/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Operation-Sindoor-.jpg)
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઓપરેશન સિંદૂર હેઠળ કડક કાર્યવાહી કરી છે
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 8 May 2025, આજના તાજા સમાચાર: વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ સંબંધઝમાં તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે.
વિક્રમ મિસરીએ કહ્યું કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું હતું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોનું ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.
પાકિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને અમેરિકાની સલાહ
લાહોર અને તેની આસપાસ ડ્રોન વિસ્ફોટો, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને હવાઈ ક્ષેત્રમાં સંભવિત ઘૂસણખોરીના અહેવાલોને કારણે લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે. જો સલામત સ્થળાંતર શક્ય હોય તો યુ.એસ. નાગરિકોએ સક્રિય સંઘર્ષવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું જોઈએ. જો બહાર નીકળવું સલામત ન હોય તો તેમણે સલામત સ્થળોએ રહેવું જોઈએ.
ઓપરેશન સિંદૂર બાદ સર્વદળ બેઠક, રાહુલ ગાંધી અને ખડગે હાજર
ભારતીય સેનાએ મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર 24 ચોકસાઇ મિસાઇલ હુમલા કર્યા. મુરીદકે અને બહાવલપુરના નામ પણ આમાં સામેલ છે. આ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢ છે. સરકારે ગુરુવારે સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અંગે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જૂન ખડગે હાજર રહ્યા છે.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 'X' પર પ્રસ્તાવિત બેઠક વિશે પોસ્ટ કરી. તેમણે કહ્યું, 'સરકારે 8 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં સંસદ સંકુલના સંસદ પુસ્તકાલય ભવન ખાતે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.' સરકારે બુધવારે કહ્યું હતું કે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે મર્યાદિત હુમલા કર્યા છે.
ભારતીય સેના પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નજર રાખી રહી છે. ભારતીય સેના પ્રમુખ પોતે પાકિસ્તાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. એલઓસી પર ભારતીય નાગરિકોને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સેના દ્વારા તોપખાનાના ઉપયોગનો યોગ્ય જવાબ આપવાની સેનાને સ્વતંત્રતા છે.
- May 08, 2025 23:12 IST
Today News live : ભારત પોતાની સંપ્રભુતાનું રક્ષણ કરવા સંપૂર્ણપણે તૈયાર - રક્ષા મંત્રાલય
સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કર્યું કે આજે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો દ્વારા જમ્મુ, પઠાનકોટ અને ઉધમપુરમાં લશ્કરી મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાપિત માનક સંચાલન પ્રક્રિયાઓ (SOP) અનુસાર ગતિશીલ અને બિન-ગતિશીલ ક્ષમતાઓનો ઉપયોગ કરીને ખતરાને ઝડપથી બેઅસર કરી દીધા હતા. કોઈ જાનહાનિ કે ભૌતિક નુકસાનની જાણ થઈ નથી. ભારત પોતાની સંપ્રભુતાનું રક્ષણ કરવા અને પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
- May 08, 2025 22:31 IST
Today News live : જમ્મુ, પઠાનકોટ, અમૃતસરમાં બ્લેકઆઉટ
પાકિસ્તાનના ડ્રોન હુમલાના કારણે જમ્મુ, પઠાનકોટ, અમૃતસરમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. શ્રીનગર એરપોર્ટ હાઇએલર્ટ પર છે. ભારત પાકિસ્તાનને વળતો જવાબ આપી રહ્યું છે.
- May 08, 2025 22:19 IST
Today News live : ગુજરાતના ભૂજમાં પૂર્ણ બ્લેકઆઉટ
watch गुजरात: कच्छ के भुज में पूर्ण ब्लैकआउट लागू कर दिया गया है।
वीडियो वर्तमान समयानुसार नहीं है। pic.twitter.com/EpeYF5hid0— ANI_HindiNews (@AHindinews) May 8, 2025
- May 08, 2025 22:07 IST
8 મિસાઇલોને ભારતીય હવાઈ સંરક્ષણ એકમોએ નિષ્ફળ બનાવી
પાકિસ્તાને સતવારી, સાંબા, આરએસ પુરા અને અરનિયા સેક્ટરમાં 8 મિસાઇલો છોડી હતી, જે તમામને ભારતીય હવાઈ સંરક્ષણ એકમોએ નિષ્ફળ બનાવી દીધી હતી: રક્ષા સૂત્રો
- May 08, 2025 21:43 IST
Today News live : પંજાબના જાલંધરમાં પૂર્ણ બ્લેકઆઉટ
watch पंजाब के जालंधर में पूर्ण ब्लैकआउट लागू कर दिया गया है। pic.twitter.com/e5BegoBxAA
— ANI_HindiNews (@AHindinews) May 8, 2025
- May 08, 2025 21:26 IST
Today News live : જમ્મુ વિભાગના સાંબામાં સંપૂર્ણ બ્લેકઆઉટ
જમ્મુ વિભાગના સાંબામાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. સાયરનના અવાજો સંભળાય રહ્યો છે.
