/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/CWC.jpg)
અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી (તસવીર - કોંગ્રેસ ટ્વિટર)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 April 2025, આજના તાજા સમાચાર: અમદાવાદમાં સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની CWCની બેઠક મળી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત CWCના સભ્યો હાજર રહ્યા હતા.
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ પર એક વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. પ્રથમ -રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાતને લઇને જે રાજકીય સ્થિતિ છે તે પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે AICC માં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલના પ્રસ્તાવમાં કોંગ્રેસના સામાજિક ન્યાય, રાજકીય ન્યાય, આર્થિક ન્યાય અંગે શું એજન્ડા તેના પર આવતીકાલે વિગતવાર ચર્ચા થશે. લોકો આ અંગે પોતાનો અભિપ્રાય આપશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓએ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પાવન ધરા ઉપર નવી શરૂઆત થવા જઈ રહી છે. દેશવાસીઓના આર્થિક, સામાજિક વિકાસ માટે નવા સંકલ્પ સાથે કોંગ્રેસની બેઠક થવા જઈ રહી છે. આજે જુદા-જુદા કાર્યક્રમો થશે. આવતીકાલે સવારે 9થી 5 વાગે સુધી કોંગ્રેસનું નેતૃત્વ, અત્યારની સાંપ્રત પરિસ્થિતિ અને બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. અંતે સંકલ્પ પત્ર સાથે કાર્યક્રમ પૂરો કરાશે.
નશામાં ધૂત કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા
વડોદારમાં હજી રક્ષિતકાંડના પડઘા શાંત થયા નથી ત્યાં વડોદરામાં બીજો રક્ષિતકાંડ સર્જાયો હતો. નશામાં ધૂત કારચાલકે 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જોકે, લોકોએ કાર ચાલકને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માત શહેરના ખોડીયારનગર ચાર રસ્તાથી એસ.આર. પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે, બળીયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એકબાદ એક અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી હતી.
- Apr 08, 2025 20:18 IST
Today News live : ગરમીને કારણે પી ચિદમ્બરમની તબિચત બગડી
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ ગરમીને કારણે સાબરમતી આશ્રમમાં બેભાન થઈ ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
watch अहमदाबाद, गुजरात: कांग्रेस नेता पी चिदंबरम साबरमती आश्रम में गर्मी के कारण बेहोश हो गए और उन्हें अस्पताल ले जाया गया। pic.twitter.com/676cNzmOPo
— ANI_HindiNews (@AHindinews) April 8, 2025
- Apr 08, 2025 19:13 IST
Today News live : સોનિયા ગાંધી, રાહુલ ગાંધીએ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓએ સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.
watch गांधीनगर (गुजरात): कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खरगे, कांग्रेस संसदीय दल की अध्यक्ष सोनिया गांधी, लोकसभा में नेता प्रतिपक्ष और कांग्रेस सांसद राहुल गांधी और अन्य कांग्रेस नेता साबरमती आश्रम में प्रार्थना सभा में शामिल हुए। pic.twitter.com/qO9BDIpHFB
— ANI_HindiNews (@AHindinews) April 8, 2025
- Apr 08, 2025 18:48 IST
Today News live : સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ગાંધી આશ્રમ પહોંચ્યા
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે ગાંધી આશ્રમ પહોંચ્યા છે. જ્યાં તેમણે હ્રદય કુંજની મુલાકાત લીધી હતી.
- Apr 08, 2025 17:03 IST
Today News live : CWCની બેઠક પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે શું કહ્યું
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠક અંગે કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલ પર એક વિશેષ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય બે પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. પ્રથમ -રાષ્ટ્રીય મુદ્દાઓ અને ગુજરાતને લઇને જે રાજકીય સ્થિતિ છે તે પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે AICC માં આ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આવતીકાલના પ્રસ્તાવમાં કોંગ્રેસના સામાજિક ન્યાય, રાજકીય ન્યાય, આર્થિક ન્યાય અંગે શું એજન્ડા તેના પર આવતીકાલે વિગતવાર ચર્ચા થશે. લોકો આ અંગે પોતાનો અભિપ્રાય આપશે.
- Apr 08, 2025 16:16 IST
Today News live : સચિન પાયલોટે કહ્યું - ગુજરાત એવી ભૂમિ છે જ્યાં કોંગ્રેસના મૂળ હંમેશા મજબૂત રહ્યા છે
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે ગુજરાત એવી ભૂમિ છે જ્યાં કોંગ્રેસના મૂળ હંમેશા મજબૂત રહ્યા છે. આવનારા સમય માટે જે રણનીતિ થશે, જે કાર્ય યોજના હશે તેની પર આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ. અમે 2025ને સંગઠનને સમર્પિત વર્ષ તરીકે જાહેર કર્યું છે. મલ્લિકાર્જુન ખડગેજી અને રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે 2025નું વર્ષ બૂથથી લઇ રાજ્ય અને દેશ સુધી કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા, પોતાની વિચારધારાને વિસ્તૃત કરવા અને સંસદની અંદર અને બહાર ભાજપ-એનડીએ સરકારને પડકારવા માટેનું હશે. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેજીના નેતૃત્વમાં અમે સંપૂર્ણ કોંગ્રેસ કાર્યકર્તા કરશે.
