25 વર્ષ વીતી ગયા, હજુ કેટલી રાહ જોવી? UNમાં ભારતે ફરી દુનિયાને બતાવ્યો અરીસો

Ruchira Kamboj In United Nations Security Council : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિકા કંબોજે કહ્યું કે, હાલ તાત્કાલિક સુધારા કરવાની જરૂરી છે. વોટ પાવર કાઉન્સિલની નિર્ણય પ્રક્રિયામાં અવરોધ ન બનવો જોઈએ.

Ruchira Kamboj In United Nations Security Council : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિકા કંબોજે કહ્યું કે, હાલ તાત્કાલિક સુધારા કરવાની જરૂરી છે. વોટ પાવર કાઉન્સિલની નિર્ણય પ્રક્રિયામાં અવરોધ ન બનવો જોઈએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ruchira Kamboj | Ruchira Kamboj In UNSC | united nations security council

Ruchira Kamboj : રૂચિકા કંબોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ છે. (Photo - @ruchirakamboj)

Ruchira Kamboj In United Nations Security Council : ભારત એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારણા કરવા પર ભાર મૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે 78મા સત્રની અનૌપચારિક બેઠકમાં કહ્યું કે તાત્કાલિક સુધારાની જરૂર છે. રુચિરા કંબોજે કહ્યું કે 25 વર્ષ વીતી ગયા છે અને દુનિયાએ ક્યાં સુધી રાહ જોવી જોઈએ? તેમણે કહ્યું કે વિશ્વ અને આપણી આવનારી પેઢીઓ વધુ રાહ જોઈ શકે નહીં.

Advertisment

સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ પર સુધારા રજૂ કરવા જોઈએ - ભારત

રૂચિરા કંબોજે કહ્યું કે, આગામી વર્ષ સંયુક્ત રાષ્ટ્રની 80મી વર્ષગાંઠ છે. આવા સ્થિતિમાં આ પ્રસંગે જરૂરી સુધારા રજૂ કરવા જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણે આફ્રિકા સહિત ભાવી પેઢીની અવાજ પર ધ્યાન આપી સુધારાને આગળ વધારવા જોઇએ. જો આવું ન કરવામાં આવ્યું તો આપણે સંઘને ગુમનામીની ખીણમાં ધકેલી દઇશું.

વીટો પાવર વિશે પણ રૂચિરા કંબોજે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે, વોટ પાવર કાઉન્સિલની નિર્ણય પ્રક્રિયામાં અવરોધ ન બનવો જોઈએ. ઉપરાંત, નવા સ્થાયી સભ્યોની સમીક્ષા દરમિયાન, જ્યાં સુધી નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી વીટોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. રૂચિરા કંબોજે તેમના સંબોધનમાં, સુધારણા પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય તેવા ચોક્કસ જૂથો અથવા દેશોને ઓળખવાનું સૂચન કર્યું હતું.

Advertisment

બ્રિટનનું ભારતને સમર્થન

ભારતને આ મામલે બ્રિટનનો સાથ મળ્યો છે. બ્રિટને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને ભારત ના સૂચનોને સમર્થન આપ્યું છે. બ્રિટને X પર પોસ્ટ કર્યું કે સુરક્ષા પરિષદ આજની દુનિયાનું વધુ પ્રતિનિધિ હોવું જોઈએ. તેમણે કહ્યું કે અમે તેના વિસ્તરણને સમર્થન આપીએ છીએ અને વધુ વૈવિધ્યસભર, અસરકારક કાઉન્સિલ જોવા માંગીએ છીએ. બ્રિટને કહ્યું કે G4 દેશો (બ્રાઝિલ, જર્મની, ભારત અને જાપાન) પાસે કાયમી બેઠકો હોવી જોઈએ અને કાયમી પ્રતિનિધિત્વ હોવું જોઈએ.

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ફટકો, સાંસદ બ્રિજેન્દ્ર સિંહનું રાજીનામું; કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો

એસ. જયશંકરે પણ સુધારાની હિમાયત

અગાઉ રાયસીના ડાયલોગ સમિટમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો G-20નો વિસ્તાર કરી શકાય છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતાનો પણ વિસ્તાર કરી શકાય છે.

india વિશ્વ