ટ્રમ્પના 25 ટકા ટેરિફ પર કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલનું લોકસભામાં પ્રથમ નિવેદન, કહી આવી વાત

Piyush Goel on Trump Tarrif: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા અને ચીન વચ્ચે ભારત સાથે વધી રહેલા વેપારને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ નારાજ છે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ સમગ્ર ઘટના પર લોકસભામાં નિવેદન આપ્યું છે

Piyush Goel on Trump Tarrif: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા અને ચીન વચ્ચે ભારત સાથે વધી રહેલા વેપારને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ નારાજ છે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ સમગ્ર ઘટના પર લોકસભામાં નિવેદન આપ્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
piyush goyal, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ (એએનઆઈ, સસંદ)

Piyush Goel on Trump Tarrif: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. રશિયા અને ચીન વચ્ચે ભારત સાથે વધી રહેલા વેપારને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ નારાજ છે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ સમગ્ર ઘટના પર લોકસભામાં નિવેદન આપ્યું છે.

Advertisment

પીયુષ ગોયલે કહ્યું કે આપણી નિકાસ સતત વધી રહી છે. અમેરિકા અને ભારત વચ્ચે ચાર તબક્કાની બેઠકો થઈ હતી. સમાધાન પર પહોંચવા માટે બંને પક્ષો વચ્ચે બેઠક થઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચે વર્ચ્યુઅલ બેઠક પણ થઈ હતી અને વાતચીત ચાલી રહી છે.

અમે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ : પીયુષ ગોયલ

ભારતની તાકાતનો ઉલ્લેખ કરતા પીયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16 ટકા છે અને આપણા નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે યુએઈ સાથે એક લાભદાયી વેપાર કરાર પણ થયો હતો અને આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત વિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે અને અમે રાષ્ટ્રીય હિત માટે પ્રતિબદ્ધ છીએ.

પીયુષ ગોયલે ટ્રમ્પ ટેરિફ પર કહ્યું કે 2 એપ્રિલ 2025 ના રોજ યુએસ રાષ્ટ્રપતિએ રેસિપ્રોકલ ટેરિફ પર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો હતો. 5 એપ્રિલ 2025થી 10% બેઝલાઇન ફી અમલમાં આવી હતી. 10 ટકા બેઝલાઈન ટેરિફ સાથે ભારત માટે કુલ 26 ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી. ફુલ કંટ્રી વિશિષ્ટ વધારાના ટેરિફ 9 એપ્રિલ 2025 થી અમલમાં આવવાના હતા. પરંતુ 10 એપ્રિલ 2025ના રોજ શરૂઆતમાં તેને 90 દિવસ માટે વધારવામાં આવી હતી અને ત્યારબાદ 1 ઓગસ્ટ 2025 સુધી લંબાવવામાં આવ્યા હતા.

Advertisment

આ પણ વાંચો -  ‘ મને પરવા નથી, ભારત…’ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાને Dead Economies ગણાવ્યા

અમે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આગળ વધીશું - પીયુષ ગોયલ

પીયુષ ગોયલે કહ્યું કે સરકારને વિશ્વાસ છે કે અમે વિકસિત ભારત 2047 ના લક્ષ્ય તરફ સમાવિષ્ટ અને ટકાઉ વિકાસની આપણી ઝડપી યાત્રા ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે અમે ઘણા દેશો સાથે ફળદાયી સમજૂતીઓ કરી છે અને ઘણા દેશો સાથે કરીશું. પીયુષ ગોયલે કહ્યું કે અમે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આગળ વધીશું.

સંસદ ડોનાલ્ડ ટ્રમ્પ લોકસભા અમેરિકા india નરેન્દ્ર મોદી દેશ