Today News updates : સતત નવમાં દિવસે પાકિસ્તાને LOC પર ગોળીબાર કર્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 May 2025: પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર સહિત નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

Written by Ankit Patel
Updated : May 03, 2025 23:12 IST
Today News updates : સતત નવમાં દિવસે પાકિસ્તાને LOC પર ગોળીબાર કર્યો
ભારતીય સેના ફાઇલ ફોટો (Photo- X)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 3 May 2025, આજના તાજા સમાચાર: પાકિસ્તાન દ્વારા સતત નવમા દિવસે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર સહિત નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર ત્રિપલ અકસ્માત, 4 લોકોના મોત

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ અને મંત્રી તરારનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ છે. આ દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરવામાં આવી છે. બ્લોક કરેલી યુટ્યુબ ચેનલ પર હવે એક સંદેશ દેખાય છે – રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.

તે જ સમયે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે “નક્કર ગુપ્ત માહિતી” છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના આધારે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે.

Live Updates

Today Live News : એન્થોની અલ્બનીઝ ફરી ઓસ્ટ્રેલિયાના પીએમ બનશે, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે તેમનું ફરીથી ચૂંટાઇ આવવું ઓસ્ટ્રેલિયન લોકોનો તેમના નેતૃત્વ પર સ્થાયી વિશ્વાસને દર્શાવે છે. અલ્બેનીઝે ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ચૂંટણી પછી પોતાની જીતની વિજયની ઘોષણા કરી હતી.

Today Live News : પહેલગામ આતંકી હુમલા બાદ ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ તણાવ વચ્ચે ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. પીએમ મોદી અને ઓમર અબ્દુલ્લા વચ્ચેની આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પહેલગામ આતંકી હુમલો અને ત્યારબાદ ઉભી થયેલી સુરક્ષા સ્થિતિ સહિત ઘણા મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

Today Live News : ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર ત્રિપલ અકસ્માત, 4 લોકોના મોત

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ, જીપ અને બાઈક વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે નવ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Today Live News : પાકિસ્તાને ફરી LOC પર ગોળીબાર કર્યો

પાકિસ્તાન દ્વારા સતત નવમા દિવસે LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાને કુપવાડા, ઉરી અને અખનૂર સહિત નિયંત્રણ રેખા પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાની સેનાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

Today Live News : રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓને નિવેદનો આપવા બદલ નિશાન બનાવી રહ્યા છે- શહજાદ પૂનાવાલા

ભાજપના નેતા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસનું નામ બદલીને રાષ્ટ્ર વિરોધી કોંગ્રેસ કરવું જોઈએ. ચન્નીના નિવેદન પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીના ખૂબ નજીકના માનવામાં આવે છે. તેમણે કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં તેઓ કહે છે કે તેઓ સરકાર અને સશસ્ત્ર દળો સાથે છે અને બેઠકની બહાર, રાહુલ ગાંધીના નિર્દેશ પર, તેઓ પહેલગામ આતંકવાદી હુમલા પર પાકિસ્તાનને ક્લીનચીટ આપશે.

today live News : ગોવાના શિરગાંવમાં લૈરાઈ જાત્રામાં ભાગદોડ, છના મોત

ગોવાના શિરગાંવમાં શ્રીદેવી લૈરાઈ જાત્રામાં ભાગદોડ થતાં 6 લોકોના મોત થયા છે. આ દુ:ખદ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. શુક્રવારે હજારો ભક્તોએ હર હર મહાદેવ અને લૈરાઈ માતા કી જયના ​​નારા લગાવીને ધાર્મિક યાત્રા શરૂ કરી. લોકો અહીં ફક્ત ગોવાથી જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકથી પણ આવે છે.

today live News : પાકિસ્તાની મંત્રી તરારનું X એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધ

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. આ સાથે, તરારનો પ્રોફાઇલ પિક્ચર અને કવર ઇમેજ પણ ગાયબ થઈ ગયો છે. બુધવારે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં તરારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે “નક્કર ગુપ્ત માહિતી” છે કે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના આધારે ભારત આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે.

today live News : પાકિસ્તાની PM શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલભારતમાં પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ છે. આ દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક કરવામાં આવી છે. બ્લોક કરેલી યુટ્યુબ ચેનલ પર હવે એક સંદેશ દેખાય છે – રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