/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Omar-Abdullah.jpg)
J&K; Chief Minister Omar Abdullah
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 April 2025, આજના તાજા સમાચાર: પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સોમવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં હુમલાની નિંદા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમારામાંથી કોઈ પણ આ હુમલાના સમર્થનમાં નથી અને આ હુમલાએ અમને અંદરથી પોકળ કરી દીધા છે.
આવો જાણીએ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પોતાના ભાષણમાં કઈ મહત્વની વાતો કહી. આ દરમિયાન અબ્દુલ્લાએ વિધાનસભામાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોના નામ વાંચ્યા અને તેમના રાજ્યોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે આ હુમલાથી સમગ્ર દેશ પીડામાં છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કઠુઆથી કુપવાડા સુધી ભાગ્યે જ કોઈ શહેર કે ગામ હશે જ્યાં લોકો બહાર આવીને આ હુમલાની નિંદા ન કરતા હોય. મુખ્યમંત્રીએ કહ્યું, "ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, ક્યાં અરુણાચલ અને ક્યાં ગુજરાત, ક્યાં જમ્મુ-કાશ્મીર અને ક્યાં કેરળ અને તેની વચ્ચેના તમામ રાજ્યો, આ હુમલાથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે."
ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકોએ ભારત દેશ છોડ્યો
ભારત સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને કડક ચેતવણી આપી છે. તે કહે છે કે જેઓ નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં ભારત છોડશે નહીં તેમને ધરપકડ, કાર્યવાહી અને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અથવા 3 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંનેનો સામનો કરવો પડશે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે.
25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.
- Apr 28, 2025 18:21 IST
Today Live News : કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું - સીડબ્લ્યુસી, રાહુલ ગાંધી અને અધ્યક્ષનું નિવેદન જ અધિકારિક સ્ટેન્ડ
પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસ નેતાના કેટલાક નિવેદનનો કારણે તેમની ટિકા થઇ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ જયરામ રમેશે કહ્યું કે કેટલાક કોંગ્રેસી નેતાઓ કે જેઓ અગાઉ મહત્વપૂર્ણ પદ પર રહી ચૂક્યા છે, વરિષ્ઠ નેતાઓએ કેટલાક મંતવ્યો વ્યક્ત કર્યા છે. કોંગ્રેસ પક્ષને આ વિચારો સાથે કોઈ લેવાદેવા નથી. અમે એ વિચારોથી પોતાને અલગ કરી દઈએ છીએ. આ તેમના અંગત વિચારો છે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે વિચારો વ્યક્ત કર્યા તે જ પાર્ટીનું સ્ટેન્ડ છે. આ અતિ સંવેદનશીલ સમયે જેમ જેમ પરિસ્થિતિ થાળે પડશે તેમ તેમ કોંગ્રેસ વર્કિંગ કમિટી, કોંગ્રેસ અધ્યક્ષ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પક્ષની સ્થિતિ સ્પષ્ટ કરશે.
- Apr 28, 2025 16:40 IST
Today Live News : સિંધુ જળ સંધિ રદ કરવા પર ખેડૂત નેતા નરેશ ટિકૈતે કહ્યું - આ એક ખોટો નિર્ણય છે
ખેડૂત નેતા નરેશ ટિકૈતે સિંધુ જળ સંધિ પર કહ્યું કે આ એક ખોટો નિર્ણય છે. સંધિ ચાલુ રહેવી જોઈતી હતી. અમે તેની વિરુદ્ધ છીએ. અમે ખેડૂત છીએ અને દરેક ખેડૂતને પાણીની જરૂર છે.
- Apr 28, 2025 13:34 IST
Today Live News :નિશિકાંત દુબેએ કોને અંદરથી દુશ્મન કહ્યા?
