. આજે 21 મે, બુધવારના દિવસે ડિમોલિશનનો બીજો દિવસ ચાલું થયો છે. આજે પણ હજારો મકાનો પર બુલડોઝર ફરી વળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