વિજય માલ્યા, નીરવ મોદી ભારતને સોંપાશે? બ્રિટિશ અધિકારીએ તિહાર જેલની મુલાકાત લીધી

Vijay Mallya Nirav Modi Extradition : વિજય માલ્યા નીરવ મોદી પ્રત્યાર્પણઃ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર તરફથી યુકેમાં અપિલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બ્રિટિશ અધિકારીઓની તિહાડ જેલની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાંચો આલોક સિંહનો આ મુદ્દે ખાસ અહેવાલ.

Written by Ajay Saroya
September 07, 2025 08:44 IST
વિજય માલ્યા, નીરવ મોદી ભારતને સોંપાશે? બ્રિટિશ અધિકારીએ તિહાર જેલની મુલાકાત લીધી
Vijay Malya And Nirav Modi : વિજય માલ્યા અને નીરવ મોદી બંને ભાગેડૂ આર્થિક અપરાધી છે. (Photo : Express)

Vijay Mallya Nirav Modi Extradition : ભારતમાં મોટા આર્થિક અપરાધો કર્યા બાદ બ્રિટનમાં શરણ લેનારા વિજય માલ્યા, નીરવ મોદી અને લલિત મોદીના પ્રત્યાર્પણને લઇને ભારત સરકાર સતત યુકેના સંપર્કમાં છે. બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (સીપીએસ)ની એક ટીમે તાજેતરમાં દિલ્હીની તિહાર જેલની મુલાકાત લીધી હતી અને જેલ પરિસરમાં કેદીઓની સ્થિતિ અને સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું.

આ કેસ યુકેથી ભાગેડુ આર્થિક ગુનેગારોને પ્રત્યાર્પણ કરવાના ભારત સરકારના પ્રયાસોનો એક ભાગ છે, જેમાં લિકર બિઝનેસમેન વિજય માલ્યા, હીરાના વેપારી નીરવ મોદી અને યુકે સ્થિત શસ્ત્ર સલાહકાર સંજય ભંડારીનો સમાવેશ થાય છે. બ્રિટનની અદાલતોએ તાજેતરની પ્રત્યાર્પણની સુનાવણી દરમિયાન ભારતની જેલોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

બ્રિટિશ અધિકારીએ શા માટે મુલાકાત લીધી?

એક સત્તાવાર સૂત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ચાર અધિકારીઓની ટીમમાં બ્રિટિશ હાઇ કમિશનના બે અધિકારીઓ સામેલ હતા. તેમણે તિહારની જેલ નંબર 4ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઉચ્ચ સુરક્ષા વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને કેદીઓ સાથે વાતચીત પણ કરી હતી.

જેલ નંબર 4 એ જગ્યા છે જ્યાં પ્રથમ વખત કેદીઓને રાખવામાં આવે છે. જોકે આ મુલાકાત પૂર્વ આયોજિત હતી, પરંતુ અધિકારીઓ 16 જુલાઇએ પહોંચ્યા હતા અને પરિસરમાં કલાકો વિતાવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તિહાર જેલના સત્તાવાળાઓએ સીપીએસની ટીમને ખાતરી આપી હતી કે કેદીઓના પ્રત્યાર્પણ માટે યોગ્ય કાળજી લેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, ટીમે કહ્યું કે જો જરૂર પડે તો આ હાઇપ્રોફાઇલ કેદીઓને રાખવા માટે એક ખાસ એન્ક્લેવ અથવા એન્ક્લોઝર બનાવી શકાય છે. તે હાઈ-પ્રોફાઇલ કેદીઓને અન્ય કેદીઓથી અલગ રાખવામાં મદદ કરશે. ટીમે કેદીઓની હાલતને પણ ધ્યાનમાં લીધી હતી, તેમ સૂત્રે જણાવ્યું હતું.

તિહાર જેલમાં બની હતી ગુનાહિત ઘટનાઓ

તાજેતરના વર્ષોમાં, તિહાર જેલની અંદર ગેંગ વોર, હત્યાઓ અને સાથી કેદીઓ પર હુમલાના અહેવાલોએ જેલમાં કેદીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. 2023 માં, બે હાઇ-પ્રોફાઇલ ગેંગસ્ટર્સ, ટિલ્લુ તાજપુરિયા અને પ્રિન્સ તેવટિયાની તિહારમાં હરીફ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