Gujarati News 28 February 2025 : તેલંગાણા ટનલમાં બચાવ કાર્ય યથાવત્, ફસાયેલા લોકોને બચાવવામાં રેલવે પણ સામેલ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 February 2025: તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ના નિર્માણાધીન વિભાગનો એક ભાગ તૂટી પડયા બાદ છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા 8 લોકોને બચાવવાની કામગીરીમાં રોકાયેલી બચાવ ટીમમાં દક્ષિણ મધ્ય રેલવે હવે જોડાઈ છે.

Written by Ankit Patel
Updated : February 28, 2025 23:31 IST
Gujarati News 28 February 2025 : તેલંગાણા ટનલમાં બચાવ કાર્ય યથાવત્,  ફસાયેલા લોકોને બચાવવામાં રેલવે પણ સામેલ
તેલંગાણાની સુરંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ - photo - ANI

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 28 February 2025, આજના તાજા સમાચાર: તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ના નિર્માણાધીન વિભાગનો એક ભાગ તૂટી પડયા બાદ છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા 8 લોકોને બચાવવાની કામગીરીમાં રોકાયેલી બચાવ ટીમમાં દક્ષિણ મધ્ય રેલવે હવે જોડાઈ છે. શુક્રવારે આ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ મધ્ય રેલવેએ બચાવ કામગીરી માટે જરૂરી સાધનો પણ પૂરા પાડ્યા છે.

દક્ષિણ મધ્ય રેલવે (SCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી એ. શ્રીધરે માહિતી આપી હતી કે રેલવે પાસે ‘પ્લાઝમા કટર’ અને ‘બ્રોકો કટિંગ મશીન’ જેવા સાધનોનો ઉપયોગ કરીને ભારે ધાતુઓ કાપવાની કુશળતા છે. એ. શ્રીધરે પીટીઆઈને જણાવ્યું હતું કે, “નાગરકુર્નૂલ જિલ્લા મેજિસ્ટ્રેટે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા લોખંડ અને સ્ટીલના કાટમાળને દૂર કરીને બચાવ કામગીરીમાં દક્ષિણ મધ્ય રેલવેની મદદ માંગી છે.”

ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 6.2 ટકા રહ્યો

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 6.2 ટકા રહ્યો છે, જે 6.3 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો હતો. તમને જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 5.6% હતો. શુક્રવારે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 6.3% ના અંદાજ કરતાં થોડી ઓછી હતી, પરંતુ આખા વર્ષનો વૃદ્ધિ દર 6.5% જાળવવામાં મદદ મળી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 5.6% પર પહોંચી ગયો, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચો છે. સરકારે અગાઉના અંદાજમાં 6.4% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપ, બિહારમાં પણ અસર

નેપાળ અને પાકિસ્તાનમાં થોડા જ કલાકોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિ પછી નેપાળમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. નેપાળ ઉપરાંત ભારતના બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.

નેપાળ બાદ શુક્રવારે સવારે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં હલચલ જોવા મળી હતી. ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 16 કિલોમીટરની ઉંડાઈએ હતું. તે જ સમયે, બુધવારે સાંજે લદ્દાખમાં 3.5ની તીવ્રતાના હળવા આંચકા પણ અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે કોઈપણ જગ્યાએ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

Live Updates

Today News live : ડોનાલ્ડ ટ્રમ્પ અને યુકેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંસ્કી વચ્ચે મુલાકાત

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેંસ્કીનું સ્વાગત કર્યું.

Today News live : અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદના કારણે રદ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વધુ એક મેચ વરસાદના કારણે રદ થઇ છે. પાકિસ્તાનના લાહોરમાં રમાયેલી અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વરસાદના કારણે રદ થઇ છે. ઓફિસિઅલ્સે ભારતીય સમય પ્રમાણે રાત્રે 9.20 કલાકે મેચ રદ કરવાની જાહેરાત કરી હતી. આ મેચ રદ થતા ઓસ્ટ્રેલિયાએ 4 પોઇન્ટ સાથે સેમિ ફાઈનલમાં ક્વોલિફાય કરી લીધું છે.

