/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/US-Visa.jpg)
US Visa: યુએસ વીઝા. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
US Trump Administration Warning To International Student: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આકરા નિર્ણય લઇ રહ્યા છે. હવે અમેરિકા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને અન્ય વિદેશી વિદ્યાર્થીઓને કડક ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ અભ્યાસ છોડી દે છે અથવા તો તેમને જાણ કર્યા વગર અભ્યાસ કાર્યક્રમમાંથી હટી જાય છે તો તેમના વિઝા રદ કરવામાં આવી શકે છે. ભારતમાં અમેરિકન દૂતાવાસે (@USAndIndia ઓન એક્સ) મંગળવારે સવારે એક x પોસ્ટ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ અને કોલકાતામાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસે આ પોસ્ટને રી પોસ્ટ કરી છે.
અમેરિકાના દૂતાવાસે શું કહ્યું?
ભારતમાં યુએસ એમ્બેસીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "જો તમે શાળાને નોટિસ આપ્યા વિના છોડી દો છો, ક્લાસ લેક્ચર ચૂકી જાઓ છો અથવા છોડી દો છો, તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે અને તમે ભવિષ્યમાં યુએસ વિઝા માટેની તમારી પાત્રતા ગુમાવી શકો છો." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કોઈપણ મુશ્કેલીથી બચવા માટે હંમેશા તમારા વિઝાની શરતોનું પાલન કરો."
અમેરિકન દૂતાવાસે થોડા દિવસો પહેલા અહેવાલ આપ્યો હતો કે ગુનાહિત દોષી ઠેરવવાવાળા લોકોને અમેરિકામાં પ્રવેશવા પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવી શકાય છે. 22 મેના રોજ જારી કરવામાં આવેલા એક નિવેદનમાં, અધિકારીઓએ કહ્યું હતું કે નાના ગુનાઓ પણ વિઝા રદ કરી શકે છે. અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની અરજીઓ અને ઇન્ટરવ્યુમાં સત્ય માહિતી જણાવે. ખોટું બોલવા બદલ તમારા પર પ્રતિબંધ લાગી શકે છે.
એવી જ રીતે, અન્ય એક ચેતવણીમાં જણાવાયું છે કે ભારતીય ઇમિગ્રન્ટ્સ અને અન્યને યુ.એસ. માં વધુ પડતું રોકાણ ન કરવા કહેવામાં આવ્યું છે. જેના કારણે એચ-1બી વિઝા, એફ-1 સ્ટડી વિઝા અને બી-2 ટૂરિસ્ટ વિઝા માટે એમ્પ્લોયમેન્ટ પરમિટ ધરાવતા લોકો માટે આ મેસેજ ખાસ કરીને આપત્તિજનક રહ્યો હતો.
સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "જો તમે તમારા રોકાણના અધિકૃત સમયગાળા પછી અમેરિકામાં રહો છો, તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં યુએસ પ્રવાસ પર કાયમી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે."
અમેરિકામાંથી ભારતીયોને દેશનિકાસ
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્ષ 2009-2024ની સમયમર્યાદા દરમિયાન કુલ 15,564 ભારતીય નાગરિકોને અમેરિકાએ ચાર્ટર્ડ અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા દેશનિકાલ કર્યા હતા. એપ્રિલની શરૂઆતમાં, વિદેશ મંત્રાલયે વધુમાં ખુલાસો કર્યો હતો કે જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 682 ભારતીય નાગરિકોને અમેરિકા માંથી દેશનિકાલ કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us