- Apr 08, 2025 14:43 IST
Today News live : અમદાવાદના સરદાર સ્મારકમાં CWCની બેઠક શરુ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર
અમદાવાદમાં વર્ષો પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. અમદાવાદના સરદાર પટેલ સ્મારકમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશન શરુ થયું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.
- Apr 08, 2025 12:35 IST
Today News live : રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગે સરદાર સ્મારક પહોંચ્યા
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગે લેવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં આવી ચૂક્યા છે ત્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે ત્રણેય દિગ્ગજ નેતા સરદાર સ્મારક પહોંચ્યા છે. આ ત્રણેય નેતાઓ સૌ પ્રથમ મ્યુઝિયમમાં જશે.
- Apr 08, 2025 11:32 IST
Today News live : જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ બંનેએ આધુનિક ભારતના નિર્માણમાં ફાળો આપ્યો હતો : કોંગ્રેસના મહામંત્રી (સંચાર) જયરામ રમેશ
કોંગ્રેસના મહામંત્રી (સંચાર) જયરામ રમેશે જમાવ્યું હતુ કે, 1901માં અમદાવાદમાં કોંગ્રેસની પ્રથમ બેઠક મળી હતી. ત્યારબાદ સુરેન્દ્રનાથ બેનર્જીજીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ 1907માં સુરતમાં એક સભા થઈ, ત્યારે રાસ બિહારી ઘોષ પ્રમુખ હતા. અમે વર્ષ 1921માં અમદાવાદ પાછા આવ્યા અને તે બેઠકની અધ્યક્ષતા હકીમ અજમલ ખાને કરી.
ત્યારબાદ 1938માં ઐતિહાસિક હરિપુરા અધિવેશન થયું, જેમાં પ્રથમ વખત એક ગામમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને તેની અધ્યક્ષતા નેતાજી સુભાષચંદ્ર બોઝે કરી. વર્ષ 1961માં ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું, જેની અધ્યક્ષતા નીલમ સંજીવ રેડ્ડીજીએ કરી હતી.
હવે અમે છઠ્ઠી વખત ગુજરાત આવ્યા છીએ અને આ વખતે સત્રની અધ્યક્ષતા મલ્લિકાર્જુન ખડગે જી કરશે. સરદાર પટેલ જીની જન્મજયંતિને 150 વર્ષ પૂર્ણ થયા છે અને સરદાર પટેલ સ્મારક ખાતે યોજાનારી વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકનું વિશેષ મહત્વ છે. કારણ કે સરદાર પટેલ જીનો કોંગ્રેસ, મહાત્મા ગાંધીજી અને જવાહરલાલ નેહરુજી સાથે અતૂટ સંબંધ હતો.
જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલ બંનેએ આધુનિક ભારતના નિર્માણમાં ફાળો આપ્યો હતો. આ બંને કોંગ્રેસના સૈનિક હતા અને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કામ કર્યું હતું.
- Apr 08, 2025 11:25 IST
Today News live : રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા
કોંગ્રેસ વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં યોજાનાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. જ્યાં એક જ ગાડીમાં બેસીને તેઓ હોટલ જવા માટે રવાના થયા હતા.ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયાની લંડનની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી રાહુલ-સોનિયાની ફ્લાઇટને ઉતરવામાં વિલંબ થયો હતો. ફ્લાઇટ ચેક કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહુલ ગાંધીના ચાર્ટરને નીચે ઉતારવાની મંજૂરી મળી હતી.
- Apr 08, 2025 10:01 IST
Today News live : કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન આજનો શું કાર્યક્રમ છે?
