Today News updates : ભારત-બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, બંન્ને દેશો વચ્ચે ઐતિહાસિક કરાર પર સમજુતી

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 May 2025: પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે બંને દેશોના નેતાઓએ તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને વેગ આપશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 May 2025: પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે બંને દેશોના નેતાઓએ તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને વેગ આપશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi, UK PM Keir Starmer

ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આ કરાર ખૂબ જ મહત્વ છે (Credit: x/@narendramodi)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 6 May 2025, આજના તાજા સમાચાર: ભારત અને બ્રિટન વચ્ચે મોટો કરાર થયો છે. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોને તેનો ફાયદો થશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે આજે ટેલિફોન પર વાતચીત થઈ હતી.

Advertisment

પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે બંને દેશોના નેતાઓએ તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને વેગ આપશે. બંને દેશો એ વાત પર સંમત થયા હતા કે બે મોટા અને ખુલ્લા બજારના અર્થતંત્રો વચ્ચે થયેલી ઐતિહાસિક સમજૂતીઓથી વેપાર-વાણિજ્ય માટે નવી તકો ખુલશે, આર્થિક સંબંધો મજબૂત થશે અને લોકો વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનશે.

મહીસાગરમાં ફરી વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિ વચ્ચે આજે મંગળવારે મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાનું શરું થયું છે. તો બીજી તરફ ગુજરાતમાં સોમવારે રાત્રે પડેલા વરસાદના પગલે રાજ્યમાં કેટલાક હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે યુએન વડાએ બંને દેશોને આપી સલાહ

ભારત-પાકિસ્તાન તણાવ અંગે, એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હવે મહત્તમ સંયમ રાખવાનો અને તણાવ ઓછો કરવાનો સમય છે. યુએનના વડાએ કહ્યું કે યુએન તણાવ ઘટાડવા માટેની કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે. બંને દેશો વચ્ચેના તણાવ પર, યુએન વડાએ કહ્યું કે લશ્કરી ઉકેલ એ કોઈ ઉકેલ નથી, કોઈ ભૂલ ન કરો.

Advertisment

પહેલગામ હુમલાની નિંદા કરતા, યુએનના વડાએ કહ્યું કે નાગરિકોને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે અને જવાબદારોને વિશ્વસનીય, કાયદેસર માધ્યમો દ્વારા ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. હું બંને દેશોની સરકારો અને લોકો અને યુએન શાંતિ રક્ષામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનનો ખૂબ આદર કરું છું અને તેમનો આભારી છું, તેથી મને દુઃખ છે કે તેમના સંબંધો આટલા બગડ્યા છે."

  • May 06, 2025 22:38 IST

    today live News : ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, બંન્ને દેશો વચ્ચે ઐતિહાસિક કરાર પર સમજુતી

    ભારત અને બ્રિટન વચ્ચે મોટો કરાર થયો છે. ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થયા છે. બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોને તેનો ફાયદો થશે. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે આજે ટેલિફોન પર વાતચીત થઈ હતી.

    પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કે બંને દેશોના નેતાઓએ તેને દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ગણાવ્યું છે જે બંને અર્થવ્યવસ્થાઓમાં વેપાર, રોકાણ, નવીનતા અને રોજગાર સર્જનને વેગ આપશે. બંને દેશો એ વાત પર સંમત થયા હતા કે બે મોટા અને ખુલ્લા બજારના અર્થતંત્રો વચ્ચે થયેલી ઐતિહાસિક સમજૂતીઓથી વેપાર-વાણિજ્ય માટે નવી તકો ખુલશે, આર્થિક સંબંધો મજબૂત થશે અને લોકો વચ્ચેનાં સંબંધો વધુ ગાઢ બનશે.



  • May 06, 2025 19:52 IST

    today live News : રાજ્યમાં સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે

    પાકિસ્તાન સાથે યુદ્ધની આશંકાને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 7 મે ના રોજ મોકડ્રીલના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી. જે અનુસાર, ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. જ્યારે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે



  • May 06, 2025 18:56 IST

    today live News :મહારાષ્ટ્રના CSMT ખાતે મોક ડ્રીલનું રિહર્સલ

    મધ્ય રેલવે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે મોક ડ્રીલનું રિહર્સલ કરી રહ્યું છે. RPF ટીમ તેના સ્નિફર ડોગ્સ અને અન્ય ગેજેટ્સ અને સાધનો સાથે રિહર્સલ કરી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) May 6, 2025



  • May 06, 2025 12:40 IST

    today live News : ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત

    સોમવારે રાત્રે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદે ગુજરાતમાં ઠેકઠેકાણે તારાજી સર્જી હતી. જેના પગલે જાનમાલનું મોટું નુકસાન પણ થવા પામ્યું છે. અત્યારે સુધીમાં ગુજરાતમાં કુલ 14 લોકોના મોત નીપજ્યા છે.



  • May 06, 2025 09:54 IST

    today live News : આજે મહીસાગરમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ

    ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિ વચ્ચે આજે મંગળવારે મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં સવારથી વરસાદ પડવાનું શરું થયું છે. તો બીજી તરફ ગુજરાતમાં સોમવારે રાત્રે પડેલા વરસાદના પગલે રાજ્યમાં કેટલાક હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે.



  • May 06, 2025 08:06 IST

    today live News : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે યુએન વડાએ બંને દેશોને આપી સલાહ

    ભારત-પાકિસ્તાન તણાવ અંગે, એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે હવે મહત્તમ સંયમ રાખવાનો અને તણાવ ઓછો કરવાનો સમય છે. યુએનના વડાએ કહ્યું કે યુએન તણાવ ઘટાડવા માટેની કોઈપણ પહેલને સમર્થન આપવા તૈયાર છે. બંને દેશો વચ્ચેના તણાવ પર, યુએન વડાએ કહ્યું કે લશ્કરી ઉકેલ એ કોઈ ઉકેલ નથી, કોઈ ભૂલ ન કરો.

    પહેલગામ હુમલાની નિંદા કરતા, યુએનના વડાએ કહ્યું કે નાગરિકોને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે અને જવાબદારોને વિશ્વસનીય, કાયદેસર માધ્યમો દ્વારા ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.

    યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, "ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણા વર્ષોમાં સૌથી વધુ છે. હું બંને દેશોની સરકારો અને લોકો અને યુએન શાંતિ રક્ષામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનનો ખૂબ આદર કરું છું અને તેમનો આભારી છું, તેથી મને દુઃખ છે કે તેમના સંબંધો આટલા બગડ્યા છે."



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