watch जम्मू-कश्मीर: जम्मू संभाग के सांबा में पूर्ण ब्लैकआउट लागू कर दिया गया है। सायरन की आवाजें सुनी जा सकती हैं। pic.twitter.com/6zDEovW1mN
— ANI_HindiNews (@AHindinews) May 8, 2025
- May 08, 2025 18:15 IST
Today News live : વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું - પાકિસ્તાન હજુ પણ આતંકવાદીને સમર્થન આપી રહ્યું છે
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે સરહદ પારથી આપણા વિરુદ્ધ ઘણી ખોટી માહિતી આપવામાં આવી છે, કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે તણાવ વધવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પહેલી વાત એ છે કે પહેલગામમાં થયેલો હુમલો તણાવ વધવાનું પહેલું કારણ છે, ભારતીય સેનાએ ગઈકાલે તેનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) ગ્રુપ લશ્કર-એ-તૈયબાનું એક જાણીતું મોરચો છે. જેણે પહેલગામ હુમલાની જવાબદારી લીધી હતી. અમે આ સંબંધઝમાં તમામ માહિતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને આપી રહ્યા છીએ. TRF વિશે સતત અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે.
વિક્રમ મિસરીએ કહ્યું કે જ્યારે UNSC ના નિવેદનમાં TRFનું નામ સામેલ કરવાની વાત આવી ત્યારે ફક્ત પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો અને નામ હટાવ્યું હતું. આ સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાન હજુ પણ આ આતંકવાદી જૂથોનું ઢાલ અને સમર્થન આપી રહ્યું છે.
- May 08, 2025 16:36 IST
Today News live : પાકિસ્તાનમાં રહેલા પોતાના નાગરિકોને અમેરિકાની સલાહ, લાહોરથી નીકળી જાવ કે સુરક્ષિત સ્થળ પર જાવ
લાહોર અને તેની આસપાસ ડ્રોન વિસ્ફોટો, તોડી પાડવામાં આવેલા ડ્રોન અને હવાઈ ક્ષેત્રમાં સંભવિત ઘૂસણખોરીના અહેવાલોને કારણે લાહોરમાં યુએસ કોન્સ્યુલેટ જનરલે તમામ કોન્સ્યુલેટ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ રહેવા નિર્દેશ આપ્યો છે. કોન્સ્યુલેટને પ્રારંભિક અહેવાલો પણ મળ્યા છે કે અધિકારીઓ લાહોરના મુખ્ય એરપોર્ટને અડીને આવેલા કેટલાક વિસ્તારોને ખાલી કરાવી શકે છે. જો સલામત સ્થળાંતર શક્ય હોય તો યુ.એસ. નાગરિકોએ સક્રિય સંઘર્ષવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવું જોઈએ. જો બહાર નીકળવું સલામત ન હોય તો તેમણે સલામત સ્થળોએ રહેવું જોઈએ.
- May 08, 2025 11:10 IST
Today News live : લાહોરમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ
પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. ત્યાર બાદ આજે 8 મે 2025 ગુરુવારે સવારે લાહોરમાં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો. કહેવું પડે કે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઝડપી હવાઈ હુમલા કર્યા પછી, પાડોશી દેશમાં ગભરાટનું વાતાવરણ છે.
વિસ્ફોટના અવાજ પછી લાહોરમાં સાયરન વાગવા લાગ્યા અને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે. આ વિસ્તાર લાહોરના પોશ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને લાહોર આર્મી કેન્ટોનમેન્ટને અડીને આવેલો છે. સ્થાનિક અહેવાલો અનુસાર, સિયાલકોટ, કરાચી અને લાહોર એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
- May 08, 2025 10:36 IST
Today News live : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, પાંચ લોકોના મોત, બે ઘાયલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ઉત્તરકાશી જિલ્લાના ગંગાનાઈ નજીક થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ આ વાતની પુષ્ટિ કરી.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉત્તરકાશી જિલ્લાના ડીએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યો છે.
- May 08, 2025 09:38 IST
Today News live : ગુજરાતમાં 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 7 મે 2025 સવારે 6 વાગ્યાથી લઈને 8 મે 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ જિલ્લાના ખંભાતમાં નોંધાયો હતો.
- May 08, 2025 09:11 IST
Today News live : સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પ્રસ્તાવિત બેઠક વિશે પોસ્ટ કરી
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ 'X' પર પ્રસ્તાવિત બેઠક વિશે પોસ્ટ કરી. તેમણે કહ્યું, 'સરકારે 8 મે, 2025 ના રોજ સવારે 11 વાગ્યે નવી દિલ્હીમાં સંસદ સંકુલના સંસદ પુસ્તકાલય ભવન ખાતે તમામ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.' સરકારે બુધવારે કહ્યું હતું કે ભારતીય સેનાએ પહેલગામ હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે મર્યાદિત હુમલા કર્યા છે.
- May 08, 2025 09:09 IST
Today News live : મોદી સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી
ભારતીય સેનાએ મંગળવાર અને બુધવારની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર 24 ચોકસાઇ મિસાઇલ હુમલા કર્યા. મુરીદકે અને બહાવલપુરના નામ પણ આમાં સામેલ છે. આ આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢ છે. સરકારે ગુરુવારે સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓ અંગે માહિતી આપવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us