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ પહલગામ આતંકી હુમલાના સંદર્ભમાં ફરી એકવાર ખૂબ જ સનસનીખેજ દાવો કર્યો છે. સોમવારે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશમાં ઘૂસી ગયેલા દુશ્મનો સામે કેવી રીતે લડવું. તેમનું કહેવું છે કે દેશમાં લગભગ 5 લાખ પાકિસ્તાની છોકરીઓ છે જેમણે ભારતમાં લગ્ન કર્યા અને અહીં જ રહી અને તેઓ હજુ પણ પાકિસ્તાની નાગરિક છે. જ્યારે, રવિવારે એટલે કે 27મી એપ્રિલે તે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે, જેમાં કેટલાક પ્રકારના પાકિસ્તાની વિઝા ધારકોને ભારત છોડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ગોડ્ડા, ઝારખંડના બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સોમવારે X પર લખેલી પોસ્ટમાં કહ્યું, 'પાકિસ્તાની આતંકવાદનો નવો ચહેરો હવે સામે આવ્યો છે, 5 લાખથી વધુ પાકિસ્તાની છોકરીઓ લગ્ન કરીને ભારતમાં રહી રહી છે, આજ સુધી તેમને ભારતીય નાગરિકતા મળી નથી. અંદર ઘૂસી ગયેલા આ દુશ્મનો સામે કેવી રીતે લડવું?
- Apr 28, 2025 13:31 IST
Today Live News : સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ (OTT) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી પર ચિંતા વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે ઓવર ધ ટોપ (OTT) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી પર ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ જારી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી અરજી ઘણી ગંભીર છે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે તમે આ અંગે કંઈક કરો.
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે અશ્લીલ સામગ્રીને નિયંત્રિત કરવાનું કાર્ય કારોબારી અને વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે. જસ્ટિસ ગવઈએ કહ્યું કે, આ અમારું અધિકારક્ષેત્ર નથી, તમે કંઈક કરો
- Apr 28, 2025 10:56 IST
Today News Live updates : ભારતે પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી કરી, શોએબ અખ્તર સહિત આ યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ
પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક પગલું ભરતા ભારત સરકારે પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર સહિત અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર દેશમાં પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણી ન્યૂઝ ચેનલોના ઓનલાઈન સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ડૉન ન્યૂઝ, એઆરવાય ન્યૂઝ, સમા ટીવી અને જિયો ન્યૂઝ સામેલ છે.
પાકિસ્તાન વિરુદ્ધ આ કડક કાર્યવાહી ગૃહ મંત્રાલયની ભલામણોના આધારે કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાની યુટ્યુબ ચેનલો ભારત, તેના સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો અને ખોટી માહિતી પ્રસારિત કરી રહી છે.
- Apr 28, 2025 09:47 IST
Today Live News : સેન્સેક્સ 600 પોઇન્ટનો ઉછાળો, રિલાયન્સ 3 ટકા વધ્યો
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા દિવસે જ ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 79212 સામે આજે 79343 ખુલ્યો હતો. રિલાયન્સ અને બેંક શેરમાં તેજીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો. એનએસઇ નિફ્ટી 24039 પાછલા બંધ સામે આજે 24070 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 150 પોઇન્ટ ઉછળ્યો છે. બેંક નિફઅટી 500 પોઇન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 350 પોઇન્ટ ડાઉન હતો. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં રિલાયન્સ 3 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફિનસર્વ અને કોટક બેંક 1 થી દોઢ ટકા વધ્યા છે.
- Apr 28, 2025 07:59 IST
Today Live News : ચાર દિવસમાં 537 પાકિસ્તાની નાગરિકો ભારત દેશ છોડ્યો
22 એપ્રિલે પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ આ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારી આદેશ અનુસાર, સાર્ક વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોએ 28 એપ્રિલ સુધીમાં ભારત છોડવું જરૂરી છે, જ્યારે મેડિકલ વિઝા ધરાવનારાઓએ 29 એપ્રિલ સુધીમાં ભારત છોડવું પડશે. ત્યારે 25 થી 27 એપ્રિલની વચ્ચે, 537 પાકિસ્તાની નાગરિકો અટારી ચેકપોસ્ટ દ્વારા ભારત છોડ્યા હતા, જ્યારે તે જ સમયગાળા દરમિયાન 744 ભારતીય નાગરિકો પાકિસ્તાનથી વાઘા મારફતે પરત ફર્યા હતા. પહેલગામ આતંકી હુમલાની પ્રારંભિક તપાસ બાદ શરૂ કરવામાં આવેલા રાજદ્વારી હુમલાના ભાગરૂપે ભારતે 24 એપ્રિલે પાકિસ્તાની નાગરિકોને જારી કરાયેલા તમામ માન્ય વિઝા રદ કર્યા હતા. આમાં રાજદ્વારી અને સત્તાવાર વિઝા અને લાંબા ગાળાના વિઝાનો સમાવેશ થતો નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us