/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fire.jpg)
કચ્છના ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક એક લાકડાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી (તસવીર - એએનઆઈ સ્ક્રિનગ્રેબ)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 31 March 2025, આજના તાજા સમાચાર: કચ્છના ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક એક લાકડાની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ નગરપાલિકા સહિત ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે હાજર છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટે વિજય
અશ્વિની કુમારના તરખાટ (4 વિકેટ) પછી રયાન રિકેલ્ટનની અણનમ અડધી સદીની (62) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતા 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.
દેશમાં ઈદની ધામધૂમથી ઉજવણી
પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 કલાકે નમાઝ અદા કરાઈ હતી. લખનૌની ઇદગાહમાં સવારે 10 વાગ્યે નમાઝ અદા કરવામાં આવશે. ઈદ પહેલા બજારોમાં ભારે રોનક જોવા મળી હતી. સોમવારે અમદાવાદની જામા મસ્જિદમાં મુસ્લિમ રહેવાસીઓ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે નમાજ અદા કરી હતી અને બાદમાં એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
- Mar 31, 2025 22:45 IST
Today News live : મુંબઈ ઇન્ડિયન્સનો 8 વિકેટે વિજય
અશ્વિની કુમારના તરખાટ (4 વિકેટ) પછી રયાન રિકેલ્ટનની અણનમ અડધી સદીની (62) મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતા 16.2 ઓવરમાં 116 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં મુંબઈએ 12.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. મુંબઈએ આ સિઝનમાં પ્રથમ જીત નોંધાવી છે.
- Mar 31, 2025 21:44 IST
Today News live : નેધરલેન્ડના વિદેશ મંત્રી પ્રથમ સત્તાવાર મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા
નેધરલેન્ડના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેમ્પ ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માટે દિલ્હી પહોંચ્યા.
watch दिल्ली: नीदरलैंड के विदेश मंत्री कैस्पर वेल्डकैंप भारत के अपने पहले आधिकारिक दौरे के लिए दिल्ली पहुंचे। pic.twitter.com/1GV64balcu
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
- Mar 31, 2025 17:33 IST
કચ્છના ગાંધીધામ ભચાઉ હાઇવે પર લાકડાની કંપનીમાં ભીષણ આગ
કચ્છના ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક એક લાકડાની કંપનીમાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ નગરપાલિકા સહિત ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે હાજર છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
watch | कच्छ, गुजरात: कच्छ के गांधीधाम भचाऊ हाईवे पर पेट्रोल पंप के पास एक लकड़ी कंपनी में भीषण आग लग गई। गांधीधाम नगर पालिका सहित दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। पेट्रोल पंप के कर्मचारियों को सुरक्षित निकाल लिया गया है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/BwTLN8fFM4
— ANI_HindiNews (@AHindinews) March 31, 2025
- Mar 31, 2025 13:49 IST
Today News live : વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર સનોજ મિશ્રાની ધરપકડ
મહા કુંભ મેળામાં તેની સુંદરતાના કારણે વાયરલ થયેલી મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. સનોજ મિશ્રાની પોલીસે બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે. તેણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
આરોપીની અરજી ફગાવી દેવાયા બાદ દિલ્હી પોલીસના નબી કરીમ પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરી હતી. સનોજ પર એક નાના શહેરની એક છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ છે જે હિરોઈન બનવાની ઈચ્છા ધરાવે છે.
- Mar 31, 2025 13:43 IST
Today News live : ઈદ ઉલ ફિત્રના દિવસે અમદાવાદની જામા મસ્જિદમાં મુસ્લિમ સમુદાયના લોકોએ નમાજ અદા કરી
સોમવારે અમદાવાદની જામા મસ્જિદમાં મુસ્લિમ રહેવાસીઓ ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે નમાજ અદા કરે છે અને બાદમાં એકબીજાને શુભેચ્છા પાઠવે છે.
- Mar 31, 2025 12:06 IST
Today News live : નવી શિક્ષણ નીતિના મુદ્દે સોનિયા ગાંધીએ કેન્દ્રને ઘેર્યું
ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દે કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની નરેન્દ્ર મોદી સરકારને ઘેરી લીધી છે. સોનિયાએ આરોપ લગાવ્યો કે સરકાર રાજકીય ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપીને જરૂરી ચર્ચા કર્યા વિના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાદી રહી છે.
