ઉન્નાવ અકસ્માત : એક્સપ્રેસ વે પર સ્લીપર બસ ટેન્કર સાથે અથડાઈ, બે મહિલા, બાળક સહિત 18નાં મોત, 19 ઘાયલ

Unnao Accident, ઉન્નાવ અકસ્માત : બિહારના શિયોહરથી દિલ્હી જઈ રહેલી મહોબા જિલ્લાની ટ્રાવેલ કંપનીની સ્લીપર બસ બુધવારે સવારે લગભગ 6 વાગે બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના જોગીકોટ ગામની સામે એરસ્ટ્રીપ પર પહોંચી હતી.

Unnao Accident, ઉન્નાવ અકસ્માત : બિહારના શિયોહરથી દિલ્હી જઈ રહેલી મહોબા જિલ્લાની ટ્રાવેલ કંપનીની સ્લીપર બસ બુધવારે સવારે લગભગ 6 વાગે બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના જોગીકોટ ગામની સામે એરસ્ટ્રીપ પર પહોંચી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Accident news, UP accident, unnao accident

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ભયંકર અકસ્માત photo Jansatta

Unnao Accident, ઉન્નાવ અકસ્માત : ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં બુધવારે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં બસ અને દૂધના ટેન્કરની ટક્કર થઈ હતી. મળતી માહિતી મુજબ, લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બિહારના શિવગઢથી દિલ્હી જઈ રહેલી સ્લીપર બસ બેહતા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરસ્ટ્રીપ પર એક ટેન્કર સાથે અથડાઈ હતી.

Advertisment

એક્સપ્રેસ વે પર ડાબી બાજુથી દૂધના ટેન્કરને ઓવરટેક કરતી વખતે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે મહિલાઓ અને એક દસ વર્ષના બાળક સહિત 18 બસના મુસાફરોના મોત થયા છે. 20 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં બાળકો સહિત 100 જેટલા મુસાફરો બેઠા હતા.

બિહારના શિયોહરથી દિલ્હી જઈ રહેલી મહોબા જિલ્લાની ટ્રાવેલ કંપનીની સ્લીપર બસ બુધવારે સવારે લગભગ 6 વાગે બેહટા મુજાવર પોલીસ સ્ટેશન વિસ્તારના જોગીકોટ ગામની સામે એરસ્ટ્રીપ પર પહોંચી હતી. લખનૌથી આગ્રા તરફ જઈ રહેલા ટેન્કરને ઓવરટેક કરતી વખતે બસ ટેન્કર સાથે અથડાઈ હતી.

જેમાં 18 લોકોના મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા

ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટેન્કર બંનેના ટુકડા થઈ ગયા હતા. સ્પીડ વધુ હોવાને કારણે બસની ડ્રાઇવર સાઇડ આગળથી પાછળના ભાગે નુકસાન થયું હતું. સીટ પર બેઠેલા અને સુતેલા મુસાફરોમાંથી 18 લોકોના મોત થયા હતા, જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા.

Advertisment

ગંભીર રીતે ઘાયલોને ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા

માહિતી મળતાં જ યુપેડાની રેસ્ક્યુ ટીમ અને પીઆરવી ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. એસપી સિદ્ધાર્થ શંકર મીણા, સીઓ અરવિંદ કુમાર પોલીસ દળ સાથે પહોંચ્યા અને બધાને બાંગરમાઉ સીએચસી મોકલ્યા. સારવાર બાદ ઘાયલોને ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

ટિકિટના આધારે મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો

હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. સીઓએ કહ્યું કે ટ્રાવેલ કંપની દ્વારા બુક કરાયેલી ટિકિટના આધારે મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ- Order of St Andrew : ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ શું છે? PM મોદીને રશિયાના સૌથી મોટું નાગરિક સન્મન અપાયું

અકસ્માત બાદ જામ થઈ ગયો હતો

ક્ષતિગ્રસ્ત બસ અને ટેન્કર રસ્તા પર પલટી જતાં આગરા તરફ જતી લેન પરનો વાહનવ્યવહાર થંભી ગયો હતો. એરસ્ટ્રીપ હોવાના કારણે બંને તરફ લગભગ બે કિલોમીટર લાંબો જામ થયો હતો, યુપેડાની ટીમોએ ડિવાઈડર માટે મૂકેલા કોંક્રીટના બોલાર્ડ હટાવીને ટ્રાફિક ચાલુ કર્યો હતો. લગભગ બે કલાક સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

અકસ્માત ઉત્તર પ્રદેશ દેશ