/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/pm-narendra-modi-in-bageshwar-dham.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર -બીજેપી ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 February 2025, આજના તાજા સમાચાર: મધ્યપ્રદેશમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પહેલા લોકો મધ્યપ્રદેશમાં રોકાણ કરતા ડરતા હતા, પરંતુ હવે મધ્યપ્રદેશ રોકાણના મામલામાં દેશના ટોચના રાજ્યોમાંનું એક બની ગયું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશની જનતાએ ભાજપ સરકારના શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો નવો તબક્કો જોયો છે. એક સમય એવો હતો જ્યારે અહીં વીજળી અને પાણીની ઘણી સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં, અહીં ઉદ્યોગનો વિકાસ કરવો ખૂબ મુશ્કેલ હતું. ભારતમાં છેલ્લા દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં તેજી જોવા મળી છે. મધ્યપ્રદેશને આનો મોટો ફાયદો થયો છે. દેશના બે મોટા શહેરોને જોડતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો મોટો ભાગ એમપીમાંથી પસાર થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે એક તરફ એમપીને મુંબઈના બંદરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળી રહી છે અને બીજી તરફ તે ઉત્તર ભારતના બજારોને પણ જોડે છે.
તેલંગાણા ટનલ ધરાશાયી : પાણી અને કાદવના કારણે ટનલમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ
તેલંગાણાના નગરકુરનૂલ જિલ્લામાં શ્રીસૈલામ લેફ્ટ બેંક કેનાલ (એસએલબીસી) ટનલની અંદરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શનિવારે સવારથી જ આ ટનલમાં આઠ લોકો ફસાયા છે. આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસે રેસ્ક્યૂ ટીમમાં સામેલ કર્મચારીઓ સાથે વાત કરી છે. બચાવ ટીમોનું કહેવું છે કે, મોટા પ્રમાણમાં પાણી અને કાદવ-કીચડના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. એનડીઆરએફની 10મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રસન્ના કુમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે નૌકાદળ, સેના અને અન્ય સંગઠનોના નિષ્ણાતો સાથે લાંબી બેઠક બાદ પણ ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે કાદવની મોટી દિવાલને કેવી રીતે પાર કરવી તે સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકાયો નથી.
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલા પ્લેનને બોમ્બની ધમકી મળી
બોમ્બની ધમકીને પગલે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટને રોમ તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ AA 292, બોઇંગ 787 ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત, 24 ફેબ્રુઆરીના રોજ જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સને બોમ્બની ધમકી મળી હતી. થોડી જ વારમાં સાવચેતીના પગલારૂપે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. રોમમાં સુરક્ષા અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ જ ફ્લાઇટ તેના ગંતવ્ય માટે રવાના થશે.
યુકે ન્યૂઝ ઈન પિક્ચર્સ અનુસાર, અમેરિકન એરલાઈન્સના પ્રવક્તાએ બોમ્બની ધમકીની પુષ્ટિ કરતા કહ્યું કે, 'અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ AA292 ન્યૂયોર્કથી દિલ્હી જવા માટે સંભવિત સુરક્ષા જોખમને કારણે રોમ તરફ વાળવામાં આવી છે. અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને જેમ જેમ પરિસ્થિતિ વિકસિત થશે તેમ અપડેટ્સ આપવાનું ચાલુ રાખીશું. અમે અમારા મુસાફરોની ધીરજ અને સહકારની પ્રશંસા કરીએ છીએ.
- Feb 24, 2025 23:39 IST
Today News Live : તેલંગાણા ટનલ ધરાશાયી : પાણી અને કાદવના કારણે ટનલમાં ફસાયેલા લોકો સુધી પહોંચવું મુશ્કેલ
તેલંગાણાના નગરકુરનૂલ જિલ્લામાં શ્રીસૈલામ લેફ્ટ બેંક કેનાલ (એસએલબીસી) ટનલની અંદરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શનિવારે સવારથી જ આ ટનલમાં આઠ લોકો ફસાયા છે. આ મામલે ઇન્ડિયન એક્સપ્રેસે રેસ્ક્યૂ ટીમમાં સામેલ કર્મચારીઓ સાથે વાત કરી છે. બચાવ ટીમોનું કહેવું છે કે, મોટા પ્રમાણમાં પાણી અને કાદવ-કીચડના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. એનડીઆરએફની 10મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રસન્ના કુમારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે નૌકાદળ, સેના અને અન્ય સંગઠનોના નિષ્ણાતો સાથે લાંબી બેઠક બાદ પણ ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે કાદવની મોટી દિવાલને કેવી રીતે પાર કરવી તે સમસ્યાનો કોઈ ઉકેલ શોધી શકાયો નથી.
