Gujarati News 4 April 2025 : કલકત્તા હાઈકોર્ટે હાવડાથી રામનવમીની રેલીને મંજૂરી આપી, હથિયારો પર પ્રતિબંધ મૂક્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 April 2025: કોલકાતા પોલીસે સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને જીટી રોડ રસ્તા પર છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા રામનવમીના પરંપરાગત સરઘસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે હાઇકોર્ટે પરવાનગી આપી છે

Written by Ankit Patel
Updated : April 04, 2025 23:13 IST
Gujarati News 4 April 2025  : કલકત્તા હાઈકોર્ટે હાવડાથી રામનવમીની રેલીને મંજૂરી આપી, હથિયારો પર પ્રતિબંધ મૂક્યો
કલકત્તા હાઇકોર્ટ (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 4 April 2025, આજના તાજા સમાચાર: પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે કોલકાતા પોલીસ દ્વારા રેલી કાઢવાની મંજૂરી ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ કેસમાં હવે હાઇકોર્ટે આદેશ જારી કર્યો છે, જેમાં હિન્દુ સંગઠનોને રામનવમી પર રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ છે, પરંતુ શરતો પણ લાદવામાં આવી છે, જે અંતર્ગત રેલીમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કોલકાતા પોલીસે સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને જીટી રોડ રસ્તા પર છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા રામનવમીના પરંપરાગત સરઘસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

PM મોદી અને યુનુસ વચ્ચે વાતચીત BIMSTEC કોન્ફરન્સના ડિનરમાં સાથે બેઠા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ ગુરુવાર, 3 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મળ્યા હતા. આ બેઠક થાઈ વડા પ્રધાન પૈતોંગટાર્ન શિનાવાત્રા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજન દરમિયાન થઈ હતી.

ઓફિસિયલ પર એક તસવીર શેર કરવામાં આવી છે આ દરમિયાન થાઈલેન્ડના વડાપ્રધાને BIMSTEC નેતાઓનું સ્વાગત કર્યું. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાએ મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદને ટાંકીને જણાવ્યું હતું કે બંને નેતાઓ સત્તાવાર રાત્રિભોજન દરમિયાન એકબીજાને મળ્યા હતા.

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું. તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત, તેમણે ‘ભારત કુમાર’ ઉપનામ મેળવ્યું હતું.

મનોજ કુમારના અવસાન પર, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘…મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર, અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’ મનોજ કુમારજી હવે અમારી વચ્ચે નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ બહુ મોટી ખોટ છે અને આખી ઈન્ડસ્ટ્રી તેને યાદ કરશે.

Live Updates

Today News live : અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ

ભરૂચના અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે આગ ઓલવવાની કામગીરી શરુ કરી દીધી છે.

Today News live : કલકત્તા હાઈકોર્ટે હાવડાથી રામનવમીની રેલીને મંજૂરી આપી

પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે કોલકાતા પોલીસ દ્વારા રેલી કાઢવાની મંજૂરી ન અપાતા આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ કેસમાં હવે હાઇકોર્ટે આદેશ જારી કર્યો છે, જેમાં હિન્દુ સંગઠનોને રામનવમી પર રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ છે, પરંતુ શરતો પણ લાદવામાં આવી છે, જે અંતર્ગત રેલીમાં હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કોલકાતા પોલીસે સુરક્ષાની ચિંતાનું કારણ આગળ ધરીને જીટી રોડ રસ્તા પર છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા રામનવમીના પરંપરાગત સરઘસને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

Today News live : સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટ્યો, ટાટા મોટર્સમાં 4 ટકાનો કડાકો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં ઘટાડો યથાવત્ છે. સેન્સેક્સ પાછલા બંધ 76295 સામે નીચા ગેપમાં શુક્રવારે 76160 ખુલ્યો હતો. ટાટા મોટર્સ 4.5 ટકા, ટાટા સ્ટીલ 3.5 ટકા અને રિલાયન્સ, લાર્સન અને મારૂતિ સુઝુકીના શેર 2 થી 3.5 ટકા સુધી ડાઉન હતા. જેના પગલે શેરબજાર 500 પોઇન્ટ જેટલું ઘટી નીચામાં 75678 સુધી ગયું હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23250 સામે આજે 23190 ખુલ્યો હતો. બેંક નિફ્ટી ફ્લેટ જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 500 પોઇન્ટ ડાઉન હતો.

Today News live : PM મોદી અને યુનુસ વચ્ચે આજે થશે વાતચીત? BIMSTEC કોન્ફરન્સના ડિનરમાં સાથે બેઠા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ ગુરુવાર, 3 એપ્રિલના રોજ બેંગકોકમાં BIMSTEC સમિટની બાજુમાં મળ્યા હતા. આ બેઠક થાઈ વડા પ્રધાન પૈતોંગટાર્ન શિનાવાત્રા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિભોજન દરમિયાન થઈ હતી.

ઓફિસિયલ પર એક તસવીર શેર કરવામાં આવી છે આ દરમિયાન થાઈલેન્ડના વડાપ્રધાને BIMSTEC નેતાઓનું સ્વાગત કર્યું. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાએ મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ આઝાદને ટાંકીને જણાવ્યું હતું કે બંને નેતાઓ સત્તાવાર રાત્રિભોજન દરમિયાન એકબીજાને મળ્યા હતા. વચગાળાની સરકાર બેંગકોકમાં BIMSTEC સમિટની બાજુમાં પ્રથમ વખત બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો કરવા આતુર છે. બાંગ્લાદેશને આશા છે કે ભારત તરફથી લીલી ઝંડી મળ્યા બાદ દ્વિપક્ષીય મંત્રણા થશે.

Today News live : સાઈબર માફિયાઓએ વડોદરાની મહિલા સાડાસાત મહિના ડિજિટલ એરેસ્ટ રાખી

અત્યારે સાઈબર ફ્રોડના કિસ્સાઓમાં નવો પ્રકાર આવ્યો છે. ડિજિટલ અરેસ્ટની નવા પ્રકારની રીતથી સાઈબર માફિયાઓએ અનેક લોકોને ઠગ્યા છે. ત્યારે વડોદરાની મહિલા સાડાસાત મહિના ડિજિટલ એરેસ્ટ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. . મુંબઈ ક્રાઇમ બ્રાંચમાંથી બોલું છું, કહીને સાયબરમાફિયાઓએ મહિલા પાસેથી 1.89 કરોડ રૂપિયા પડાવ્યા.

Today News live : આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગહી

ગુજરાતમાં એક તરફી અગન વર્ષા થઈ રહી છે તો બીજી તરફ વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, જૂનાગઢ, કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે પવન તેમજ ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.

Today News live : મનોજ કુમારના અવસાન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે શું કહ્યું?

મનોજ કુમારના અવસાન પર ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કહ્યું, ‘…મહાન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મેળવનાર, અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના ‘સિંહ’ મનોજ કુમારજી હવે અમારી વચ્ચે નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ બહુ મોટી ખોટ છે અને આખી ઈન્ડસ્ટ્રી તેને યાદ કરશે.

Today News live : દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન

દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે અવસાન થયું. તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત, તેમણે ‘ભારત કુમાર’ ઉપનામ મેળવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