Gujarati News 3 March 2025: ગુજરાત યુનિવર્સિટી ખાતે ફી વધારા મુદ્દે NSUI કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 March 2025: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચા રકરવામાં આવ્યા હતા.

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 March 2025: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચા રકરવામાં આવ્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
nsui | gujarat university

NSUI Protest On Gujarat University: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન. (Photo: Social Media)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 March 2025, આજના તાજા સમાચાર: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Advertisment

હરિયાણામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલના મર્ડર કેસમાં પોલીસે 1 આરોપની ધરપકડ કરી છે. તમને જણાવી દઇયે કે, 1 માર્ચના રોજ હરિયાણામાં રોહતકમાં એક સુટકેશમાં હિમાની નરવાલની લાશ મળી આવતા સનસનાટી મચી હતી. હિમાની નરવાલની હત્યા બાદ હરિયાણામાં મહિલાઓની સુરક્ષા અંગે રાજ્ય સરકાર સામે સવાલ ઉભા થયા હતા.

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યો

બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એક ચોંકાવનારા નિર્ણયમાં પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.આકાશને પાર્ટીમાંથી હાંકી કાઢવાનું કારણ તેના સસરા અશોક સિદ્ધાર્થનો પ્રભાવ હોવાનું કહેવાય છે.માયાવતીએ એક એક્સ પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે પાર્ટી અને મૂવમેન્ટની ભલાઇ માટે આ પગલું ભર્યું છે.

પીએમ મોદીના ગુજરાતના મુલાકાતનો છેલ્લો દિવસ, ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા

Advertisment

પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રે રોકાયા હતા. આજે સોમવારે વહેલી સવારે પીએમ મોદીએ ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા હતા.

  • Mar 03, 2025 23:29 IST

    અરવિંદ કેજરીવાલ મંગળવારે વિપશ્યના સાધના માટે પંજાબના હોશિયારપુર જશે

    આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મંગળવારે વિપશ્યના સાધના માટે પંજાબના હોશિયારપુરની મુલાકાત લેશે. તે સંભવત વિપશ્યના ધ્યાનમાં 10 દિવસ વિતાવશે. આ પહેલા 2023માં પણ કેજરીવાલે સાધના માટે હોશિયારપુર સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હારના લગભગ એક મહિના બાદ કેજરીવાલ વિપશ્યના માટે પંજાબ જઈ રહ્યા છે. આપના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલ 5થી 15 માર્ચ સુધી હોશિયારપુરના ધ્યાન કેન્દ્રમાં રહેશે



  • Mar 03, 2025 21:01 IST

    મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ

    પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં મતદાર યાદીને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ પહેલા ઇન્ડિયા ગઠબંધનના ઘટક કોંગ્રેસ-શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે શંકા વ્યક્ત કરી હતી. આ મામલે હવે મતદાર યાદીને લઇને નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. તૃણમૂલ કોંગ્રેસના વડાએ ગયા અઠવાડિયે એક જ મતદાર આઈડી નંબર (ઇપીઆઇસી) સાથે કેટલાક મતદારોની ઓળખ કરી હતી. બેનર્જીએ આરોપ લગાવ્યો કે ભાજપે બોગસ મતદારોનો ઉપયોગ કરીને આવતા વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ચૂંટણી પંચ સાથે સાંઠગાંઠ કરી છે.



  • Mar 03, 2025 18:53 IST

    માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યો

    બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ એક ચોંકાવનારા નિર્ણયમાં પોતાના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.આકાશને પાર્ટીમાંથી હાંકી કાઢવાનું કારણ તેના સસરા અશોક સિદ્ધાર્થનો પ્રભાવ હોવાનું કહેવાય છે.માયાવતીએ એક એક્સ પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે પાર્ટી અને મૂવમેન્ટની ભલાઇ માટે આ પગલું ભર્યું છે.



