Prayagraj Mahakumbh : આટલી ભીડ કેમ, કઇ વાતની હોડ? 144 વર્ષ પછી મહાકુંભ વાળા તર્કની પુરી હકીકત જાણો

Prayagraj Mahakumbh : રાજધાનીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. આ દર્દનાક દુર્ઘટના બાદ ફરી એક વાર સવાલો ઉભા થયા છે કે, મહાકુંભમાં જવા માટે લોકો આટલા ઉત્સુક કેમ છે? શા માટે આવી ભીડ પ્રયાગરાજ પહોંચવા માંગે છે? કેમ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહાકુંભ 144 વર્ષ બાદ ફરી યોજાશે. આ સવાલોના જવાબ જાણવા જરૂરી છે

Prayagraj Mahakumbh : રાજધાનીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. આ દર્દનાક દુર્ઘટના બાદ ફરી એક વાર સવાલો ઉભા થયા છે કે, મહાકુંભમાં જવા માટે લોકો આટલા ઉત્સુક કેમ છે? શા માટે આવી ભીડ પ્રયાગરાજ પહોંચવા માંગે છે? કેમ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહાકુંભ 144 વર્ષ બાદ ફરી યોજાશે. આ સવાલોના જવાબ જાણવા જરૂરી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
mahakumbh, mahakumbh 2025

mahakumbh 2025 : વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ શ્રદ્ધા, આધ્યાત્મિકતા અને સામૂહિકતાની અદ્ભુત શક્તિનું પ્રતીક છે (Photo: Mahakumbh/Twitter)

Prayagraj Mahakumbh Snan Importance: રાજધાનીના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 18 લોકોના મોત થયા છે. આ દર્દનાક દુર્ઘટના બાદ ફરી એક વાર સવાલો ઉભા થયા છે કે, મહાકુંભમાં જવા માટે લોકો આટલા ઉત્સુક કેમ છે? શા માટે આવી ભીડ પ્રયાગરાજ પહોંચવા માંગે છે? કેમ લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મહાકુંભ 144 વર્ષ બાદ ફરી યોજાશે. આ સવાલોના જવાબ જાણવા જરૂરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં પ્રયાગરાજમાં રેકોર્ડ ભીડ આવી છે, ટ્રેન હોય, બસ હોય કે પછી કોઈ પણ સ્ટેશન, દરેક જગ્યાએ ભારે ભીડ જોવા મળે છે.

Advertisment

આ મામલે પ્રયાગરાજના સ્વામી વિમલેશાચાર્યજી મહારાજ સાથે લોકોને જાગૃત કરવા માટે ખાસ વાતચીત કરી છે. અમે તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું દરેકને મહાકુંભમાં જવું જરૂરી છે કે પછી પરિવારનો કોઈ સભ્ય બધા માટે પૂણ્ય કમાઈ શકે છે? 144 વર્ષ વાળી દલીલની હકીકત પણ સમજાવી છે.

પુરાણમાં કુંભનો મહિમા વર્ણવવામાં આવ્યો છે

પ્રયાગરાજના શ્રી લક્ષ્મી નારાયણ આશ્રમના પીઠાધીશ્વર સ્વામી વિમલેશાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે પદ્મ પુરાણના પાતાલખંડમાં 'શેષજી મહારાજ'એ આ મહત્વપૂર્ણ યોગ વિશે ઉલ્લેખ કર્યો છે. પ્રયાગરાજમાં જ્યારે 12 કુંભ પૂર્ણ થાય છે તો આ વિશેષ અમૃત યોગ બને છે. તેને 144 વર્ષમાં એકવારનો અવસર માનવામાં આવે છે. આ યોગ દરમિયાન મકરસંક્રાંતિથી મહાશિવરાત્રી સુધી ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું ખૂબ ગુણકારી માનવામાં આવે છે.

અમૃત યોગનું ધાર્મિક મહત્વ શું છે?

