Today News : સંસદમાં NDA સાંસદોની બેઠક, PM મોદીનું થયું જોરદાર સ્વાગત

Gujarat Latest News Update Today in Gujarati 3 February 2026 : NDA સંસદીય દળની બેઠક સંસદ સંકુલમાં યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવા ચૂંટાયેલા પક્ષ પ્રમુખ નીતિન નવીન હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને નવા ભાજપ પ્રમુખ નીતિન નવીનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

Gujarat Latest News Update Today in Gujarati 3 February 2026 : NDA સંસદીય દળની બેઠક સંસદ સંકુલમાં યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવા ચૂંટાયેલા પક્ષ પ્રમુખ નીતિન નવીન હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને નવા ભાજપ પ્રમુખ નીતિન નવીનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
NDA meet

સંસદમાં એનડીએની બેઠક Photograph: (ANI)

Today Latest News Update in Gujarati 3 February 2026:  NDA સંસદીય દળની બેઠક સંસદ સંકુલમાં યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવા ચૂંટાયેલા પક્ષ પ્રમુખ નીતિન નવીન હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને નવા ભાજપ પ્રમુખ નીતિન નવીનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisment

કોંગ્રેસે મોદી સરકાર પર મોટો હુમલો કર્યો

કોંગ્રેસે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર પર મોદી સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસે જણાવ્યું કે, યુદ્ધવિરામની જેમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વેપાર કરારની જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મોદીની વિનંતી પર વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી હતી કે સરકાર વેપાર કરાર વિશેની તમામ માહિતી, જેમાં ચર્ચા અને સંમતિ થયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે, દેશ અને સંસદ સાથે શેર કરે.

  • Feb 03, 2026 19:09 IST

    Today News Live : યુમનામ ખેમચંદ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે

    ભાજપે મણિપુરના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. યુમનામ ખેમચંદ સિંહને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. દિલ્હીમાં મણિપુર ભાજપના ધારાસભ્યોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.



  • Feb 03, 2026 17:25 IST

    Today News Live : વિપક્ષના 8 સાંસદ બજેટ સત્ર માટે સસ્પેન્ડ

    લોકસભામાં સ્પીકરની ખુરશી પર કાગળો ફેંકવાના આરોપમાં કોંગ્રેસના સાત સહિત આઠ સાંસદોને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સાંસદોમાં અમરિંદર સિંહ વારિંગ, ગુરદીપ સિંહ ઓઝલા, હિબી ઇદેન, ડીન કુરિયાકોસ, પ્રશાંત પાડલે, એન કૃષ્ણ કુમાર રેડ્ડી, એસ વેંકટેસન, માણિક્યમ અને મણિકમ ટાગોરનો સમાવેશ થાય છે. આ સાંસદોને સંસદના બાકીના બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સાંસદો ટેબલ પર ચઢી ગયા હતા.



  • Advertisment
  • Feb 03, 2026 10:46 IST

    Today News Live: કોંગ્રેસે મોદી સરકાર પર મોટો હુમલો કર્યો

    કોંગ્રેસે અમેરિકા અને ભારત વચ્ચેના વેપાર કરાર પર મોદી સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસે જણાવ્યું કે, યુદ્ધવિરામની જેમ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વેપાર કરારની જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મોદીની વિનંતી પર વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી હતી કે સરકાર વેપાર કરાર વિશેની તમામ માહિતી, જેમાં ચર્ચા અને સંમતિ થયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે, દેશ અને સંસદ સાથે શેર કરે.



  • Feb 03, 2026 10:46 IST

    Today News Live: સંસદમાં NDA સાંસદોની બેઠક

    NDA સંસદીય દળની બેઠક સંસદ સંકુલમાં થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નવા ચૂંટાયેલા પક્ષ પ્રમુખ નીતિન નવીન હાજર છે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને નવા ભાજપ પ્રમુખ નીતિન નવીનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.



  • Feb 03, 2026 09:15 IST

    Today News Live: રાજકોટની યસ બેંકમાં ભીષણ આગ, આગ કાબુમાં

    રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પર આવેલ યસ બેંકમાં સોમવારે રાત્રિના 11.35 વાગ્યા આસપાસ આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં અવતા તાત્કાલિક સ્થળ પર 3 ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.



  • Feb 03, 2026 08:54 IST

    Today News Live: શેખ હસીનાના પુત્રએ કહ્યું, "જમાત પડદા પાછળથી નિયંત્રણ કરશે."

    ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પુત્રએ કહ્યું કે 12 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી "ચૂંટણી નહીં, પણ પસંદગી" હશે. અવામી લીગના નેતા સજીબ વાઝેદ જોયે ચેતવણી આપી હતી કે જો BNP સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તો પણ, જમાત-એ-ઇસ્લામી પડદા પાછળથી બધું નિયંત્રિત કરશે. તેમણે કહ્યું કે આના પરિણામે એક નબળી અને બાહ્ય રીતે પ્રભાવિત સરકાર બનશે.



  • Feb 03, 2026 08:53 IST

    Today News Live: છત્તીસગઢ ગામમાં છ ઘર સળગાવી દેવામાં આવ્યા, પોલીસ પર હુમલો

    રવિવારે સાંજે છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લાના એક ગામમાં હિંસા ફાટી નીકળી. એક ટોળાએ કથિત રીતે લઘુમતી સમુદાયના છ ઘરોને આગ લગાવી દીધી. પોલીસની એક નાની ટીમે અનેક બાળકો સહિત 20 લોકોને બચાવ્યા, જ્યારે સાત પોલીસકર્મીઓ ઘાયલ થયા.

    પોલીસના જણાવ્યા અનુસાર, દુટકૈયા ગામમાં રવિવારે વહેલી સવારે ચાર અલગ અલગ સ્થળોએ ચાર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો અને બે લોકોના મોબાઈલ ફોન છીનવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાઓમાં ત્રણ આરોપીઓની ઓળખ દુટકૈયાના આરિફ કુરેશી, રાયપુરના સલીમ ખાન અને ઇમરાન સિદ્દીકી તરીકે થઈ છે.



  • Feb 03, 2026 07:37 IST

    Today News Live: ટેરીફ ઘટાડા પર ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર ખુશી વ્યક્ત કરી. તેમણે X પરના એક ટ્વિટમાં ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પ્રિય મિત્ર પણ ગણાવ્યા છે.

    X પરના એક ટ્વિટમાં વડા પ્રધાને લખ્યું "આજે મારા પ્રિય મિત્ર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ આનંદ થયો. મને આનંદ છે કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ હવે 18% સુધી ઘટાડી દેવામાં આવશે. ભારતના 1.4 અબજ લોકો વતી, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ અદ્ભુત જાહેરાત માટે ખૂબ ખૂબ આભાર માનું છું."

    વધુમાં, બંને દેશોની અર્થવ્યવસ્થાઓ અને લોકશાહીની મહાન શક્તિનું વર્ણન કરતા, પીએમ મોદીએ લખ્યું, "જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને વિશ્વની સૌથી મોટી લોકશાહીઓ સાથે મળીને કામ કરે છે, ત્યારે તે આપણા લોકોને લાભ આપે છે અને પરસ્પર લાભદાયી સહયોગ અસંખ્ય તકો ખોલે છે."

    વડા પ્રધાને લખ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. ભારત શાંતિ માટેના તેમના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે. હું આપણી ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું."



વિશ્વ દેશ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત