Explained: ઇરાનના યુદ્ધ જહાજને દરિયામાં ડૂબાડવું કેટલું કાયદેસર છે? આંતરરાષ્ટ્રીય કાયદો શું કહે છે, નિયમો જાણો

Israel US Iran War: ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજ IRIS Denaને ટોર્પિડો એટેકથી ડૂબાડી દીધું હતું. શ્રીલંકાના નૌકાદળે આ યુદ્ધ જહાજના બચી ગયેલા 32 ખલાસીઓને બચાવ્યા હતા અને 87 મૃતદેહો પણ મળી આવ્યા હતા.

Israel US Iran War: ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે અમેરિકાએ હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજ IRIS Denaને ટોર્પિડો એટેકથી ડૂબાડી દીધું હતું. શ્રીલંકાના નૌકાદળે આ યુદ્ધ જહાજના બચી ગયેલા 32 ખલાસીઓને બચાવ્યા હતા અને 87 મૃતદેહો પણ મળી આવ્યા હતા.

author-image
Ajay Saroya
New Update
warship

Warship : યુદ્ધ જહાજ Photograph: (Freepik)

Israel US Iran War: ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે અમેરિકાની એક સબમરીને શ્રીલંકાથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર ઇરાનનું યુદ્ધ જહાજ IRIS Dena ટોરપીડોથી નિશાન બનાવી ડૂબાડી દીધું હતું. આ પછી ઈરાને ઈઝરાયલ અને અમેરિકાના અનેક ઠેકાણાંઓ પર નવા હુમલા કર્યા હતા અને ધમકી આપી હતી કે હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને ટોર્પિડો એટેકથી ડૂબાડવા બદલ અમેરિકાને પસ્તાવો કરવો પડશે. આ ઘટના દરિયાઈ યુદ્ધ સાથે સંકળાયેલા કાયદાકીય પાસાઓ તરફ પણ ધ્યાન દોરે છે.

Advertisment

પર્શિયન અખાત થી અત્યાર સુધી દૂર અને ચીનને મધ્ય પૂર્વ સાથે જોડતા મુખ્ય દરિયાઇ વેપાર માર્ગની નજીક, આવા હુમલા સૂચવે છે કે ઇરાન સાથેનો સંઘર્ષ વિશાળ પ્રદેશમાં ફેલાઈ શકે છે. લોકોના મનમાં પણ સવાલ ઉભો થયો કે શું આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાયદેસર હતો? ઉપરાંત, જહાજ ડૂબી ગયા પછી બચી ગયેલા લોકોને બચાવવાની જવાબદારી કોની હોય છે?

દરિયાઇ યુદ્ધનો કાયદો શું છે?

દરિયાઇ યુદ્ધનો કાયદો એ સશસ્ત્ર સંઘર્ષના કાયદાનો એક ભાગ છે જે દરિયામાં યુદ્ધમાં સામેલ લડવૈયાઓ, નાગરિકો અને તટસ્થ દેશોના અધિકારો અને સુરક્ષાને લગતા નિયમો નક્કી કરે છે. આ કાયદો સ્વતંત્ર રીતે લાગુ પડે છે કે યુદ્ધ શરૂ કરવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ માન્ય હતો કે નહીં. જો યુદ્ધની શરૂઆત અંગે વિવાદ હોય તો પણ યુદ્ધ દરમિયાન દરિયામાં લશ્કરી કાર્યવાહીએ આ નિયમોનું પાલન કરવું પડે છે. યુદ્ધની ઔપચારિક ઘોષણા કરવામાં આવે છે કે નહીં તે દરિયાઇ યુદ્ધના કાયદા દ્વારા લશ્કરી કામગીરીનું સંચાલન કરવામાં આવે છે. જ્યાં દરિયાઇ યુદ્ધના કાયદા અને યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOAS) વચ્ચે સંઘર્ષ થાય છે, ત્યાં દરિયાઇ યુદ્ધનો કાયદો પ્રાથમિકતા ધરાવે છે.

તે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે જેને 'લેક્સ સ્પેશિયાલિસ' કહેવામાં આવે છે. કાયદા અનુસાર, આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ કોઈપણ દેશના યુદ્ધ જહાજોને કુદરતી રીતે સૈન્ય લક્ષ્ય માનવામાં આવે છે, તેથી તેમના પર હુમલો કરવો કાયદેસર છે. આવા હુમલાઓ ખુલ્લા સમુદ્રમાં અથવા સંઘર્ષમાં સામેલ દેશોના 12 નોટિકલ માઇલ પ્રવેશના જળ ક્ષેત્રની અંદર કરી શકાય છે. જો કે, તટસ્થ દેશોના દરિયાન ક્ષેત્રમાં હુમલો કરવો કાયદેસર માનવામાં આવતો નથી.

