/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Harsh-sanghavi.jpg)
ગુજરાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી - Photo - X @sanghaviharsh
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 29 April 2025, આજના તાજા સમાચાર: અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.
આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.
કોલકાતાની હોટલમાં આગમાં 14ના મોત
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બુરાબજાર વિસ્તારમાં ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે લગભગ 8.15 વાગ્યે આ ઘટના બની હતી.
વિશાખાપટ્ટનમના નરસિંહ સ્વામી મંદિરમાં સ્ટેજ ધરાશાયી, 8 લોકોના મોત
વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયાં હતાં. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થિતિ જોઈને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ચંદનોત્સવ દરમિયાન અચાનક 20 ફૂટ લાંબો સ્ટેજ ધરાશાયી થવાના કારણે આ ઘટના બની હતી.
- Apr 30, 2025 19:01 IST
today live News : સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો - અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું કે સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ મોદી સરકારે આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજે યોજાયેલી CCPA બેઠકમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લઈને સામાજિક સમાનતા અને દરેક વર્ગના અધિકારો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ અને તેના સાથીઓએ દાયકાઓ સુધી સત્તામાં રહીને જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષમાં રહીને તેના પર રાજકારણ કર્યું હતું. આ નિર્ણય તમામ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોને સશક્ત બનાવશે, સમાવેશને પ્રોત્સાહન આપશે અને વંચિતોની પ્રગતિ માટે નવા માર્ગો ખોલશે.
- Apr 30, 2025 16:42 IST
today live News : જાતિ જનગણના કરાવશે મોદી સરકાર, કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય
મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. કેબિનેટે બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી વિપક્ષ દ્વારા દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ તો તેને ચૂંટણીનો મુદ્દો પણ બનાવી દીધો હતો. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આવનાર વસ્તી ગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે.
- Apr 30, 2025 16:05 IST
today live News : રાહુલ ગાંધીએ શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી.
watch कानपुर, उत्तर प्रदेश: लोकसभा में विपक्ष के नेता और कांग्रेस सांसद राहुल गांधी ने 22 अप्रैल को पहलगाम में हुए आतंकवादी हमले में मारे गए कानपुर निवासी शुभम द्विवेदी के परिवार से मुलाकात की। pic.twitter.com/wRmXOPR7Mv
— ANI_HindiNews (@AHindinews) April 30, 2025
- Apr 30, 2025 13:08 IST
today live News : બોર્ડર નજીકના વિસ્તારોમાં પંજા સરકાર લગાવશે એન્ટી ડ્રોન સિસ્ટમ
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, પંજાબ સરકારે આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા તેના વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે કહ્યું કે તે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યના વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવા જઈ રહી છે. આ માટે, પાકિસ્તાન દ્વારા ષડયંત્રના ભાગ રૂપે મોકલવામાં આવતા શસ્ત્રો અને ડ્રગ્સને નિયંત્રિત કરી શકાય છે.
પંજાબ સરકારે કહ્યું કે તેમના દ્વારા સ્થાપિત કરવામાં આવનાર એન્ટી-ડ્રોન સિસ્ટમ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડશે. તેમણે કહ્યું કે આ ટેકનોલોજીની મદદથી હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઘુસણખોર પાકિસ્તાની ડ્રોનને તાત્કાલિક ટ્રેક કરી શકશે અને તેનો નાશ કરી શકશે.
- Apr 30, 2025 12:52 IST
today live News : ચંડોળા તળાવ ડિમોલેશન પર ગૃહરાજ્યમંમત્રી હર્ષ સંઘવીનું નિવેદન
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં બે દિવસથી ચાલી રહેલા મેગા ડિમોલેશન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ચંડોળા તળાવની જગ્યા પર નિર્દોષ બાળકીઓને વૈશ્યાવૃત્તિ તરફ ધકેલવામાં આવતી હતી અહીંયા રહેતા લોકોનું આતંકી કનેક્શન પણ સામે આવ્યું હતું.
આ સાથે તળાવની ફરતે 1.25 લાખ સ્ક્વેર મીટરથી વધારે જગ્યાનું દબાણ કરવામાં આવ્યું હતું. જે દબાણને સરકાર સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરી રહી છે. આજે પણ એ કામ ચાલુ છે અને આવતીકાલે પણ કામ ચાલુ રહેશે. આજે સાંજે આ તમામ કાર્ય અંગેની ઓફિશિયલ વિગત જાહેર કરવામાં આવશે.
- Apr 30, 2025 09:50 IST
today live News : અમદાવાદ બાદ જૂનાગઢમાં મેગા ડિમોલીશન, 50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા નજીક આવેલા ધારાગઢ દરવાજા વિસ્તારમાં આજે વહેલી સવારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરી છે.
- Apr 30, 2025 09:47 IST
today live News : શેરબજાર ફ્લેટ, સોના ચાંદી વાયદા તૂટ્યા
સેન્સેક્સ નિફ્ટી બુધવારે વધીને ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડ થઇ રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80288 સામે આજે 80370 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 50 પોઇન્ટ વધીને 80330 આસપાસ ટ્રેડ થઇ રહ્યો છે. એશિયન બજારોમાં એકંદરે વધ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24335 સામે આજે 24342 ખુલ્યો હતો. સેન્સેક્સના 5 ટોપ ગેઇનરમાં પાવરગ્રીડ, એચડીએફસી બેંક, સન ફાર્મા, એનટીપીસી અને લાર્સનના શેર 1 થી દોઢ ટકા વધ્યા હતા. સોના ચાંદીમાં પણ નરમાઇ હતી. એમસીએક્સ પર સોનાનો વધારો 500 રૂપિયા અને ચાંદી વાયદો 1000 રૂપિયા ઘટ્યા હતા.
- Apr 30, 2025 08:04 IST
today live News : વિશાખાપટ્ટનમના નરસિંહ સ્વામી મંદિરમાં સ્ટેજ ધરાશાયી, 8 લોકોના મોત
વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયાં હતાં. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થિતિ જોઈને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિથા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. ચંદનોત્સવ દરમિયાન અચાનક 20 ફૂટ લાંબો સ્ટેજ ધરાશાયી થવાના કારણે આ ઘટના બની હતી.
- Apr 30, 2025 08:04 IST
today live News : કોલકાતાની હોટલમાં આગમાં 14ના મોત
પશ્ચિમ બંગાળમાં કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારની એક હોટલમાં મંગળવારે રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બુરાબજાર વિસ્તારમાં ઋતુરાજ હોટલના પરિસરમાં રાત્રે લગભગ 8.15 વાગ્યે આ ઘટના બની હતી.
- Apr 30, 2025 08:04 IST
today live News : આજે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં ફરી ડિમોલિશન કામગીરી શરૂ
અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે બુધવારે પણ સવારથી જ ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અહીં બે દિવસ ડિમોલિશનની કામગીરી હાથ ધરીને ગેરકાયદે દબળો દૂર કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us