તેમણે કહ્યું કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી અમૃત યોગનું પુણ્ય ફળ મળે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પ્રયાગરાજ જઈને સ્નાન કરવું શક્ય ન હોય તો સંગમનું પાણી લઈને શરીર પર છાંટીને કે પછી તેને સામાન્ય પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી પણ એટલો જ પુણ્યદાયક લાભ મળે છે. આનો અર્થ એ છે કે આ ખાસ પ્રસંગે આદર અને નિષ્ઠાથી કરવામાં આવતી દરેક ક્રિયા વ્યક્તિને આધ્યાત્મિક લાભ લાવી શકે છે.

Advertisment
prayagraj swami vimleshacharya ji maharaj
પ્રયાગરાજના શ્રી લક્ષ્મી નારાયણ આશ્રમના પીઠાધીશ્વર સ્વામી વિમલેશાચાર્યજી મહારાજ.

ત્રિવેણી જળ સ્નાન અને તેનું પુણ્ય

સ્વામી વિમલેશાચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે તીર્થયાત્રાનો હેતુ મનને શાંતિ આપવાનો અને તીર્થયાત્રી પ્રત્યે સન્માન, શ્રદ્ધા અને ત્યાગની ભાવના વધારવાનો છે. તીર્થરાજ પ્રયાગરાજની મુલાકાત લેવાથી જે માનસિક શાંતિ મળે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘરમાં રહીને પણ મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને આસ્થા હોય તો તીર્થ સ્થળનું નામ લેવું અને ત્યાંના જળથી સ્નાન કરવું પણ એટલું પુણ્ય આપે છે.

આ પણ વાંચો - સાધુ-સંતો મહાકુંભ છોડતા પહેલા કેમ ખાય છે કઢી-પકોડા? શું છે માન્યતા

અમૃત યોગ દરમિયાન શરીર પર ત્રિવેણીના પાણીનો છંટકાવ કે ગ્રહણ કરવાથી પણ સંપૂર્ણ પૂણ્ય ફળ મળે છે. આ યોગ પૂર્ણ થયા બાદ પણ પ્રયાગરાજ પહોંચીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરનાર વ્યક્તિ પણ પુણ્યનો ભાગ બની જાય છે. જો આ વખતે પ્રયાગરાજ ન જઈ શકો તો સંગમનું જળ મેળવીને ઘરે જ શ્રદ્ધાથી સ્નાન કરો અને આ વિશેષ યોગનો પુણ્ય લાભ ઉઠાવો.

આ અમૃત યોગના કારણે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. પ્રયાગરાજનો કુંભ મેળો દુનિયાનો સૌથી મોટો તીર્થયાત્રા કાર્યક્રમ છે, અને આ વિશેષ યોગે તેનું મહત્વ અનેકગણું વધારી દીધું છે. ભક્તોનું માનવું છે કે આ યોગમાં સંગમમાં સ્નાન કરવાથી તેમને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મળશે.

મહાકુંભની ઐતિહાસિકતા હજારો વર્ષ જૂની છે

મહાકુંભની ઐતિહાસિકતા હજારો વર્ષ જૂની છે. આ મેળાનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમાં દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથનથી અમૃત પાત્રની પ્રાપ્તિની કથા મુખ્ય છે. આ કથા કુંભના આયોજનનો આધાર છે. કહેવાય છે કે પ્રયાગરાજના સંગમમાં અમૃતના કેટલાક ટીપાં પણ પડ્યા હતા, જેના કારણે આ સ્થળ અત્યંત પવિત્ર બની ગયું હતું.

મહાકુંભનો અમૃત યોગ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ આધ્યાત્મિક શાંતિ, આદર અને પુણ્ય લાભ માટે આ એક ઉત્તમ અવસર છે. દર 144 વર્ષે બનતા આ યોગનું મહત્વ દરેક ભક્ત માટે અવિસ્મરણીય છે. આ અવસર દરેકને પોતાની આધ્યાત્મિક યાત્રામાં એક નવી ઉંચાઈ પર પહોંચવાની તક આપે છે.

મહાકુંભ દિલ્હી india દેશ