Maharashtra Jharkhand Elections Results: ભાજપ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવી કેમ જરૂરી છે?

Maharashtra Jharkhand Assembly Elections Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને ઝારખંડ વિધાનસભાની 81 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. લોકસભા ચૂંટણી 2024માં અપેક્ષા કરતા ઓછી જીત જીવતવાને કારણે ભાજપ માટે મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવી મહત્વપૂર્ણ છે.

Written by Ajay Saroya
November 23, 2024 12:21 IST
Maharashtra Jharkhand Elections Results: ભાજપ માટે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી જીતવી કેમ જરૂરી છે?
આ પહેલા દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. (Express Photo)

Maharashtra Jharkhand Elections Results 2024: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જીતવા માટે ભાજપે પૂરા જોશ સાથે પ્રચાર કર્યો. ભાજપે આ રાજ્યોમાં પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ યોગી આદિત્યનાથ, હિમંત બિસ્વા સરમા જેવા અન્ય રાજ્યોના ફાયરબ્રાન્ડ મુખ્યમંત્રીઓ સહિત ટોચના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રમાં પાર્ટીની સ્થિતિ જરૂર નબળી માનવામાં આવી હતી પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા બટેંગે તો કટેંગે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક હૈ તો સેફ હૈ ના દમ પર મજબૂત ચૂંટણી માહોલ ઉભો કરવામાં સફળ થયા હતા. જો તમે અમુક ન્યૂઝ ચેનલ અને એજન્સીઓના એક્ઝિટ પોલ પર નજર કરીયે તો મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સરકાર બનવાની વાત કરી હતી જ્યારે ઝારખંડમાં કટ્ટર મુકાબલો છે.

145 અને 41 નો જાદુઈ આંકડા

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠક છે અને ઝારખંડમાં 81 વિધાનસભા બેઠક છે. વિધાનસભા સીટોની સંખ્યાના હિસાબે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે, જ્યારે ઝારખંડ માટે આ આંકડો 41 છે.

જો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનનો વિજય થશે તો ભાજપને મોટી રાહત મળશે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી જ કોંગ્રેસ અને વિરોધ પક્ષો એમ કહીને પર પ્રહાર કરી રહ્યા છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણીનો જાદુ ખતમ થઈ ગયો છે.

હરિયાણાની જીતે કાર્યકર્તાઓમાં જોશ ભર્યો

લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પર તમામ સવાલો ઉભા થયા તો હરિયાણામાં જીત થી પાર્ટીને બુસ્ટર ડોઝ મળી ગયો. હરિયાણામાં તમામ રાજકીય વિશ્લેષકોના દાવાને નિષ્ફળ સાબિત કરતા પાર્ટીએ સતત ત્રીજી વખત સરકાર બનાવી હતી અને આ રાજ્યના ચૂંટણી પરિણામોનો ઉલ્લેખ પણ ભાજપના નેતાઓએ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને તેના કારણે તેના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

મહારાષ્ટ્રમાં ભાજપ છેલ્લા 10 વર્ષથી સતત સાથી પક્ષો સાથે મળીને સરકાર ચલાવી રહી છે. જો આ વખતે પણ સરકાર બનશે તો ભારતના મોટા અને આર્થિક રીતે સક્ષમ રાજ્યમાં તેને ચોક્કસ મોટી જીત મળશે.

જો કે, જો તે એનડીએના સાથી પક્ષો સાથે મળીને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર બનાવવામાં નિષ્ફળ જશે, તો તે પાર્ટી માટે એક મોટી હાર માનવામાં આવશે અને હરિયાણાની જીત પછી તેના પર રાજકીય દબાણ વધશે. આ દરમિયાન સોમવારથી સંસદનું શિયાળુ સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. બંને રાજ્યોમાં જો ભાજપ ચૂંટણી જીતશે તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મામલે વિપક્ષના સંભવિત હુમલાઓનો સામનો કરવા તેમજ ત્વરીત વળતો જવાબ આપી શકશે.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને થયું મોટું નુકસાન

રાજકીય પક્ષ2024માં જીતેલી બેઠકો2019માં જીતેલી બેઠકો
ભાજપ923
કોંગ્રેસ131
NCP14
એનસીપી (શરદચંદ્ર પવાર)8
શિવસેના (યુ.બી.ટી.)9
શિવસેના718

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો ત્યારે તેની પાછળનું મુખ્ય કારણ અનામતની માગણી કરી રહેલા મરાઠા સમાજની નારાજગી, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે શિવસેના અને એનસીપીના મતદારોમાં સહાનુભૂતિ હતી કારણ કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે આક્ષેપ કર્યો હતો કે તેમની પાર્ટીઓમાં થયેલા વિભાજન માટે ભાજપ જવાબદાર છે. ઠાકરે અને પવારે કહ્યું કે ભાજપે પરંપરાગત પક્ષોને તોડફોડ કરીને મહારાષ્ટ્રમાં ખોટી રાજનીતિ શરૂ કરી છે.

મહિલા યોજનાનો લાભ ચૂંટણીમાં મળવાની અપેક્ષા

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી મોટી જાહેરાતો કરીને માઝી લડકી બહેન યોજના શરૂ કરી હતી. મહાયુતિ માટે સૌથી મોટો ચૂંટણી મુદ્દો માઝી લડકી બહેન યોજના છે. મહાયુતિએ જાહેરાત કરી છે કે જો તેની સરકાર ફરીથી બનશે તો મહિલાઓને દર મહિને 1500થી 2100 રૂપિયા આપવામાં આવશે. જ્યારે એમવીએએ આના જવાબમાં મહાલક્ષ્મી યોજના હેઠળ વચન આપ્યું છે કે તે મહિલાઓને દર મહિને 3000 રૂપિયા આપશે અને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા પણ આપશે. ભાજપને આશા છે કે આ યોજનાથી જબરદસ્ત રાજકીય મદદ મળશે.

બટેંગે તો કટેંગે…

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે બંધારણ અને અનામતને ખતરાની સાથે જાતિગત વસ્તીગણતરીને પણ મોટો મુદ્દો બનાવી દીધો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાયેલી તેમની ચૂંટણી રેલીઓમાં જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેના જવાબમાં ભાજપે બટેંગે તો કટેંગે અને એક હૈં તો સેફ હૈં નો નારો આપ્યો હતો. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નારાની પણ કસોટી થશે. ચૂંટણી પરિણામો બતાવશે કે શું ખરેખર આ રાજ્યોમાં આ સૂત્રોની કોઈ અસર થઈ છે.

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આવા સૂત્રો કામ કરતા નથી. ભાજપના નેતા પંકજા મુંડેએ પણ આ નારા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

હવે વાત કરીએ ઝારખંડ વિધાનસભા ચૂંટણ રાજકારણ વિશે

ઝારખંડ ભલે એક નાનું રાજ્ય હોય પરંતુ ચૂંટણીલક્ષી રાજકારણની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે અહીં મોટી સંખ્યામાં આદિવાસી મતદારો છે અને લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે તમામ આદિવાસી અનામત બેઠકો ગુમાવી ત્યારે વિરોધ પક્ષોએ કહ્યું હતું કે આદિવાસી મતદારો ભાજપની વિરુદ્ધમાં છે. પરંતુ ત્યાર બાદ પાર્ટીએ આદિવાસી મતદારો સુધી પહોંચવા માટે અનેક મોટા પગલા ભર્યા હતા. ઝારખંડમાં 26 ટકા આદિવાસી મતદારો છે.

ઝારખંડમાં આદિવાસી સમુદાય વચ્ચે પોતાની પકડ મજબૂત કરવા માટે ભાજપે પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, જેએમએમના સંસ્થાપક શિબુ સોરેનની વહુ સીતા સોરેન જેવા મોટા ચહેરાઓને સામેલ કર્યા છે અને તેમને ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવ્યા છે.

આ ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝારખંડમાં કથિત બાંગ્લાદેશી ગેરકાયદેસર ઘૂસણખોરી અને ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં પોતાની ચૂંટણી રેલીઓમાં કહ્યું હતું કે, આદિવાસીઓના અધિકારો અને હિસ્સા પર ઘૂસણખોરો દ્વારા કબજો કરવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના મતદારો ભાજપને મત આપે છે કે ભારત ગઠબંધનને તે જોવું રહ્યું?

આ સાથે રાજ્યમાં મોટી સંખ્યામાં બિન આદિવાસી મતદારો છે. બિન-આદિવાસી મતદારોએ ભાજપને મત આપ્યો હતો કે કેમ તે પણ ચૂંટણી પરિણામો બતાવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