આજે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી CWCની બેઠક
કોંગ્રેસ અધિવેશન બેઠકમાં સભ્યો સહિત 156 લોકો ભાગ લેશે
નેતાઓ સરદારને સુતરાંજલિ અર્પણ કરશે
સુતરાંજલિ બાદ મેમોરિયલની વિઝિટ કરાવાશે
ફોટો સેશન થયા બાદ મિટિંગનો આરંભ થશે
મિટિંગ દરમિયાન હળવો નાસ્તો અપાશે
5 વાગ્યે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થનાસભા યોજાશે
કોંગ્રેસના તમામનેતા એક સાથે બસમાં આશ્રમ જશે
રિવરફ્રન્ટ પર 7.45 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
- Apr 08, 2025 09:47 IST
Today News live : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અંગે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પાવન ધરા ઉપર નવી શરૂઆત થવા જઈ રહી છે. દેશવાસીઓના આર્થિક, સામાજિક વિકાસ માટે નવા સંકલ્પ સાથે કોંગ્રેસની બેઠક થવા જઈ રહી છે. આજે જુદા-જુદા કાર્યક્રમો થશે. આવતીકાલે સવારે 9થી 5 વાગે સુધી કોંગ્રેસનું નેતૃત્વ, અત્યારની સાંપ્રત પરિસ્થિતિ અને બધા મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. અંતે સંકલ્પ પત્ર સાથે કાર્યક્રમ પૂરો કરાશે.
- Apr 08, 2025 09:26 IST
Today News live : સેન્સેક્સ 1100 પોઇન્ટ ઉછળ્યો, ટાટા ગ્રૂપ શેરમાં રિકવરી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 73137 સામે 876 પોઇન્ટના ઉછાળે આજે 74013 ખુલ્યો છે. ટાટા ગ્રૂપ શેરમાં તેજીથી માર્કેટને સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સના તમામ 30 બ્લુ ચીપ વધતા સેન્સેક્સ 1100 પોઇન્ટ કરતા વધુ ઉછળી 74400 લેવલ ક્રોસ કરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22161 સામે આજે વધીને 22446 ખુલ્યો છે. નિફ્ટી 350 પોઇન્ટ વધીને ટ્રેક કરી રહ્યો છે. સેન્સેક્સના ટોપ 5 ગેઇનરમાં ટાયટન, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, એક્સિસ બેંક, ટાટા મોટર્સના શેર 3 થી 5 ટકા ઉછળ્યા છે. બેંક નિફ્ટી 725 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટ વધ્યા છે.
- Apr 08, 2025 09:02 IST
Today News live : જલંધરમાં પૂર્વ કેબિનેટ મંત્રીના ઘરે જોરદાર વિસ્ફોટ થતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો
જલંધરમાં બીજેપી નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર સવારે લગભગ 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો. એવી આશંકા છે કે તેના ઘર પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો છે, જોકે પોલીસ હજી તેની તપાસ કરી રહી છે. ત્યારપછી જ સ્પષ્ટ થશે કે આ ગ્રેનેડ હુમલો હતો કે બીજું કંઈક. પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે.
જલંધર પોલીસ કમિશ્નર ધનપ્રીત કૌરે મીડિયાને કહ્યું, 'અમને બપોરે 1 વાગ્યાની આસપાસ માહિતી મળી કે અહીં વિસ્ફોટ થયો છે. અમે અને ફોરેન્સિક ટીમે અહીં આવીને બધું તપાસ્યું છે. અમે એફઆઈઆર નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન પર પણ તકેદારી વધારી દેવામાં આવી છે. ફોરેન્સિક ટીમે તપાસ માટે સેમ્પલ લીધા છે અને અમને જે પણ માહિતી મળશે તે અમે તમારી સાથે શેર કરીશું.
- Apr 08, 2025 08:30 IST
Today News live : વડોદરામાં ફરી રક્ષિતવાળી, નશામાં ધૂત કારચાલકે 10 વાહનોને અડફેટે લીધા
વડોદારમાં હજી રક્ષિતકાંડના પડઘા શાંત થયા નથી ત્યાં વડોદરામાં બીજો રક્ષિતકાંડ સર્જાયો હતો. નશામાં ધૂત કારચાલકે 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જોકે, લોકોએ કાર ચાલકને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માત શહેરના ખોડીયારનગર ચાર રસ્તાથી એસ.આર. પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે, બળીયાદેવના મંદિર નજીક કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા 10 વાહનોને એકબાદ એક અડફેટે લેતા નાસભાગ મચી જવા પામી હતી.
- Apr 08, 2025 08:30 IST
Today News live : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદમાં
અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસના મોટા નેતાઓનું અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, શશી થરૂર, અશોક ગેહલોત સહિતના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 8 એપ્રિલના રોજ સવારે 8:45 વાગ્યે અમદાવાદ આવશે. એરપોર્ટથી તેઓ હયાત જશે અને ત્યાંથી CWC બેઠક માટે જશે.
- Apr 08, 2025 08:29 IST
Today News live : આજથી બે દિવસ અમદવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
ગુજરાતમાં લગભગ 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઇ રહ્યું છે. અમદાવાદમાં આ અધિવેશન આજે 8 એપ્રિલ 2025 અને આવતી કાલે 9 એપ્રિલ 2025ના રોજ યોજાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us