Today News: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, મુઘલ આક્રમણ પહેલા દેશમાં અન્ય કોઇ ધર્મ ન હતો : અરુણ ગોવિલ

Gujarat Latest Live News Update Today in Gujarati 8 February 2026 : રામાયણ સિરિયલના રામ અને ભાજપ સાસંદ અરુણ ગોવિલે કહ્યું કે, મુઘલોના આક્રમણ પહેલા દેશમાં અન્ય કોઇ ધર્મ જ ન હતો. બધી બાબતો હિન્દુ જ છે તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ક્યાંથી આવી.

Gujarat Latest Live News Update Today in Gujarati 8 February 2026 : રામાયણ સિરિયલના રામ અને ભાજપ સાસંદ અરુણ ગોવિલે કહ્યું કે, મુઘલોના આક્રમણ પહેલા દેશમાં અન્ય કોઇ ધર્મ જ ન હતો. બધી બાબતો હિન્દુ જ છે તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ક્યાંથી આવી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
arun govil  | arun govil mp

Arun Govil : અરુણ ગોવિલ રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર કલાકાર અને મેરઠથી ભાજપના સાસંદ છે. Photograph: (Arun Govil Instagram)

Today Latest News Live Update 8 February 2026 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસે છે. બંન દેશોના નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું. કુઆલાંપુરમાં મલેશિયાના વડા અનવર ઇબ્રાહિમે કહ્યું કે, પ્રવાસન અને કનેક્ટિવિટી એવા ક્ષેત્ર છે જેના પર અમારા ભાર આપવાની જરૂર છે. અમે પાછલા વર્ષોમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ જોઇ છે, અને અમને આશા છે કે વીઝા નિયમોમાં છુટછાટ અને એર ​​કનેક્ટિવિટી વધારી અમે મલેશિયા ટ્રૂલી એશિયા અને ઇન્ક્રેડિબલ ઈન્ડિયાથી વધુ ફાયદો ઉઠાવી શકાશે. હું ઘણી વાર ભારત આવ્યો છું અને ઘણા સ્થાનોની મુલાકાત લીધી છે, મને હજી પણ એવું લાગે છે કે મેં સંપૂર્ણ ભારત જોયું નથી. તે બહુ જ વિશાળ છે, તે ફરવા માટે એક અદભુત દેશ છે, જ્યાંનો ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને ટેકનોલોજીમાં નવી પ્રગતિ જોવા મળી છે. ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા વિશે મારે તમારી પ્રશંસા કરવી જોઇએ કારણ કે વડાપ્રધાન મોદી સાથે મારી વાતચીત માત્ર સામાન્ય વાત અને કૂટનીતિ વાતચીત નથી. આ સાચા મિત્રો વચ્ચે વિશ્વાસ અને સમજણ ભરી વાતચીત હતી.

Advertisment
  • Feb 08, 2026 15:03 IST

    ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે, મુઘલ આક્રમણ પહેલા દેશમાં અન્ય કોઇ ધર્મ ન હતો : અરુણ ગોવિલ

    હિન્દુ રાષ્ટ્ર મુદ્દે ભાજપ સાંસદ અરુણ ગોવિલે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ક્યાંથી આવી ગઇ, આ તો હિન્દુ રાષ્ટ્ર જ છે. મુઘલોના આક્રમણ પહેલા શું હતું, તેના પહેલા અન્ય કોઇ ધર્મ જ ન હતો અને ભારત ભૂમિને હંમેશા દેવભૂમિ કહેવાય છે. આપણે તેને ભારત માતા કહીયે છીએ અને બધી બાબતો હિન્દુ જ છે તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત ક્યાંથી આવી. હિન્દુ રાષ્ટ્ર જ છે. નોંધનિય છે કે, અરુણ ગોવિદ ધાર્મિક ધારાવાહિક રામાયણ સિરિયરમાં ભગવાન રામનું પાત્ર ભજવી લોકપ્રિય થયા હતા.



  • Feb 08, 2026 11:19 IST

    ભારત અને મલેશિયાને તમિલ ભાષા પ્રત્યેનો પરસ્પર પ્રેમ જોડે છે: PM નરેન્દ્ર મોદી

    મલેશિયાના કુઆલાંપુરમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, "સુરક્ષાના ક્ષેત્રમાં, અમે આતંકવાદી, ગુપ્તમ માહિતી આદાનપ્રદાન કરવી અને દરિયાઈ સુરક્ષામાં મજબૂત સહયોગ કરીશું. અને રક્ષા ભાગીદારી આગળ વધારીશું. AI અને ડિજિટલ ટેક્નોલોજીની સાથે સાથે, અમે અર્ધચાલક, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા ભાગીદારી આગળ વધારીશું.  મલેશિયામાં ભારતની શ્રમિકો સુરક્ષા માટે સામાજિક સુરક્ષા કરાર, પ્રવાસન માટે ગ્રૅટિસ ઈ વીઝા અને ડિજિટલ પેમેન્ટ ઈન્ટરફેસ UPI મલેશિયામાં લાગુ કરવા, આ બધા પગલાં બંને દેશોના નાગરિકોનું જવન સરળ બનાવશે. ભારત અને મલેશિયાને તમિલ ભાષા પ્રત્યેનો પરસ્પર પ્રેમ જોડે છે. મલેશિયામાં તમિલની મજબૂત અને જીવંત હાજરી શિક્ષણ, મીડિયા અને સાંસ્કૃતિક જીવન દર્શાવે છે."



  • Advertisment
  • Feb 08, 2026 10:40 IST

    ભારત એક અદભૂત દેશ છે, નરેન્દ્ર મોદી સાચા મિત્ર : મલેશિયા PM અનવર ઇબ્રાહિમ

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના પ્રવાસે છે. બંન દેશોના નેતાઓએ સંયુક્ત સંબોધન કર્યું હતું. કુઆલાંપુરમાં મલેશિયાના વડા અનવર ઇબ્રાહિમે કહ્યું કે, પ્રવાસન અને કનેક્ટિવિટી એવા ક્ષેત્ર છે જેના પર અમારા ભાર આપવાની જરૂર છે. અમે પાછલા વર્ષોમાં ખૂબ જ સારી રીતે પ્રગતિ જોઇ છે, અને અમને આશા છે કે વીઝા નિયમોમાં છુટછાટ અને એર ​​કનેક્ટિવિટી વધારી અમે મલેશિયા ટ્રૂલી એશિયા અને ઇન્ક્રેડિબલ ઈન્ડિયાથી વધુ ફાયદો ઉઠાવી શકાશે. હું ઘણી વાર ભારત આવ્યો છું અને ઘણા સ્થાનોની મુલાકાત લીધી છે, મને હજી પણ એવું લાગે છે કે મેં સંપૂર્ણ ભારત જોયું નથી. તે બહુ જ વિશાળ છે, તે ફરવા માટે એક અદભુત દેશ છે, જ્યાંનો ઇતિહાસ, સંસ્કૃતિ, કળા અને ટેકનોલોજીમાં નવી પ્રગતિ જોવા મળી છે. ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા વિશે મારે તમારી પ્રશંસા કરવી જોઇએ કારણ કે વડાપ્રધાન મોદી સાથે મારી વાતચીત માત્ર સામાન્ય વાત અને કૂટનીતિ વાતચીત નથી. આ સાચા મિત્રો વચ્ચે વિશ્વાસ અને સમજણ ભરી વાતચીત હતી.



india બ્રેકિંગ ન્યૂઝ દેશ વિશ્વ ગુજરાત