કુખ્યાત માઓવાદી કમાન્ડર હિડમા એન્કાઉન્ટર, જેના માથે હતું એક કરોડ રુપિયાનું ઇનામ

હિડમા સેન્ટ્રલ કમિટીના સભ્ય હતો અને દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીનો વડો પણ હતા. હિડમા પર ઓછામાં ઓછા 26 હુમલાની યોજના ઘડવાનો અને તેનું નેતૃત્વ કરવાનો આરોપ હતો

Written by Haresh Suthar
November 18, 2025 12:56 IST
કુખ્યાત માઓવાદી કમાન્ડર હિડમા એન્કાઉન્ટર, જેના માથે હતું એક કરોડ રુપિયાનું ઇનામ
માઓવાદી નકસલી માડવી હિડમા મંગળવારે ઠાર મરાયો.

Hidma Encounter: આંધ્ર પ્રદેશમાં મંગળવારે સવારે સુરક્ષા દળોએ નક્સલી માડવી હિડમા (51) સહિત છ લોકોને ઠાર કર્યા છે. હિડમા ઉર્ફે સંતોષ તેની પત્ની અને અન્ય સાથીઓ સાથે છત્તીસગઢથી ભાગી રહ્યો હતો. આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના મારેડુમલ્લી જંગલમાં સવારે સુરક્ષા દળોએ અથડામણમાં હિડમા અને તેના સાથીઓને ઘેરી લીધા હતા અને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.

એક ઉચ્ચ અધિકારીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી આંધ્ર પ્રદેશની એસઆઈબી/ગુપ્તચર એજન્સીઓને આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સરહદ નજીક માઓવાદીઓની હિલચાલ વિશે માહિતી મળી હતી. આ ઇનપુટ્સના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સુરક્ષા દળોને આ સફળતા મળી છે.

તાજેતરમાં જ્યારે મલ્લોજુલા વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુએ આત્મસમર્પણ કર્યું ત્યારે એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું હતું કે હવે હિડમા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તે સૌથી ખતરનાક કમાન્ડર છે અને તેની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું

આંધ્ર પ્રદેશના નક્સલ વિરોધી દળ ‘ગ્રેહાઉન્ડ્સ’ અને સ્થાનિક પોલીસે સોમવારે મોડી રાત્રે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમને માહિતી મળી હતી કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશા સરહદના જંગલોમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ ફરતા હતા. મળતી માહિતી મુજબ માઓવાદીઓનું આ જૂથ સરહદના જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારબાદ સુરક્ષા દળોએ કાર્યવાહી હાથ ધરી હતી.

મંગળવારે સવારે અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના એસપી અમિત બરાદરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે છ માઓવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. જ્યારે ટીમો પરત ફરશે ત્યારે વધુ માહિતી ઉપલબ્ધ થશે.

આંધ્ર પ્રદેશમાં માઓવાદી વિરોધી અભિયાન

મંગળવારે સવારે હાથ ધરવામાં આવેલું માઓવાદી વિરોધી ઓપરેશન આંધ્ર પ્રદેશમાં લાંબા સમયથી ચાલતું હતું. આનું કારણ રાજ્યમાં માઓવાદી ગતિવિધિઓમાં ઘટાડો છે. રાજ્યમાં અગાઉ એપ્રિલ અને જૂનમાં એન્કાઉન્ટર જોવા મળ્યા હતા.

વધુ વાંચો: દિલ્હી બ્લાસ્ટ મામલે અલ ફલાહ યુનિવર્સિટીમાં મોટુ ઓપરેશન

ઉલ્લેખનીય છે કે, 18 જૂનના રોજ થયેલી એન્કાઉન્ટરમાં કેન્દ્રીય સમિતિના સભ્ય અને એનઆઈએના મોસ્ટ વોન્ટેડ લિસ્ટ ગજરલા રવિ અને વરિષ્ઠ માઓવાદી નેતા ચલપતિ ઉર્ફે અપ્પા રાવની પત્ની અરુણા સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