  • Mar 03, 2025 16:04 IST

    ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે NSUI કાર્યકર્તાઓનો દેખાવ

    અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડી અને સ્નાતક અભ્યાસક્રમોની ફીમાં વધારા સામે એનએસયુઆઈ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારકરવામાં આવ્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 3, 2025

    https://platform.twitter.com/widgets.js



  • Mar 03, 2025 14:22 IST

    કાશ્મીરના બારામુલામાં હિમ વર્ષા

    જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. આજે કાશ્મીરીના બારામુલ્લા જિલ્લામાં હિમવર્ષા થઇ હતી. હિમવર્ષના કારણે જમ્મુ કાશ્મીર અને નજીકના વિસ્તારમાં તાપમાન નીચે આવ્યું છે.



  • Mar 03, 2025 11:57 IST

    પીએમ મોદીએ રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડની 7મી બેઠકમાં ભાગ લીધો

    પીએમ નરેન્દ્ર મોદીએ સાસણ ગીર નેશનલ પાર્કમાં રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડની 7મી બેઠકમં ભાગ લીધો છે. તમને જણાવી દઇયે કે, પીએમ મોદીએ આજે સાસણગીર જંગલમાં સિંહ દર્શન કર્યા હતા.

    — ANI_HindiNews (@AHindinews) March 3, 2025



  • Mar 03, 2025 10:23 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટી 72800 નીચે, બેંક શેરમાં વેચવાલી

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મંદી યથાવત છે. સેન્સેક્સ પાછલા બંધ 73198 સામે આજે 73427 ખુલ્યો હતો. રિલાયન્સ, અદાણી પોર્ટ્સ અને બેન્કિંગ ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ વધ્યુ હતું. સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તુટ્યું અને 72797 લેવલ નીચે ઉતરી ગયું છે. નિફ્ટી આજે 22124 સામે આજે 22194 ખુલ્યો હતો. નિફ્ટી 90 પોઇન્ટના ઘટાડે 22032 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છો. જો નિફ્ટી 22000 લેવલ તોડે તો શેરબજારમાં મોટી મંદી આવી શકે છે. બેંક નિફ્ટી 450 પોઇન્ટ ડાઉન છે.



  • Mar 03, 2025 08:11 IST

    હરિયાણામાં હિમાની નરવાલ મર્ડર કેસમાં 1 આરોપીની ધરપકડ

    હરિયાણામાં મહિલા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલના મર્ડર કેસમાં પોલીસે 1 આરોપની ધરપકડ કરી છે. તમને જણાવી દઇયે કે, 1 માર્ચના રોજ હરિયાણામાં રોહતકમાં એક સુટકેશમાં હિમાની નરવાલની લાશ મળી આવતા સનસનાટી મચી હતી. હિમાની નરવાલની હત્યા બાદ હરિયાણામાં મહિલાઓની સુરક્ષા અંગે રાજ્ય સરકાર સામે સવાલ ઉભા થયા હતા.

    हरियाणा पुलिस ने कांग्रेस कार्यकर्ता हिमानी नरवाल की हत्या के मामले में एक आरोपी को गिरफ्तार किया है: हरियाणा पुलिस

    1 मार्च को रोहतक में हाईवे के पास एक सूटकेस के अंदर हिमानी नरवाल का शव मिला था।
    — ANI_HindiNews (@AHindinews) March 3, 2025



  • Mar 03, 2025 07:14 IST

    પીએમ મોદી ગુજરાત મુલાકાતનો છેલ્લો દિવસ, ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા

    પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે સોમનાથ મંદિરમાં દર્શન ખર્યા બાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રે રોકાયા હતા. આજે સોમવારે વહેલી સવારે પીએમ મોદીએ ગીર જંગલમાં સિંહ દર્શન કર્યા હતા. તેઓ આજે વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં પણ ભાગ લે તેવી શક્યતા છે.કોન્ફરન્સ બાદ પીએમ મોદી 2 વાગે દિલ્હી જવા રવાના થશે.



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત દેશ