/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/delhi-weather.jpg)
દિલ્હીમાં વાવાઝોડાની હવામાન વિભાગની આગાહી - photo - ANI
Today Weather News Updates : દિલ્હીમાં શુક્રવારે રાત્રે અચાનક વાવાઝોડું લોકો પર આફત આવતા તૂટી પડ્યું હતું. જેના કારણે રાજધાની અને આસપાસના શહેરોમાં ભારે નુકસાન થયું હતું. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા. સેંકડો વૃક્ષો પણ ઉખડી ગયા હતા. નોઈડાના સેક્ટર-62માં એલઆઈસી બિલ્ડિંગ પાસે લોખંડનું શટર તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં મોડી રાત્રે એકનું મોત નીપજ્યું હતું. અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. મૃતકનું નામ જય ગોવિંદ ઝા (50) છે.
દિલ્હીમાં આજે પણ વાવાઝોડાની આગાહી
આ સાથે હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે શનિવારે પણ તોફાન આવી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ શનિવારે વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 39થી 29 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. વળી, હવામાન વિભાગે ધૂળની આંધીને જોતા લોકોને ઘરની અંદર જ રહેવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
એક વિશાળ સાઇન બોર્ડ ધરાશાયી
રાષ્ટ્રીય રાજધાનીના દ્વારકા મોર વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક વિશાળ સાઇન બોર્ડ ધરાશાયી થતાં બે વ્યક્તિઓ અને એક ઓટો-રિક્ષા ચાલક ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, સ્થળ પરથી સાઇન બોર્ડને દૂર કરવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે દ્વારકા અને ઉત્તમ નગર તરફ જતા રસ્તાઓ પર ભારે જામની સ્થિતિ સર્જાઈ હતી.
આ પણ વાંચોઃ-Lok Sabha Election 2024 : 19 દિવસ અને 18 લોકસભા બેઠકો, શું અરવિંદ કેજરીવાલ AAP માટે ગેમ ચેન્જર સાબિત થશે?
અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાત દરમિયાન વીજ વિક્ષેપ અંગે રાષ્ટ્રીય રાજધાનીમાં 202 કોલ આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાનને કારણે શુક્રવારે મોડી સાંજે દિલ્હી એરપોર્ટ પર નવ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us