Zelenskyy Talked PM Modi: યૂક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કરી વાતચીત, શાંતિ ફોર્મ્યુલામાં માંગી મદદ

Zelenskyy Talked PM Narendra Modi: પીએમઓ તરફથી જણાવવામાં આવ્યું કે બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની તક પર ચર્ચા કરી

Zelenskyy Talked PM Narendra Modi: પીએમઓ તરફથી જણાવવામાં આવ્યું કે બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની તક પર ચર્ચા કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર જેલેંસ્કી અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

Zelenskyy-Modi Discussion On Ukraine-Russia War: યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર જેલેંસ્કીએ સોમવારે પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને રશિયા સાથે શાંતિના ફોર્મ્યુલાને કાર્યાન્વયનમાં ભારતની મદદ માંગી છે. જેલેંસ્કીએ ટ્વિટ કર્યું કે મેં પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કરી અને તેમને સફળ જી-20 અધ્યક્ષ પદની પ્રાર્થના કરી. આ મંચ પર મેં શાંતિના ફોર્મ્યુલાની ઘોષણા કરી અને હવે તેના કાર્યાન્વયનમાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું. મેં માનવીય સહાયતા માટે ધન્યવાદ આપ્યા અને સંયુક્ત રાષ્ટ્રમાં સમર્થન પણ કર્યું.

Advertisment

પીએમ મોદીએ ભારતીય વિદ્યાર્થીઓની શિક્ષા ફરીથી બહાલ કરવાની માંગણી કરી

પીએમઓ તરફથી જણાવવામાં આવ્યું કે બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાની તક પર ચર્ચા કરી. પીએમ મોદીએ યૂક્રેનના અધિકારીઓને ભારતીય વિદ્યાર્થીઓની નિરંતર શિક્ષાની વ્યવસ્થા કરવાની વિનંતી કરી, જેમને આ વર્ષની શરૂઆતમાં યૂક્રેનમાંથી પરત ફરવું પડ્યું હતું.

જેલેંસ્કીએ કહ્યું- રશિયા સાથે નહી કરીએ વાતચીત

ઓક્ટોબરમાં જેલેંસ્કીએ કહ્યું હતું કે કીવ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે નહીં. યૂક્રેનના ચાર રશિયન કબજાવાળા ક્ષેત્રો - લુહાંસ્ક, ડોનેટ્સ્ક, જાપોરિજ્જિયા અને ખેરસોનમાં જનમત સંગ્રહ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે યૂક્રેની ક્ષેત્રોના અવૈધ કબજાના પ્રયાસના બધા ઉદ્દેશ્યથી હુમલાવરોનો નિર્ણય ઝીરો છે. આ વાસ્તવિકતાને બદલી શકે નહીં. આવી પરિસ્થિતિઓમાં યૂક્રેન રશિયન સંઘના વર્તમાન રાષ્ટ્રપતિ સાથે કોઇ વાતચીત કરશે નહીં.

આ પણ વાંચો - ‘બૉમ્બ સાયક્લોન’: યુએસ અને કેનેડામાં જોવા મળતું તોફાની વાવાઝોડું

Advertisment

આ પહેલા સોમવારે યૂક્રેને રશિયાને સંયુક્ત રાષ્ટ્રમાંથી હટાવવાની માંગણી કરી હતી. મોસ્કો સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય તરીકે કોઇપણ પ્રસ્તાવને વીટો કરી શકે છે. વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું હતું કે યૂક્રેને સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય રાષ્ટ્રોને આહ્વવાન કર્યું કે રશિયન સંઘને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યના રૂપમાં પોતાની સ્થિતિથી વંચિત કરી દેવામાં આવે અને સંયુક્ત રાષ્ટ્રથી બહાર કરી દેવામાં આવે.

india રશિયા નરેન્દ્ર મોદી યુક્રેન દેશ PM Narendra Modi