Today News updates : PF ખાતાધારકો માટે ખુશખબર, સરકારે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 May 2025: સરકારે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF ખાતા) પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ મળશે. સરકારે શનિવારે તેને મંજૂરી આપી દીધી છે.

Written by Ankit Patel
Updated : May 24, 2025 23:10 IST
Today News updates : PF ખાતાધારકો માટે ખુશખબર, સરકારે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી
EPFO: ઇપીએફઓ (File Photo)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 May 2025, આજના તાજા સમાચાર: કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2025 માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ની જાહેરાત કરી છે. આનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે અને તેમની PF ડિપોઝિટમાં વધારો થશે. સરકારે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF ખાતા) પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ મળશે. સરકારે શનિવારે તેને મંજૂરી આપી દીધી છે. EPFO એ 28 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા દર જેટલો જ છે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક

નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.

ઓપરેશન સિંદૂરના 4 પ્રતિનિધિમંડળો રવાના

વિશ્વના વિવિધ દેશોમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે રચાયેલા સર્વપક્ષીય સાંસદોના ચાર પ્રતિનિધિમંડળ પણ વિવિધ દેશો માટે રવાના થયા છે. ગુરુવારે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે આ બધાને માહિતી આપી હતી અને તેમને જરૂરી બધી માહિતી પૂરી પાડવામાં આવી હતી. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી આજથી 31 મે સુધી જય હિંદ સભાનું આયોજન કરવા જઈ રહી છે, જેના દ્વારા તે સશસ્ત્ર દળોને સલામી આપશે.

Live Updates

Today News Live : નીતિ આયોગની બેઠક પછી હિમાચલ પ્રદેશના સીએમે શું કહ્યું

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ કહ્યું કે હું હિમાચલના સંદર્ભમાં એટલું કહેવા માંગુ છું કે નીતિ આયોગની બેઠક પછી મેં વડા પ્રધાન મોદી પાસેથી સમય માંગ્યો હતો અને તેમણે મને સમય આપ્યો. મેં તેમને કહ્યું કે બહારથી આયાત કરાયેલા સફરજનને કારણે હિમાચલના બાગબાનના ભાવ ઘટે છે અને તેમને નુકસાન થાય છે. તેમણે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું કે હિમાચલના બગીચાના ખેડૂતોને નુકસાન ન થાય. મારું માનવું છે કે અમને આ દિશામાં સફળતા મળી છે.

Today News Live : PF ખાતાધારકો માટે ખુશખબર, સરકારે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2025 માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ની જાહેરાત કરી છે. આનો લાભ 7 કરોડથી વધુ લોકોને મળશે અને તેમની PF ડિપોઝિટમાં વધારો થશે. સરકારે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2025 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF ખાતા) પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ મળશે. સરકારે શનિવારે તેને મંજૂરી આપી દીધી છે. EPFO એ 28 ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા દર જેટલો જ છે.

Today News Live : ગુજરાતના કચ્છમાંથી ATS એ પાકિસ્તાન માટે જાસૂસી કરતા જાસૂસની કરી ધરપકડ

ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો. ગુજરાત ATS આ દેશદ્રોહી ગોહિલને વધુ પૂછપરછ માટે કચ્છથી અમદાવાદ લવાયો છે.

Today News Live : ઓપરેશન સિંદૂરના 4 પ્રતિનિધિમંડળો આજે રવાના થશે

આ ઉપરાંત, આજે જ, વિશ્વના વિવિધ દેશોમાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે રચાયેલા સર્વપક્ષીય સાંસદોના ચાર પ્રતિનિધિમંડળ પણ વિવિધ દેશો માટે રવાના થશે. ગુરુવારે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઓપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે આ બધાને માહિતી આપી હતી અને તેમને જરૂરી બધી માહિતી પૂરી પાડવામાં આવી હતી. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટી આજથી 31 મે સુધી જય હિંદ સભાનું આયોજન કરવા જઈ રહી છે, જેના દ્વારા તે સશસ્ત્ર દળોને સલામી આપશે.

Today News Live : પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આજે મહત્વપૂર્ણ બેઠક

આજનો દિવસ સમાચારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે, કારણ કે આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. સવારે 10 વાગ્યાથી શરૂ થનારી આ બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અધિકારીઓ ભાગ લેશે. આ પછી પીએમ મોદી બધા મુખ્યમંત્રીઓને પણ સંબોધિત કરશે. આજની બેઠકના કાર્યસૂચિ વિશે વાત કરતાં, વિકસિત ભારતની યોજનાઓ અને ઉદ્દેશ્યો પર તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે અને તેઓ તેમના સૂચનો પણ આપશે. ભારત-પાકિસ્તાન અથડામણ પછી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે જમ્મુ અને કાશ્મીરના પૂંછની મુલાકાત લેવા જઈ રહ્યા છે. અહીં રાહુલ ગાંધી પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના શોકગ્રસ્ત પરિવારોને મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