વકફ બોર્ડમાં નવી નિમણુકો પર રોક, કેન્દ્રને 7 દિવસનો સમય આપ્યો, સુપ્રીમ કોર્ટે આદેશમાં શું-શું કહ્યું?

Waqf Act Supreme Court : સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે

Waqf Act Supreme Court : સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
supreme court

સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર - Photo - Jansatta

Waqf Act Supreme Court : સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કોર્ટ પાસે જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો હતો. સોલિસિટર જનરલે ખાતરી આપી હતી કે સુનાવણીની આગામી તારીખ સુધી વકફ બોર્ડ અથવા વકફ કાઉન્સિલમાં કોઈ સભ્ય ઉમેરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે તેમનું નિવેદન રેકોર્ડ પર લીધું અને સરકારને જવાબ દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો. સરકાર તરફથી જવાબ દાખલ કર્યા બાદ અરજદારોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 5 મેના રોજ થશે.

Advertisment

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ મામલો ત્યારબાદ વચગાળાના આદેશ માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે આટલી અરજીઓ પર સુનાવણી કરવી અશક્ય છે, તેથી માત્ર 5 અરજીઓ પર જ સુનાવણી થશે. જોકે વકફ એક્ટની બંધારણીય માન્યતાને પડકારતી કુલ 10 અરજીઓ સુપ્રીમ કોર્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવી છે. વકફની અરજીઓ પર સુનાવણી કરી રહેલી બેન્ચમાં સીજેઆઈ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનનો સમાવેશ થાય છે.

આ લોકોએ દાખલ કરી છે અરજી

આ અરજીઓ એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી, આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, એસોસિયેશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, અરશદ મદની, સમસ્ત કેરળ જમિયતઉલ ઉલેમા, અંજુમ ક્વાડ્રી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શફી, મોહમ્મદ ફઝલુર રહીમ અને આરજેડી નેતા મનોજકુમાર ઝાએ કરી છે. આ યાદીમાં ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા અને સમાજવાદી પાર્ટીના નેતા ઝિયા-યોર-રહેમાન બરક દ્વારા દાખલ કરવામાં આવેલી નવી અરજીઓની યાદી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો - વકફ કાયદા સામે ‘સુપ્રીમ’ પડકાર અને લોકશાહી, એક્સપ્રેસ ઓપિનિયનમાં સમજીએ કાનૂની ખેલ!

Advertisment

કોર્ટમાં વક્ફ એક્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વકફ એક્ટની જોગવાઈઓ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જોગવાઈઓ પર રોક લગાવવી એ એક સખત પગલું હશે. એટલું જરૂર કહી શકાય કે, વકફ કાયદા સામે દેશભરમાં મુસ્લિમ સમુદાય અને વિરોધ પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ કાયદાના વિરોધમાં થયેલી હિંસાને લઇને રાજકીય માહોલ પણ ખૂબ જ ગરમ છે.

સરકાર વકફ-બાય-યુઝર સંપત્તિઓને ડી-નોટિફાઇ કરશે નહીં

વક્ફ એક્ટ પર સુનાવણી દરમિયાન હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા તરફથી કોર્ટમાં હાજર રહેલા વકીલ વરુણ કુમાર સિન્હાએ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટમાં ભારતના સોલિસિટર જનરલે સ્પષ્ટ કહ્યું છે કે નવા સુધારા કાયદા હેઠળ વકફ કાઉન્સિલ અથવા બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલે એમ પણ કહ્યું છે કે સરકાર આગામી સુનાવણી સુધી રજિસ્ટર્ડ અને વકફ-બાય-યુઝર સંપત્તિઓને ડી-નોટિફાઇ કરશે નહીં. એસજીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર કોઈની વિરુદ્ધ નથી.

વકફ કાયદો સુપ્રીમ કોર્ટ