Gujarati News 8 March 2025 : મણિપુરમાં ફ્રી મૂવમેન્ટના પહેલા જ દિવસે કુકી પ્રદર્શનકારીઓની સુરક્ષા દળો સાથે ઝડપ, એકનું મોત

India Gujarat Today Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 March 2025: મણિપુરમાં લગભગ 2 વર્ષ બાદ ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ કુકી અને મૈતેઇના પ્રભુત્વવાળા વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. કુકી સમુદાયના સભ્યો મુક્ત અવરજવરનો વિરોધ કરી રહ્યા હતા અને મૈતઈ સમુદાયને લઈ જતા બીએસએફના કાફલાને અટકાવ્યો હતો

Written by Ankit Patel
Updated : March 08, 2025 23:31 IST
Gujarati News 8 March 2025 : મણિપુરમાં ફ્રી મૂવમેન્ટના પહેલા જ દિવસે કુકી પ્રદર્શનકારીઓની સુરક્ષા દળો સાથે ઝડપ, એકનું મોત
મણિપુરમાં લગભગ 2 વર્ષ બાદ ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ કુકી અને મૈતેઇના પ્રભુત્વવાળા વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 March 2025, આજના તાજા સમાચાર: મણિપુરમાં લગભગ 2 વર્ષ બાદ ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ કુકી અને મૈતેઇના પ્રભુત્વવાળા વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. કુકી સમુદાયના સભ્યો મુક્ત અવરજવરનો વિરોધ કરી રહ્યા હતા અને મૈતઈ સમુદાયને લઈ જતા બીએસએફના કાફલાને અટકાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં તૈનાત સુરક્ષા દળો અને પોલીસકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 27 ઇજાગ્રસ્ત થયા હતા.

PM મોદીએ નવસારીમાં G સફળ, G મૈત્રી યોજનાનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે 8 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં છે. તેમણે લખપતિ દીદી સાથે સંવાદ કર્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કર્યો હતો. જેમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમણે અહીં G સફળ, G મૈત્રી યોજનાનું કર્યું લોકાર્પણ કર્યું હતું.

એકનાથ શિંદેએ કહ્યું – ડબલ એન્જિન સરકાર લાડલી બહેનોની સાથે છે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે બધી લાડલી બહેનોને સક્ષમ, આત્મનિર્ભર બનાવવી, આત્મનિર્ભર બનાવવી, આત્મસન્માન આપવું તે અમારી જવાબદારી છે અને આ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. ડબલ એન્જિન સરકાર લાડલી બહેનોની સાથે છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રમાશે હોળી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓને હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. અગાઉ મેનેજમેન્ટ દ્વારા આ માટે પરવાનગી આપવામાં આવી ન હતી અને તેના કારણે ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો. પરંતુ હવે NRSC હોલમાં 13 અને 14 માર્ચે હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા કે તેઓને 9 માર્ચે ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી મળવી જોઈએ. વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમણે માંગણી સાથે પત્ર પણ લખ્યો હતો. પરંતુ તે માંગ પહેલા સ્વીકારવામાં આવી ન હતી.

એક પ્રોફેસરે તો ત્યાં સુધી કહ્યું કે વિદ્યાર્થીઓ તેમના રૂમમાં હોળીની ઉજવણી કરી શકે છે, તેઓ અગાઉ પણ આ રીતે ઉજવણી કરતા આવ્યા છે. પરંતુ આને લઈને ઘણો વિવાદ થયો હતો, કેટલાક નેતાઓએ તેને હિન્દુ આસ્થા સાથે પણ જોડ્યો હતો. જ્યારે સતત દબાણ હતું ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પીછેહઠ કરવી પડી હતી અને હવે 13 અને 14 માર્ચે હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે.

બાગડોગરામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું

ભારતીય વાયુસેનાનું વિમાન પશ્ચિમ બંગાળના બાગડોગરા વિસ્તારમાં ક્રેશ થયું છે. આ ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હતું. વિમાનમાં હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિમાનને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કરી રહી છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ કહ્યું, ‘આજે બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. સ્થળ પરથી વિમાનને કબજે કરવામાં આવી રહ્યું છે. એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.’ AN-32 એ સોવિયેત મૂળનું લશ્કરી પરિવહન વિમાન છે. તે ભારતીય વાયુસેના માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

Live Updates

મણિપુરમાં ફ્રી મૂવમેન્ટના પહેલા જ દિવસે કુકી પ્રદર્શનકારીઓની સુરક્ષા દળો સાથે ઝડપ, એકનું મોત

મણિપુરમાં લગભગ 2 વર્ષ બાદ ફ્રી ટ્રાફિક મૂવમેન્ટ શરૂ થતાં જ કુકી અને મૈતેઇના પ્રભુત્વવાળા વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી. કુકી સમુદાયના સભ્યો મુક્ત અવરજવરનો વિરોધ કરી રહ્યા હતા અને મૈતઈ સમુદાયને લઈ જતા બીએસએફના કાફલાને અટકાવ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં તૈનાત સુરક્ષા દળો અને પોલીસકર્મીઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 27 ઇજાગ્રસ્ત થયા હતા.

વિદેશ મંત્રી એસ જયશંકરે માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કર્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે ઉત્તર ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં નવા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કર્યું.

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 13 એપ્રિલે લેવાશે

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલને રવિવારના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2(3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોવી.

પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર મુખ્ય મહેમાન બનશે

વડાપ્રધાન મોદીની મોરેશિયસની નિર્ધારિત રાજકીય યાત્રા પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ મુલાકાતની એક ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ પર મુખ્ય મહેમાન બનશે. રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી ઉજવણીમાં ભાગ લેશે. ભારતીય નૌકાદળનું એક જહાજ પણ ત્યાં હાજર રહેશે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમ પણ ઉજવણીમાં ભાગ લેશે.

Today News live : એકનાથ શિંદેએ કહ્યું - ડબલ એન્જિન સરકાર લાડલી બહેનોની સાથે છે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે બધી લાડલી બહેનોને સક્ષમ, આત્મનિર્ભર બનાવવી, આત્મનિર્ભર બનાવવી, આત્મસન્માન આપવું તે અમારી જવાબદારી છે અને આ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. ડબલ એન્જિન સરકાર લાડલી બહેનોની સાથે છે.

Today News live : નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદ થોડીવારમાં સંબોધન શરૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે 8-3-2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીમાં છે. અહીં તેમણે લખપતિ દીદી સાથે 30 મિનિટના સંવાદ કર્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો કર્યો હતો. જેમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. હવે તેઓ સ્ટેજ ઉપર પહોંચી ગયા છે. અને થોડીવારમાં સંબોધન પણ શરુ કરશે.

Today News live : ઝારખંડમાં એનટીપીસીના ડીજીએમની ગોળી મારીને હત્યા કરાઈ

ઝારખંડમાં NTPC કોલસા પ્રોજેક્ટ કેરેદારીના DGM કુમાર ગૌરવની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કુમાર ગૌરવ કોલસા ડિસ્પેચ વિભાગના ડીજીએમ હતા. તેની હત્યાના સમાચાર મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર ગૌરવ શનિવારે સવારે હજારીબાગ સ્થિત તેમના ઘરેથી કંપનીના વાહનમાં તેમની ઓફિસ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન, કટકામદગ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહા ચોક નજીક, બાઇક પર આવેલા ગુનેગારોએ તેના વાહનને ઓવરટેક કર્યું અને તેના પર ગોળીબાર કર્યો.

