/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/USA-plane-crash.jpg)
અમેરિકામાં વિનામ ક્રેશ - Photo - X @PleasingRj
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 May 2025 LIVE, આજના તાજા સમાચાર: અમેરિકાના સાન ડિએગોના એક પડોશમાં ગુરુવાર, 22 મેના રોજ એક નાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં લશ્કરી પરિવારો રહેતા હતા. વિમાન દુર્ઘટનાને કારણે, આ વિસ્તારના ઘણા ઘરો અને વાહનોને નુકસાન થયું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટિએરાસાન્ટા વિસ્તારમાં આવેલા એક લશ્કરી આવાસ સંકુલમાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 3:45 વાગ્યે થયો હતો.
- May 23, 2025 09:50 IST
Today News Live : સેન્સેક્સ 200 પોઇન્ટ વધી 81000 પાર, આઈટી શેરમાં રિકવરી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80951 સામે આજે 80897 ખૂલ્યો હતો. આઈટી સહિત અન્ય બ્લુચીપ શેરમાં રિકવરીથી શેરબજારને સપોર્ટ મળ્યો અને સેન્સેક્સ 200 પોઇન્ટ વધીને 81100 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24609 સામે આજે 24639 ખુલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ વધીને 24700 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બ્લુચીપ સ્ટોક સન ફાર્મ 4.5 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો છે. મહિન્દ્રા મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતી એરટેલ અને એચડીએફસી બેંક શેર અડધા સુધી ડાઉન હતા. આજે બેન્ક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ વધ્યા હતા.
- May 23, 2025 09:28 IST
Today News Live : વિદેશમંત્રી જયશંકર બોલ્યા, આતંકવાદનો નિશ્ચિત અંત ઈચ્છે છે ભારત
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન સાથે વાતચીત અને આતંકવાદના સંપૂર્ણ નાબૂદી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો સરહદ પારથી આતંકવાદી હુમલા ચાલુ રહેશે તો પાકિસ્તાનને વધુ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદને ત્યાંની સરકાર અને સેનાનું સમર્થન છે. તેમણે કહ્યું કે એવું શક્ય નથી કે પાકિસ્તાનમાં આતંકવાદ વધી રહ્યો હોય અને ત્યાંની સરકારને તેની જાણ ન હોય.
- May 23, 2025 08:51 IST
Today News Live : અમેરિકામાં ઘર પર વિમાન ક્રેશ થતાં જ લાગી આગ, 2 લોકોના મોત
અમેરિકાના સાન ડિએગોના એક પડોશમાં ગુરુવાર, 22 મેના રોજ એક નાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. જે વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં લશ્કરી પરિવારો રહેતા હતા. વિમાન દુર્ઘટનાને કારણે, આ વિસ્તારના ઘણા ઘરો અને વાહનોને નુકસાન થયું હતું. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટિએરાસાન્ટા વિસ્તારમાં આવેલા એક લશ્કરી આવાસ સંકુલમાં સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 3:45 વાગ્યે થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us