- Feb 24, 2025 22:11 IST
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 - બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડનો વિજય
માઇકલ બ્રેસવેલની શાનદાર બોલિંગ (4 વિકેટ)પછી રચિન રવિન્દ્રની સદી (112)ની મદદથી ન્યૂઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે. ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાનને પણ ફટકો પડ્યો છે. પાકિસ્તાન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું છે. ન્યૂઝીલેન્ડ સિવાય ભારતે પણ સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
- Feb 24, 2025 20:33 IST
પીએમ મોદી ગુવાહાટી ખાતે 'ઝુમોર બિનંદિની' કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા
આસામ: ગુવાહાટીના સરુસજાઈ સ્ટેડિયમ ખાતે 'ઝુમોર બિનંદિની' કાર્યક્રમના સમાપન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક કલાકારોની પ્રશંસા કરી.
watch असम: प्रधानमंत्री नरेंद्र मोदी ने गुवाहाटी के सरुसजाई स्टेडियम में 'झुमोर बिनंदिनी' कार्यक्रम में स्थानीय कलाकारों के प्रदर्शन के समापन पर उनकी सराहना की। pic.twitter.com/C0YuAnr0XC
— ANI_HindiNews (@AHindinews) February 24, 2025
- Feb 24, 2025 17:51 IST
લાલુ યાદવ પર પીએમ મોદીનો પ્રહાર, કહ્યું - જંગલરાજ વાળા મહાકુંભને ગાળો આપી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના ભાગલપુરમાં આયોજિત એક રેલીમાં આરજેડી પર જોરદાર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા આરજેડી પર પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ સમયે પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ ચાલી રહ્યો છે. આ ભારતની આસ્થા, ભારતની એકતા અને સદભાવનો સૌથી મોટો ઉત્સવ છે. એકતાના આ મહાકુંભમાં સમગ્ર યુરોપની વસ્તી કરતાં પણ વધુ લોકોએ સ્નાન કર્યું છે, પરંતુ આ જંગલરાજ વાળ મહાકુંભને ગાળો આપી રહ્યા છે.
- Feb 24, 2025 16:37 IST
Today News Live : કેટરિના કૈફે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું
પ્રયાગરાજ: અભિનેત્રી કેટરિના કૈફે તેના પરિવાર સાથે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.
watch प्रयागराज: अभिनेत्री कैटरीना कैफ ने अपने परिवार के साथ प्रयागराज के त्रिवेणी संगम में पवित्र स्नान किया। pic.twitter.com/njfUxFKbF5
— ANI_HindiNews (@AHindinews) February 24, 2025
- Feb 24, 2025 14:10 IST
Today News live : સત્તાની બહાર રહીને પણ AAPએ દિલ્હીની જનતાને બે મોટી ભેટ આપી
આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તાથી બહાર છે પરંતુ MCDમાં હજુ પણ તેનું વર્ચસ્વ છે. હવે આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને બે મોટી ભેટ આપી છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે દિલ્હીમાં તમામ જૂના હાઉસ ટેક્સ માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે જેમનો વિસ્તાર 100 યાર્ડથી ઓછો છે તેમનો હાઉસ ટેક્સ માફ કરવામાં આવ્યો છે.