વાસ્તવમાં, એક અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, સોનિયા ગાંધીએ આરોપ મૂક્યો હતો કે NEP 2020 એ સરકાર માટે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકતાના '3C'ના મુખ્ય એજન્ડાને આગળ ધપાવવાનું એક સાધન છે.
- Mar 31, 2025 10:48 IST
Today News live : 'યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકે નહીં': ડોનાલ્ડ ટ્રમ્પની ઝેલેન્સકીને મોટી ચેતવણી
રશિયા-યુક્રેન યુદ્ધને લઈને સતત શાંતિની પહેલ કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વનમાં પ્રવાસ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે યુક્રેન ક્યારેય નાટો જૂથમાં સામેલ થઈ શકે નહીં. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ઝેલેન્સકી ખનીજ સોદામાં પીછેહઠ કરવાનું વિચારી રહ્યા છે.
ખરેખર, યુક્રેનિયન અધિકારીઓ હાલમાં ખનીજ સોદાના નવીનતમ સંસ્કરણની સમીક્ષા કરી રહ્યા છે. આ અંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ માને છે કે ઝેલેન્સકી હવે કરાર પર હસ્તાક્ષર કરવા માંગતા નથી અને તેમણે ચેતવણી આપી હતી કે તેમના ઇનકારના ગંભીર પરિણામો આવશે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે તેઓ રેર લેન્ડ ડીલમાંથી પીછેહઠ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જો તેઓ કરશે તો તેમને કેટલીક સમસ્યાઓ થશે, ખૂબ મોટી સમસ્યાઓ.
- Mar 31, 2025 10:18 IST
Today News live : અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે ઓચિંતી આગ લાગી
અમદાવાદ શહેરના રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ઓચિંતી આગ લાગવાની ઘટના બની હતી. આગમાં બ્રિજ નીચે પાર્ક કરેલા 35 જેટલા વાહનો બળીને ખાખ થયા હતા. આગમાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ ખાક થઈ ગઈ હતી. જેમાં 22 ડિટેઇન કરેલાં વાહનો હતાં અને 11 ટુ વ્હીલર અન્ય લોકોનાં પાર્ક કરેલાં હતાં.
- Mar 31, 2025 09:08 IST
Today News live : ઈરાને અમેરિકા સાથે પરમાણુ કરાર પ્રસ્તાવને ફગાવ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ઈરાનને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે જો તે નવા પરમાણુ કરાર માટે સહમત નહીં થાય તો તેને ગંભીર બોમ્બ ધડાકા અને આર્થિક દબાણ સહિતના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાન પણ મિસાઈલ છોડવા માટે તૈયાર છે. જો કે મિસાઈલ હુમલા અંગે ઈરાન તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
- Mar 31, 2025 08:03 IST
Today News live : ગુજરાતમાં બે દિવસ હિટવેવ અને પછી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં અત્યારે ઉનાળો કે ચોમાસુ ચાલે છે એ ખબર પડતી નથી. વાતાવરણમાં ગમે ત્યારે ફેરફાર થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સૌરાષ્ટ્રના પોરબંદરમાં હીટવેવની આગાહી કરી હતી. જ્યારે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને ડાંગમાં વાવાઝોડા સાથે કમોસમી વરાસદ પડવાની શક્યતા છે.
- Mar 31, 2025 08:02 IST
Today News live : આજે દેશમાં ઈદની ઉજવણી
પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 કલાકે નમાઝ અદા કરાઈ હતી. લખનૌની ઇદગાહમાં સવારે 10 વાગ્યે નમાઝ અદા કરવામાં આવશે. ઈદ પહેલા બજારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
દિલ્હીના ચાંદની ચોક અને લખનઉના અમીનાબાદ જેવા બજારોમાં મોડી રાત સુધી લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. પોલીસ પણ તહેવારને લઈને બેદરકારી દાખવવાના મૂડમાં નથી, પછી તે દિલ્હી હોય કે બંગાળ હોય કે નાગપુર પોલીસે સુરક્ષા માટે એક ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે જેથી લોકો તેમનો તહેવાર શાંતિપૂર્વક ઉજવી શકે. ચાલો હવે જાણીએ કે વિવિધ રાજ્યોમાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us