Today News Updates : રાજકોટમાં ટ્રકે બે એક્ટિવાને અડફેટે લીધા, સાસુ વહુનું મોત, પિતા પુત્ર ઘાયલ

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 May 2025: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગોંડલ રોડ ઉપર કોરાટ ચોક નજીક જનોઈ પ્રસંગમાં હાજરી આપીને બે એક્ટિવા પર પરત ઘરે જતાં પરિવારને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા.

Written by Ankit Patel
Updated : May 05, 2025 23:13 IST
Today News Updates : રાજકોટમાં ટ્રકે બે એક્ટિવાને અડફેટે લીધા, સાસુ વહુનું મોત, પિતા પુત્ર ઘાયલ
અકસ્માતની પ્રતિકાત્મક તસવીર - Social media)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 5 May 2025, આજના તાજા સમાચાર: રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગોંડલ રોડ ઉપર કોરાટ ચોક નજીક જનોઈ પ્રસંગમાં હાજરી આપીને બે એક્ટિવા પર પરત ઘરે જતાં પરિવારને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેના પગલે સાસુ વહુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પાકિસ્તાને સતત 11મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન માટે આકરું વલણ અપનાવ્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ બની ગયું છે અને ત્યારથી પોતાની અવળચંડાઈ દેખાડવાનું પણ શરું કરી દીધું છે. પાકિસ્તાન એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “4-5 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.”

ઉલ્લેખનીય છે કે ભારતે પાકિસ્તાનથી ઉદ્ભવતા અથવા નિકાસ થતા તમામ માલના પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત અને પરિવહન પર તાત્કાલિક અને વ્યાપક પ્રતિબંધ લાદ્યો છે, જેનાથી દ્વિપક્ષીય વેપાર અસરકારક રીતે ઠપ્પ થઈ ગયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શનિવારે એક ગેઝેટ સૂચના દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી, જેમાં આ પગલાને યોગ્ય ઠેરવવા માટે વિદેશી વેપાર (વિકાસ અને નિયમન) અધિનિયમ, 1992 અને વિદેશી વેપાર નીતિ 2025 ની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

Live Updates

today live News : અમદાવાદમાં ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી

ગુજરાતમાં હવામાન વિભાગે ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી કરી છે. આ આગાહીના પગલે અમદાવાદ શહેરમાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. જેના કારણે વાહનચાલકો પરેશાન જોવા મળ્યા હતા.

today live News : વહીવટીતંત્રે અખનૂરમાં લોકોને કહ્યું - ચિનાબ નદીનું પાણીનું સ્તર ટૂંક સમયમાં વધશે

બગલિહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કર્યા પછી અખનૂરમાં ચિનાબ નદીના પાણીના સ્તરમાં ઘટાડો થતાં પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે અખનૂરમાં એકઠા થયેલા લોકો માટે એક જાહેરાત કરી. તેમણે કહ્યું કે ચિનાબ નદીનું પાણીનું સ્તર ટૂંક સમયમાં વધવાનું છે. આપ સૌને નદીમાંથી બહાર આવવા વિનંતી છે.

today live News : બનાસકાંઠા બન્યો સામાન્ય પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો

ગુજરાત બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાએ બાજી મારી છે.97.20 ટકા પરિણામ સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં પ્રથામ સ્થાને આવ્યો છે. ગત વર્ષે 96.40 ટકા સાથે બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો હતો. જ્યારે 87.77 ટકા પરિણામ સાથે વડોદરા જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ગત વર્ષે 84.81 ટકા પરિણામ સાથે જુનાગઢ જિલ્લો રાજ્યમાં તળિયે હતો.

today live News : મોરબી બન્યો વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો

ગુજરાત બોર્ડે જાહેર કરેલા વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં મોરબી જિલ્લો 92.91 ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સાથે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો દાહોદ છે. જેનું પરિણામ 54.48 ટકા આવ્યું છે. ગત વર્ષના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પણ મોરબી જિલ્લો 92.80 ટકા સાથે રાજ્યમાં અવ્વલ રહ્યો હતો. જ્યારે ગત વર્ષે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર હતો જેનું પરિણામ 51.36 ટકા રહ્યું હતું.

today live News : ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર

ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટ્સ પરીક્ષામાં 3,64,485 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.જે પૈકી 3,62,506 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,37,387 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદાવરો નોંધાયા હતા. જે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 9785 ઉમેદવારો સફળ થયા હતા. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 ટકા આવ્યું છે.

today live News : વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર કર્યું છે. મુખ્ય પરીક્ષા 2025 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કૂલ 152 કેન્દ્રો ઉપર 1,11,223 પરીક્ષાર્થી નોંધાયેલ હતા. તે પૈકી 1,10,395 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા.જેમાં નિયમતિ વિદ્યાર્થીઓ 1,00,725 નોંધાયા હતા. તે પૈકી 1,00,575 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા આવ્યું છે.

today live News : સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, અદાણી પોર્ટ્સ ટોપ ગેઇનર

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે પોઝિટિવ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80501 સામે સોમવારે 150 પોઇન્ટ વધીને 80661 ખુલ્યો હતો. અદાણી પોર્ટ્સ અને એશિયન પેઇન્ટ સહિત પસંદગીના બ્લુ ચીપ શેરમાં તેજીથી સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 80900 ઉપર પહોંચ્યો હતો. જો કે ત્યારબાદ પુલ બેક થઇ 300 પોઇન્ટની મજબૂતીમાં 80800 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24346 સામે આજે 24419 ખુલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ વધીને 24450 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એશિયન શેરબજારોમાં એકંદરે પોઝિટિવ ટ્રેન્ડ હતો.

today live News : રાજકોટમાં ટ્રકે બે એક્ટિવાને અડફેટે લીધા, સાસુ વહુનું મોત, પિતા પુત્ર ઘાયલ

રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં ગોંડલ રોડ ઉપર કોરાટ ચોક નજીક જનોઈ પ્રસંગમાં હાજરી આપીને બે એક્ટિવા પર પરત ઘરે જતાં પરિવારને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા. જેના પગલે સાસુ વહુનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પિતા પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

today live News :આજે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને ધો-12 ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ છે. આજે (5 મે) સવારે 10.30 વાગ્યે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી માહિતી આપી છે.

today live News : પાકિસ્તાને સતત 11મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન માટે આકરું વલણ અપનાવ્યા બાદ પાકિસ્તાન સ્તબ્ધ બની ગયું છે અને ત્યારથી પોતાની અવળચંડાઈ દેખાડવાનું પણ શરું કરી દીધું છે. પાકિસ્તાન એલઓસી પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “4-5 મે 2025 ની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાએ તાત્કાલિક અને યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