- Feb 24, 2025 12:02 IST
Today News live : પીએમ મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં કહ્યું 'પહેલા લોકો એમપીમાં રોકાણ કરવાથી ડરતા હતા
મધ્યપ્રદેશમાં આજથી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું. પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે પહેલા લોકો મધ્યપ્રદેશમાં રોકાણ કરતા ડરતા હતા, પરંતુ હવે મધ્યપ્રદેશ રોકાણના મામલામાં દેશના ટોચના રાજ્યોમાંનું એક બની ગયું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશની જનતાએ ભાજપ સરકારના શાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો નવો તબક્કો જોયો છે. એક સમય એવો હતો જ્યારે અહીં વીજળી અને પાણીની ઘણી સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં, અહીં ઉદ્યોગનો વિકાસ કરવો ખૂબ મુશ્કેલ હતું. ભારતમાં છેલ્લા દાયકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં તેજી જોવા મળી છે. મધ્યપ્રદેશને આનો મોટો ફાયદો થયો છે. દેશના બે મોટા શહેરોને જોડતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો મોટો ભાગ એમપીમાંથી પસાર થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે એક તરફ એમપીને મુંબઈના બંદરો સાથે ઝડપી કનેક્ટિવિટી મળી રહી છે અને બીજી તરફ તે ઉત્તર ભારતના બજારોને પણ જોડે છે.
- Feb 24, 2025 09:59 IST
Today News live : સેન્સેક્સમાં 750 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન
શેરબજારમાં મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 750 પોઇન્ટના કડાકામાં 75000 લેવલ નીચે ઉતરી ગયો છે. તો એનએસઇ નિફ્ટી 200 પોઇન્ટથી વધુ તૂટ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 75311 સામે 500 પોઇન્ટના ઘટાડે આજે 74893 ખુલ્યો હતો. જો કે ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ શેરમાં વેચવાલી રહેલા સેન્સે્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 74554 સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22795 સામે આજે 22609 ખુલ્યો હતો. શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.
- Feb 24, 2025 09:12 IST
Today News live : પીએમ મોદીના બિહાર પ્રવાસ દ્વારા એનડીએ તાકાત બતાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ રાજ્યોના પ્રવાસે છે. પીએમ મોદી પણ બિહાર આવી રહ્યા છે અને તેઓ કિસાન સન્માન કાર્યક્રમને સંબોધિત કરશે. પીએમ મોદી આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ ભાગલપુરની મુલાકાતે છે અને તેને ચૂંટણીના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં બિહારમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. PM મોદીનું પ્લેન પૂર્ણિયા એરપોર્ટ પર લેન્ડ થશે અને ત્યારબાદ તેઓ ભાગલપુર જવા રવાના થશે.
- Feb 24, 2025 09:05 IST
Today News live : રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનિના કેસમાં આજે થશે સુનાવણી
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સુલતાનપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. આ સુનાવણી માનહાનિના કેસમાં થઈ રહી છે. બીજેપી નેતા વિજય મિશ્રાએ 2018માં કર્ણાટક ચૂંટણી દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ પર કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
- Feb 24, 2025 08:24 IST
Today News live : દિલ્હીમાં આજે વિધાનસભાનું પ્રથમ સત્ર, CAGનો રિપોર્ટ રજૂ થશે
દિલ્હીમાં આજથી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ પ્રથમ સત્ર ખૂબ જ તોફાની બની શકે છે, આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ જોવા મળી શકે છે. આ પ્રથમ સત્રની સૌથી મોટી હાઈલાઈટ CAG રિપોર્ટ હશે જે ભાજપે રજૂ કરવાનું વચન આપ્યું હતું. આ અહેવાલને લઈને ભાજપ અને AAP વચ્ચે ઘણા સમયથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.
- Feb 24, 2025 08:23 IST
Today News live : ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલા પ્લેનને બોમ્બની ધમકી મળી
બોમ્બની ધમકીને પગલે ન્યૂયોર્કથી નવી દિલ્હી જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટને રોમ તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ AA 292, બોઇંગ 787 ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત, 24 ફેબ્રુઆરીના રોજ જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સને બોમ્બની ધમકી મળી હતી. થોડી જ વારમાં સાવચેતીના પગલારૂપે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. રોમમાં સુરક્ષા અધિકારીઓની મંજૂરી મળ્યા બાદ જ ફ્લાઇટ તેના ગંતવ્ય માટે રવાના થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us