/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Indian-army.jpg)
ઇન્ડિય આર્મી ફાઈલ તસવીર - photo - Jansatta
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 March 2025, આજના તાજા સમાચાર: છત્તીસગઢના દાંતેવાડા સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે શનિવારે ફરી એકવાર દાંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 15 નક્સલીઓના મોત થયા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમણે હજુ પણ ઘણા નક્સલીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. એજન્સી એએનઆઈએ સુકમાના એસપી કિરણ ચવ્હાણ દ્વારા આપવામાં આવેલી જાણકારીને ટાંકીને જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા બોર્ડર પર આવેલા ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનું વાતાવરણ બન્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ડરી ગયા છે.
ભૂકંપ પીડિત મ્યાનમારને ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર અને થાઇલેન્ડમાં 28 માર્ચ, 2028ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો છે. ધરતીકંપથી મ્યાનમારની પરિસ્થિત ગંભીર બની ગઇ છે. મ્યાનમારની સરકારે દુનિયાના દેશો પાસે મદદ માંગી છે. ભારત સરકારે ભૂકંપ પીડિત મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્રી મોકલી છે. રાહત સામગ્રીમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબલા, ભોજનની સામગ્રી, વોટર પ્યુરીફાયર, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ, જીવનરક્ષક દવાઓ વગેરે સામેલ છે.
અફઘાનિસ્તાનમાં ધરતીકંપ, વહેલી સવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સવારે 5.16 વાગે રેક્ટર સ્કેલ 4.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. તમને જણાવી દઇયે કે, શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી મ્યાનમારમાં 140 થી વધુ લોકોના મોત અને 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
- Mar 29, 2025 19:02 IST
સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે કેરળ, ગુજરાત અને આંદામાન-નિકોબારના દરિયાકાંઠે અપતટીય માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની હું સખત નિંદા કરું છું. પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કર્યા વિના અપતટીય માઇનિંગ માટે ટેન્ડર જે રીતે બહાર પાડવામાં આવી રહ્યા છે તેનો દરિયાકાંઠાના સમુદાયો વિરોધ કરી રહ્યા છે. લાખો માછીમારોએ તેમની આજીવિકા અને જીવનશૈલી પર તેની અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. હું સરકારને જારી કરાયેલા ટેન્ડર રદ કરવા માટે ભારપૂર્વક વિનંતી કરું છું.
लोकसभा नेता प्रतिपक्ष और कांग्रेस सांसद राहुल गांधी ने प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखा।
उन्होंने पत्र में लिखा, "मैं केरल, गुजरात और अंडमान-निकोबार के तट पर अपतटीय खनन की अनुमति देने के केंद्र सरकार के फैसले की कड़ी निंदा करता हूं। बिना इसके पर्यावरणीय प्रभाव का मूल्यांकन… pic.twitter.com/7M8Tt89K0I— ANI_HindiNews (@AHindinews) March 29, 2025
- Mar 29, 2025 17:44 IST
પીએમ મોદી મોદી 19 એપ્રિલે કટરા-શ્રીનગર વચ્ચેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
કાશ્મીરની વાદીઓ સુધી સીધા પહોંચવા માટે પહેલી વંદે ભારત ટ્રેનની રાહ પૂરી થવાની તૈયારીમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કટરા અને શ્રીનગર વચ્ચેની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. કાશ્મીર ખીણને દેશના બાકીના ભાગો સાથે જોડવાનું 70 વર્ષ જૂનું સપનું આખરે પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ રેલવે સેવાનો હેતુ પ્રવાસન, કૃષિ, ઉદ્યોગ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો તેમજ કાશ્મીરના લોકોને આખું વર્ષ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
- Mar 29, 2025 16:44 IST
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપ, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી
મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભયનું વાતાવરણ બન્યું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજધાની નેપીડો નજીક હોવાનું કહેવાય છે. ગઈકાલે પણ મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો. સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકો ડરી ગયા છે.