પાકિસ્તાનમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અકોરા ખટ્ટક જિલ્લામાં આવેલ મદ્રેસા દારુલ ઉલૂમ હક્કાનિયામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ રેસ્ક્યૂ ઓપરેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રાશ્દે જણાવ્યું હતું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

Today News live : ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી 6.2 ટકા રહ્યો

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા જાહેર કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 6.2 ટકા રહ્યો છે, જે 6.3 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો હતો. તમને જણાવી દઈએ કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 5.6% હતો. શુક્રવારે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ 6.3% ના અંદાજ કરતાં થોડી ઓછી હતી, પરંતુ આખા વર્ષનો વૃદ્ધિ દર 6.5% જાળવવામાં મદદ મળી છે. બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર 5.6% પર પહોંચી ગયો, જે લગભગ બે વર્ષમાં સૌથી નીચો છે. સરકારે અગાઉના અંદાજમાં 6.4% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો.

Today News live : ઉત્તરાખંડના માના સરહદી ગામમાં ભૂસ્ખલન

ચમોલી જિલ્લાના માના ગામમાં ભૂસ્ખલનમાં 57 મજૂરો દટાયા હતા. આમાંથી 10 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે.

Today News live : તેલંગાણા ટનલમાં ફસાયેલા લોકોને બચાવવામાં રેલવે પણ સામેલ

તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ના નિર્માણાધીન વિભાગનો એક ભાગ તૂટી પડયા બાદ છેલ્લા 6 દિવસથી ટનલમાં ફસાયેલા 8 લોકોને બચાવવાની કામગીરીમાં રોકાયેલી બચાવ ટીમમાં દક્ષિણ મધ્ય રેલવે હવે જોડાઈ છે. શુક્રવારે આ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ મધ્ય રેલવેએ બચાવ કામગીરી માટે જરૂરી સાધનો પણ પૂરા પાડ્યા છે.

દક્ષિણ મધ્ય રેલવે (SCR)ના મુખ્ય જનસંપર્ક અધિકારી એ. શ્રીધરે માહિતી આપી હતી કે રેલવે પાસે ‘પ્લાઝમા કટર’ અને ‘બ્રોકો કટિંગ મશીન’ જેવા સાધનોનો ઉપયોગ કરીને ભારે ધાતુઓ કાપવાની કુશળતા છે. એ. શ્રીધરે પીટીઆઈને જણાવ્યું હતું કે, “નાગરકુર્નૂલ જિલ્લા મેજિસ્ટ્રેટે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહેલા લોખંડ અને સ્ટીલના કાટમાળને દૂર કરીને બચાવ કામગીરીમાં દક્ષિણ મધ્ય રેલવેની મદદ માંગી છે.”

Today News live : SEBIના નવા અધ્યક્ષ તરીકે તુહિન કાંતા પાંડેની નિમણૂક

કેન્દ્ર સરકારે નાણા અને મહેસૂલ સચિવ તુહિન કાંત પાંડેની બજાર નિયમનકાર સેબીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. તેઓ માધબી પુરી બુચનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ મહિને પૂરો થઈ રહ્યો છે. ગુરુવારે કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ 1987 બેચના ઓડિશા કેડરના વરિષ્ઠ IAS અધિકારી પાંડેને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક પદ સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષ માટે રહેશે. તુહિન કાંત પાંડેએ સપ્ટેમ્બર 2024માં દેશના નાણાં સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

Today News live : નલિયામાં એક સાથે ચાર ડિગ્રી તાપમાન ઘટ્યું

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 15 ડિગ્રીથી લઈને 23.3 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં એક જ દિવસમાં 4 ડિગ્રીથી વધારે તાપમાન ઘટીને 15 ડિગ્રીએ પહોંચ્યું હતું. 15 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 23.3 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું.

Today News live : નેપાળ અને પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી

નેપાળ અને પાકિસ્તાનમાં થોડા જ કલાકોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ગુરુવાર-શુક્રવારની મધ્યરાત્રિ પછી નેપાળમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર જમીનથી 10 કિમી નીચે હતું. નેપાળ ઉપરાંત ભારતના બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી.

નેપાળ બાદ શુક્રવારે સવારે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં હલચલ જોવા મળી હતી. ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 16 કિલોમીટરની ઉંડાઈએ હતું. તે જ સમયે, બુધવારે સાંજે લદ્દાખમાં 3.5ની તીવ્રતાના હળવા આંચકા પણ અનુભવાયા હતા. રાહતની વાત એ છે કે કોઈપણ જગ્યાએ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