Advertisment

IRIS Dena’ શ્રીલંકાની જળ સીમાની બહાર હતું

અહેવાલો અનુસાર, IRIS Dena શ્રીલંકાની પ્રાદેશિક જળ સરહદની બહાર કાર્યરત હતું. આવી સ્થિતિમાં, દરિયાઇ યુદ્ધના કાયદા હેઠળ તેને કાયદેસર લશ્કરી લક્ષ્ય માનવામાં આવે છે. જો તે શ્રીલંકાના દરિયાકાંઠેથી 12 નોટિકલ માઇલની અંદર હોત તો આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ હુમલો ગેરકાયદેસર હોત. દરિયાઇ યુદ્ધનો કાયદો જહાજ ડૂબી ગયા પછી બચી ગયેલા લોકોને બચાવવાની જવાબદારી પણ નક્કી કરે છે.

જહાજ ડૂબી ગયા પછી બચી ગયેલા લોકોને બચાવવાની જવાબદારી કોની છે?

1949ના બીજા જીનીવા કન્વેન્શન અનુસાર, સંઘર્ષમાં સામેલ પક્ષોએ દરેક લશ્કરી અથડાયમણ પછી જહાજ ડૂબી જવાથી અસરગ્રસ્ત, ઘાયલ અને બીમાર લોકોને શોધવા અને બચાવવા માટે દરેક શક્ય પગલાં ભરવા પડશે. જો કે, સબમરીન માટે આ જવાબદારી નિભાવવી વ્યવહારીક રીતે મુશ્કેલ હોઈ શકે છે. જળ સપાટી પર જઇને બચાવ કામગીરી કરવાથી તેમને જોખમ થઇ શકે છે અને સબમરીનમાં લોકોને રાખવાની ક્ષમતા મર્યાદિત હોય છે. આવી સ્થિતિમાં, સબમરીન સીધો બચાવ કરવાને બદલે અન્ય જહાજો અથવા અધિકારીઓને બચી ગયેલા લોકો વિશે જાણ કરી શકે છે.

શ્રીલંકાના નૌકાદળે આઈઆરઆઈએસ દેનાના 32 નાવિકોને બચાવ્યા હતા અને અધિકારીઓના જણાવ્યા અનુસાર 87 મૃતદેહો પણ મળી આવ્યા હતા. શ્રીલંકાના સત્તાવાળાઓને આ ઘટના અંગે કેવી રીતે જાણ કરવામાં આવી તે સ્પષ્ટ નથી, પરંતુ સંભવ છે કે યુએસ નેવીએ બચી ગયેલા લોકોના સ્થાન વિશે માહિતી આપી હતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, ઇરાન સાથેના સંઘર્ષમાં અમેરિકાની ભૂમિકાની કાયદેસરતા પર ચર્ચા ચાલુ છે, ત્યારે દરિયામાં આ સૈન્ય કાર્યવાહીને દરિયાઇ યુદ્ધના કાયદા હેઠળ કાયદેસર લશ્કરી લક્ષ્ય પર હુમલો ગણી શકાય.

આ પણ વાંચો | ઇઝરાયલના 50 લડાકુ વિમાનોએ અયાતુલ્લાહ ખામેનેઇનું અંડરગ્રાઉન્ડ બંકર આવી રીતે ધ્વસ્ત કર્યું હતું, જુઓ વીડિયો

ઇરાને યુએઈ અને જોર્ડનમાં US રડાર સિસ્ટમ પર હુમલો કર્યો

યુએઈ અને જોર્ડનમાં સ્થિત કેટલાક યુએસ સૈન્ય રડારને ઇરાની મિસાઇલો અને ડ્રોન દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે. સેટેલાઇટ તસવીરોમાંથી આ જાણકારી સામે આવી છે. સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે સંયુક્ત આરબ અમીરાત અને જોર્ડન સ્થિત ઘણા યુએસ સૈન્ય રડારને ઇરાની મિસાઇલો અને ડ્રોન દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે. 

એક્સપ્રેસ એક્સપ્લેન અમેરિકા ઈરાન ઈઝરાયલ ઈરાન ઈઝરાયલ યુદ્ધ