/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Amit-shah-interview.jpg)
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઈન્ટરવ્યૂ - photo- x ANI
Amit shah interview : સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ગૃહમંત્રી અમિત શાહે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ બે વર્ષ ગુજરાતની બહાર રહ્યા હતા. કારણ કે ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈની જામીન અરજી બે વર્ષ સુધી ચાલી નથી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ આલમે કહ્યું હતું કે ગુજરાતના ગૃહમંત્રી હોવાને કારણે શાહ પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે.
શાહે વધુમાં કહ્યું કે ન્યાયાધીશ આલમની વાત સાંભળ્યા પછી, મારા વકીલે કહ્યું કે જો આ તમારો ડર છે, તો અમારા ક્લાયન્ટ જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગુજરાતની બહાર રહેશે. આ સાથે શાહે અન્ય ઘણી બાબતો પર પણ પોતાની વાત રજૂ કરી હતી.
સમાચાર એજન્સી ANI ના પત્રકાર સ્મિતા પ્રકાશ દ્વારા અમિત શાહ સાથેની મુલાકાતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આફતાબ આલમ તેમના નિવાસસ્થાને સહીઓ લેવા માટે આવ્યા હોવાના મીડિયા અહેવાલો વિશે પૂછવામાં આવતા, શાહે કહ્યું, 'આફતાબ આલમની કૃપાથી મારી જામીન અરજી 2 વર્ષ સુધી ચાલી. વધુમાં વધુ જામીન અરજી 11 દિવસ સુધી ચાલે છે.
11 દિવસને બદલે, જામીન અરજી 2 વર્ષ સુધી ચાલી
અમિત શાહે વધુમાં કહ્યું, 'જસ્ટિસ આફતાબ આલમ ક્યારેય મારા ઘરે આવ્યા ન હતા અને તેમની કોઈ જરૂર પણ નહોતી. તેમણે રવિવારે એક ખાસ કોર્ટ બનાવી અને મારી જામીન અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, જસ્ટિસ આલમે કહ્યું કે ગૃહમંત્રી હોવાને કારણે, અમિત શાહ પુરાવાઓને પ્રભાવિત કરશે.
#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf
— ANI (@ANI) August 25, 2025
તો મારા વકીલે કહ્યું કે જો આ તમારો ડર છે, તો અમારા અસીલ જામીન અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગુજરાતની બહાર રહેશે. મેં આ નિવેદન લીધું, આ મારો નિર્ણય હતો. હું બે વર્ષ રાજ્યની બહાર રહ્યો કારણ કે ભારતના ઇતિહાસમાં કોઈની જામીન અરજી ક્યારેય બે વર્ષ સુધી ચાલી નથી. આફતાબ આલમની કૃપાથી, મારી જામીન અરજી ૨ વર્ષ સુધી ચાલી. વધુમાં વધુ, જામીન અરજી 11 દિવસ સુધી ચાલે છે.
તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે શાહ જે કેસની વાત કરી રહ્યા છે તે 2005માં ગુજરાતના ગાંધીનગરમાં થયેલા એન્કાઉન્ટરનો છે જેમાં અંડરવર્લ્ડ ડોન સોહરાબુદ્દીન અને તેની પત્ની કૌસર બી માર્યા ગયા હતા. આ કેસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીની સરકારમાં ગૃહમંત્રી રહેલા અમિત શાહની 2010 માં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
જે પછી શાહને ત્રણ મહિના અમદાવાદની સાબરમતી જેલમાં રહેવું પડ્યું. આ સાથે, શાહે જુલાઈ 2011 માં મોદી સરકારમાંથી રાજીનામું આપ્યું. સીબીઆઈએ શાહ પર એન્કાઉન્ટરના કાવતરાના માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે તેમના ઇન્ટરવ્યુમાં આ કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીના કિસ્સા અંગે જણાવ્યું હતું. બાદમાં શાહને આ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ તરફથી ક્લીનચીટ મળી ગઈ.
આફતાબ આલમ કોણ છે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉલ્લેખિત ભૂતપૂર્વ ન્યાયાધીશ આફતાબ આલમ, બિહારના પટનાના વતની છે. 19 એપ્રિલ, 1948 ના રોજ જન્મેલા આફતાબ આલમ 27 જુલાઈ, 1990 ના રોજ પટના હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા. આ પછી તેમની બદલી જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટમાં થઈ. તેઓ થોડા સમય માટે ત્યાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યા. આ પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા. તેમણે 11 નવેમ્બર, 2007 ના રોજ કાર્યભાર સંભાળ્યો અને પછી 18 એપ્રિલ, 2013 ના રોજ નિવૃત્ત થયા.
આ પણ વાંચોઃ- PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે અમદાવાદમાં આવશે, નિકોલમાં રોડ શો, જાહેરસભા સંબોધશે, વાંચો કયા રસ્તાઓ બંધ રહેશે?
આ કાર્યકાળ દરમિયાન, આફતાબ આલમે ગુજરાત સંબંધિત કેસોની સુનાવણી કરી. નિવૃત્તિ પછી 1 જુલાઈ, 2013 ના રોજ, કેન્દ્ર સરકારે ન્યાયાધીશ આફતાબ આલમને ટેલિકોમ વિવાદ સમાધાન અને અપીલ ટ્રિબ્યુનલ (TDSAT) ના અધ્યક્ષ બનાવ્યા. ન્યાયાધીશ આફતાબ આલમ પર સાંપ્રદાયિક માનસિકતા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એસએમ સોનીએ ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને કહ્યું હતું કે ન્યાયાધીશ આફતાબ આલમને ગુજરાતના કેસમાંથી દૂર કરવા જોઈએ. તેમણે આ પત્ર જુલાઈ 2012 માં લખ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us