- Mar 29, 2025 15:06 IST
લોકસભામાં ભાજપ પાસે બહુમતી નથી : અસદુદ્દીન ઓવૈસી
વકફ (સંશોધન) ખરડા પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, લોકસભામાં ભાજપ પાસે બહુમતી નથી. તે સરકાર ટેકા પર ચાલી રહી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે કારણ કે તે નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીના ટેકા પર નિર્ભર છે. જો આ ચાર પક્ષ આ અસંવૈધાનિક ખરડાને સમર્થન ન આપે તો આ ખરડો કાયદો બની શકશે નહીં પરંતુ જો તેઓ ભાજપને સમર્થન આપશે, તો હું તેમને સાવધાન અને ચેતવણી આપીશે કે મુસલમાન તેમને ક્યારેય માફ કરશે નહીં. તમે એક અસંવૈધાનિક ખરડાને સમર્થન આપી રહ્યા છો, જે મુસ્લિમ વકફ બોર્ડને હંમેશા માટે નાબૂદ કરી નાંખશે, જે અમારી મસ્જિદો, દરગાહ છિનવી લેશે.
watch हैदराबाद, तेलंगाना: वक्फ (संशोधन) विधेयक पर AIMIM प्रमुख असदुद्दीन ओवैसी ने कहा, "लोकसभा में भाजपा के पास बहुमत नहीं है। यह सरकार बैसाखी पर है। नरेंद्र मोदी प्रधानमंत्री हैं क्योंकि वे नीतीश कुमार, चंद्रबाबू नायडू, चिराग पासवान और जयंत चौधरी की बैसाखी पर निर्भर हैं। अगर ये… pic.twitter.com/3JJ9DfPHFz
— ANI_HindiNews (@AHindinews) March 29, 2025
- Mar 29, 2025 10:44 IST
છત્તીસગઢના દાંતેવાડામાં સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓ ઠાર માર્યા
છત્તીસગઢના દાંતેવાડા સુરક્ષાદળોએ 16 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. આજે શનિવારે ફરી એકવાર દાંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલોમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 15 નક્સલીઓના મોત થયા છે. સુરક્ષા દળોનું કહેવું છે કે તેમણે હજુ પણ ઘણા નક્સલીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. એજન્સી એએનઆઈએ સુકમાના એસપી કિરણ ચવ્હાણ દ્વારા આપવામાં આવેલી જાણકારીને ટાંકીને જણાવ્યું હતું કે સુકમા-દંતેવાડા બોર્ડર પર આવેલા ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 16 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
सुकमा-दंतेवाड़ा सीमा पर उपमपल्ली केरलापाल इलाके के जंगल में सुरक्षा बलों के साथ मुठभेड़ में 15 नक्सली मारे गए। मुठभेड़ अभी भी जारी है: SP सुकमा किरण चव्हाण pic.twitter.com/7NEIqeA7hM
— ANI_HindiNews (@AHindinews) March 29, 2025 - Mar 29, 2025 08:43 IST
અફઘાનિસ્તાનમાં ધરતીકંપ, વહેલી સવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો
અફઘાનિસ્તાનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો છે. અફઘાનિસ્તાનમાં સવારે 5.16 વાગે રેક્ટર સ્કેલ 4.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. તમને જણાવી દઇયે કે, શુક્રવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપથી મ્યાનમારમાં 140 થી વધુ લોકોના મોત અને 700 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
आज सुबह 5.16 बजे अफ़गानिस्तान में रिक्टर स्केल पर 4.7 तीव्रता का भूकंप आया।
(सोर्स- नेशनल सेंटर फॉर सीस्मोलॉजी) pic.twitter.com/2sOZH5hV9Z
— ANI_HindiNews (@AHindinews) March 29, 2025 - Mar 29, 2025 08:39 IST
ભૂકંપ પીડિત મ્યાનમારને ભારતે 15 ટન રાહત સામગ્રી મોકલી
મ્યાનમાર અને થાઇલેન્ડમાં 28 માર્ચ, 2028ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો છે. ધરતીકંપથી મ્યાનમારની પરિસ્થિત ગંભીર બની ગઇ છે. મ્યાનમારની સરકારે દુનિયાના દેશો પાસે મદદ માંગી છે. ભારત સરકારે ભૂકંપ પીડિત મ્યાનમારને મદદ કરવા માટે 15 ટન રાહત સામગ્રી મોકલી છે. રાહત સામગ્રીમાં ટેન્ટ, સ્લીપિંગ બેગ, ધાબલા, ભોજનની સામગ્રી, વોટર પ્યુરીફાયર, હાઇજીન કિટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ, જીવનરક્ષક દવાઓ વગેરે સામેલ છે.
AFS हिंडन से IAF सी 130 जे विमान पर लगभग 15 टन राहत सामग्री म्यांमार भेजी जा रही है, जिसमें टेंट, स्लीपिंग बैग, कंबल, खाने के लिए तैयार भोजन, वाटर प्यूरीफायर, हाइजीन किट, सोलर लैंप, जनरेटर सेट, आवश्यक दवाएं (पैरासिटामोल, एंटीबायोटिक्स, कैनुला, सीरिंज, दस्ताने, कॉटन बैंडेज, मूत्र… pic.twitter.com/WbqmYFpA99
— ANI_HindiNews (@AHindinews) March 29, 2025


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us