Today News live : અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં રમાશે હોળી

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓને હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. અગાઉ મેનેજમેન્ટ દ્વારા આ માટે પરવાનગી આપવામાં આવી ન હતી અને તેના કારણે ઘણો વિવાદ પણ જોવા મળ્યો હતો. પરંતુ હવે NRSC હોલમાં 13 અને 14 માર્ચે હોળી રમવાની પરવાનગી આપવામાં આવી છે. પહેલા વિદ્યાર્થીઓ ઈચ્છતા હતા કે તેઓને 9 માર્ચે ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી મળવી જોઈએ. વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમણે માંગણી સાથે પત્ર પણ લખ્યો હતો. પરંતુ તે માંગ પહેલા સ્વીકારવામાં આવી ન હતી.

એક પ્રોફેસરે તો ત્યાં સુધી કહ્યું કે વિદ્યાર્થીઓ તેમના રૂમમાં હોળીની ઉજવણી કરી શકે છે, તેઓ અગાઉ પણ આ રીતે ઉજવણી કરતા આવ્યા છે. પરંતુ આને લઈને ઘણો વિવાદ થયો હતો, કેટલાક નેતાઓએ તેને હિન્દુ આસ્થા સાથે પણ જોડ્યો હતો. જ્યારે સતત દબાણ હતું ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પીછેહઠ કરવી પડી હતી અને હવે 13 અને 14 માર્ચે હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે.

Today News live : હિમાચલ બોર્ડે 12માની અંગ્રેજીની પરીક્ષા રદ્દ કરી

હિમાચલ બોર્ડે 12માની અંગ્રેજીની પરીક્ષા રદ કરી છે. હિમાચલ બોર્ડ પેપર લીક થવાની સંભાવના જોઈ રહ્યું છે, તેથી જ અંતિમ ક્ષણે પરીક્ષા રદ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પેપર લીકની વાત સૌથી પહેલા ચંબા જિલ્લાની સરકારી માધ્યમિક શાળામાં મળી હતી, અહીં પણ શિક્ષકોએ ધોરણ 10ના બદલે ધોરણ 12ની અંગ્રેજી બોર્ડની પરીક્ષાનું પેપર ભૂલથી ખોલી નાખ્યું હતું. હવે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સમજવા જેવી વાત એ છે કે હિમાચલ બોર્ડની 10માની અંગ્રેજીની પરીક્ષા 7 માર્ચે અને 8 માર્ચે 12મીની પરીક્ષા હતી. હવે એક સત્તાવાર નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે 7 માર્ચે વાસ્તવમાં એક શિક્ષકે ધોરણ 10ના બદલે ધોરણ 12ની અંગ્રેજી પરીક્ષાનું પેપર સમય પહેલા ખોલવા કહ્યું હતું. આવા ઈનપુટ મળતાની સાથે જ તાત્કાલિક પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Today News live : 'અમે ભારતની પોલ ખોલી', ટ્રમ્પે કહ્યું- ભારત ટેરિફ ઘટાડશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત છે. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે ભારતને ઉજાગર કર્યું છે.

ટ્રમ્પે કહ્યું, “ભારત અમારા પર ખૂબ જ ઊંચી ટેરિફ લાદે છે. તમે ભારતમાં કંઈપણ વેચી શકતા નથી. ઠીક છે, તેઓ તેના માટે સંમત થયા છે, તેઓ હવે તેમના ટેરિફમાં ઘટાડો કરવા માંગે છે કારણ કે આખરે કોઈએ તેઓ જે કર્યું તે જાહેર કરી રહ્યું છે.

Today News live : બાગડોગરામાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થયું

ભારતીય વાયુસેનાનું વિમાન પશ્ચિમ બંગાળના બાગડોગરા વિસ્તારમાં ક્રેશ થયું છે. આ ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ હતું. વિમાનમાં હાજર તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. એરફોર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિમાનને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ કરી રહી છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ કહ્યું, ‘આજે બાગડોગરા એરપોર્ટ પર AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયાના સમાચાર સામે આવ્યા છે. સ્થળ પરથી વિમાનને કબજે કરવામાં આવી રહ્યું છે. એરક્રાફ્ટના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.’ AN-32 એ સોવિયેત મૂળનું લશ્કરી પરિવહન વિમાન છે. તે ભારતીય વાયુસેના માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