US India Trade Deal : ટ્રમ્પે 50 ટકા ટેરિફ લાદયા બાદ પ્રથમ વખત અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે, વેપાર મંત્રણા થશે

US India Trade Deal Talks : ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બાબતે વાંધો ઉઠાવ્યા બાદ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો અટકી ગઇ હતી.

US India Trade Deal Talks : ટ્રમ્પ ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે. અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બાબતે વાંધો ઉઠાવ્યા બાદ બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો અટકી ગઇ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
US India Trade Deal Talks | US India Trade Deal | trump tariff on india | US tariff on india

US India Trade Deal Talks : ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદતા અમેરિકા સાથે વેપાર મંત્રણા અટકી પડી છે. (Photo: Social Media)

US India Trade Deal Talks : અમેરિકાનું એક પ્રતિનિધિમંડળ સોમવારે મોડી સાંજે નવી દિલ્હી પહોંચ્યું હતું. દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડન લિંચની આગેવાની હેઠળની ટીમ મંગળવારે ભારત વાણિજ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરશે. વેપાર સોદા માટે નિર્ણાયક વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ રૂબરૂ વાતચીત હશે. નવી દિલ્હીના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ પ્રતિનિધિમંડળ અહીં માત્ર એક દિવસ રોકાશે.

Advertisment

ભારત અને અમેરિકા વચ્ચે મંત્રણા ત્યારે અટકી ગઇ જ્યારે અમેરિકા એ 7 ઓગસ્ટથી લાગુ 25 ટકા પારસ્પરિક ટેરિફ ઉપરાંત, રશિયા પાસેથી ઓઈલ ખરીદવા પર ભારત પર 27 ઓગસ્ટે 25 ટકા વધારાની ટેરિફ લાદી હતી. વાણિજ્ય મંત્રાલયના મુખ્ય વાટાઘાટકાર અને વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વિવિધ સ્તરે વાટાઘાટો કરી રહ્યા છે અને તેમના મુખ્ય વાટાઘાટકારની આગેવાની હેઠળની યુએસ બિઝનેસ ટીમ આજે રાત્રે ભારત આવી રહી છે અને અમે મંગળવારે વાટાઘાટો કરીશું અને જોશું કે વાટાઘાટોનું ભવિષ્ય શું હશે. ”

આ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત દ્વારા બિન-વેપાર મુદ્દાઓને લઈને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો બગડ્યા હતા. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે ભારત અને અમેરિકા વેપાર કરારની ખૂબ નજીક છે, પરંતુ જ્યારે અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ઓઈલ ખરીદવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે તેને લાગ્યું કે તે તેની સાર્વભૌમત્વ પર હુમલો છે.

ભારતીય નિકાસકારોને નુકસાન

યુએસ પ્રતિનિધિમંડળ મુલાકાત માટે એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય નિકાસકારોને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અમેરિકન આયાતકારોએ અન્ય દેશોની તુલનામાં ભારત પર ભારે ટેરિફને કારણે ઓર્ડર રદ કરવાનું શરૂ કર્યું છે. નિકાસકારો દ્વારા સામનો કરવામાં આવતા તાત્કાલિક પ્રવાહિતાના પડકારને પહોંચી વળવા સરકાર રાહત પેકેજ પર કામ કરી રહી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે આ મુદ્દા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે સરકારમાં મતભેદ છે કારણ કે અસરનો ચોક્કસ અંદાજ હજી પણ અસ્પષ્ટ છે.

Advertisment

પ્રતિકૂળ વાતાવરણને કારણે વાટાઘાટોમાં ખાસ પ્રગતિ ન થઇ

એક અધિકારીએ કહ્યું કે, અમે એ જોવાનો પ્રયાસ કરીશું કે અમે અમેરિકા સાથે કેવી રીતે સમજૂતી કરી શકીએ છીએ. અમે વર્ચ્યુઅલી વાતચીત કરી રહ્યા હતા પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે વધુ પ્રગતિ થઈ ન હતી. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે, રાજદ્વારી સ્તરે, વેપાર સ્તરે, મુખ્ય વાટાઘાટકારોના સ્તરે, મંત્રીઓના સ્તરે અને વેપાર મોરચે અમેરિકી વેપાર વાટાઘાટકારોની એક ટીમ ચર્ચા માટે ભારત આવશે. આગળની કાર્યવાહી પર પણ ચર્ચા કરવામાં આવશે. એકંદરે, બંને દેશોમાં વેપારના મુદ્દાઓ પર સકારાત્મક દૃષ્ટિકોણ છે. ”

india અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ બિઝનેસ