કેનેડામાં અભ્યાસ બાદના વર્ક પરમિટ PGWP નિયમમાં થઈ શકે છે ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓએ હવે શું કરવું જોઈએ?

Canada visa pgwp Work permit rules can change : કેનેડામાં અભ્યાસ પછી વર્ક પરમિટ લઈ પીઆર મેળવી લેવાનું સપનું અધુરૂ બની શકે છે. કેનેડા પીજીડબલ્યુપી કાર્યક્રમ નિયમમાં ફેરફાર કરી શકે છે, તો ભારતીય વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ અને કેવા અભ્યાસક્રમ પસંદ કરવા જોઈએ.

Written by Kiran Mehta
Updated : June 13, 2024 18:40 IST
કેનેડામાં અભ્યાસ બાદના વર્ક પરમિટ PGWP નિયમમાં થઈ શકે છે ફેરફાર, ભારતીય વિદ્યાર્થીઓએ હવે શું કરવું જોઈએ?
કેનેડા પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ, પીજીડબલ્યુપી પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે છે (ફોટો - એક્સપ્રેસ)

Canada Students and Work Permit Visa, અંજુ અગ્નિહોત્રી ચાબા : કેનેડાની ફેડરલ સરકારે પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) પ્રોગ્રામમાં કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવા માટે રાજ્યો (પ્રાંત) સાથે પરામર્શ શરૂ કર્યો છે, જે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી શકે છે.

અનિવાર્યપણે, આ ફેરફારોનો હેતુ PGWP ના લાભોને મર્યાદિત કરવાનો છે – જે હાલમાં કેનેડામાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે – ફક્ત તેવા સ્નાતકો સુધી, જેઓ મજૂરની અછત અનુભવતા ક્ષેત્રોમાં જોડાઈ શકે છે.

કેનેડા કેમ નિયમ માં ફેરફાર નું વિચારી રહ્યું, વાસ્તવમાં શું થયું છે?

કેનેડાની સરકારે કથિત રીતે પ્રાંતીય (રાજ્ય) સરકારોને “પીજીડબલ્યુપી ધારકોની કુલ સંખ્યા ઘટાડીને, મજૂર બજારની જરૂરિયાતો સાથે PGWP યોગ્યતાને સંરેખિત કરવાની જરૂરિયાત વિશે” પત્ર લખ્યો છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) બ્રીફિંગ પેપર જણાવે છે કે, “લક્ષિત શ્રમ બજાર જરૂરિયાતો અને ઇમિગ્રેશન ઉદ્દેશ્યોને વધુ સારી રીતે પૂર્ણ કરવા માટે [PGWP] પ્રોગ્રામને ફરીથી ગોઠવવા માટે કામ ચાલી રહ્યું છે”.

પેપર અનુસાર, જેમાં છેલ્લે 24 મેના રોજ સુધારો કરવામાં આવ્યો હતો, “શ્રમ બજારની જરૂરિયાતોને ફરીથી ગોઠવવાનો ઉદ્દેશ અછતમાં વ્યવસાયોમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે વર્ક પરમિટની સુલભતાની સુવિધા પૂરી પાડવાનો છે, જ્યારે અન્ય કાર્યક્રમોમાંથી સ્નાતકો માટેની પહોંચમાં ઘટાડો કરવાનો છે. જો શ્રમ બજારની ઓછી સુસંગતતા ધરાવતા કાર્યક્રમો પર કડક ટેપરિંગ લાગુ કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પીજીડબલ્યુપી ધારકોના જથ્થા પર તેની નોંધપાત્ર અસર પડી શકે છે.”

પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, “જાન્યુઆરી 2025 માં ફેરફારોને લાગુ કરવાના ઉદ્દેશ્ય સાથે, 2024 ની વસંતઋતુમાં [ઇમિગ્રેશન] મંત્રીને આ મુદ્દા પર સલાહ આપવામાં આવશે”.

PGWP શું છે અને તે હાલમાં કેવી રીતે કાર્ય કરે છે?

પીજીડબલ્યુપી કેનેડાનો લોકપ્રિય કાર્યક્રમ છે, જે અંતર્ગત નિયુક્ત શિક્ષણ સંસ્થાઓ (ડીએલઆઇ) માં અભ્યાસ પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડામાં તેમના સંબંધિત ક્ષેત્રોમાં કામ કરી શકે છે અને અનુભવ મેળવી શકે છે.

PGWP નો સમયગાળો કેનેડામાં વિદ્યાર્થીના અભ્યાસ કાર્યક્રમના સમયગાળા દ્વારા નક્કી કરવામાં આવે છે, અને તે આઠ મહિનાથી ત્રણ વર્ષ સુધીનો હોય છે. જો કે, જો વિદ્યાર્થીનો પાસપોર્ટ PGWP ની માન્યતા પહેલા સમાપ્ત થઈ જાય, તો પરમિટ પાસપોર્ટની સમાપ્તિ તારીખ સુધી જ પાત્ર રહે છે.

PGWP એ અભ્યાસ પૂર્ણ કર્યા પછી કેનેડામાં કાયમી નિવાસ (PR) મેળવવા તરફનું પ્રથમ પગલું છે, જે પંજાબના વિદ્યાર્થીઓનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. કેનેડા સરકારના બ્રીફિંગ પેપર મુજબ, 2023 માં કેનેડામાં 40% અભ્યાસ પરમિટ ધારકો ભારતના હતા, ત્યારબાદ 10% ચીનના અને 5% ફિલિપાઈન્સના હતા. પેપર કહે છે કે, “2018ની સરખામણીમાં 2023 માં PGWP 214% વધવાનો અંદાજ છે.”

તો હવે PGWP પ્રોગ્રામ સંભવિત રીતે કેવી રીતે બદલાઈ શકે છે?

કેનેડિયન સરકારે પ્રાંતોને કથિત રીતે પૂછેલા પ્રશ્નો, જે વિચારણા હેઠળ છે તે ફેરફારો સૂચવે છે.

પ્રાંતોને એવા વ્યવસાયોને ઓળખવા માટે કહેવામાં આવ્યું છે કે, જેઓ PGWP માટે પાત્ર હોય, અને તે માત્ર અછતવાળા વ્યવસાયો પર આધારિત હોય, અને શું તેઓ માને છે કે મેપિંગ દસ્તાવેજમાંથી કોઈપણ વ્યવસાયો ખૂટે છે અને શા માટે. ઉપરાંત, શું કોઈ જૂથો, જેમ કે ફ્રેન્કોફોન વિદ્યાર્થીઓ અથવા જેઓ સ્નાતક કાર્યક્રમોમાં છે, તેમને આ ફેરફારોમાંથી મુક્તિ આપવી જોઈએ?

પત્રમાં કથિત રીતે પૂછવામાં આવ્યું હતું કે, શું આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ તેમના PGWP ને એક વર્ષ સુધી લંબાવવા માટે નોકરીની ઓફર દર્શાવવી જરૂરી છે અને શું પરમિટના આવા વિસ્તરણ માટે ભાષા અથવા પ્રાંતીય સમર્થન જેવા અન્ય માપદંડો હોવા જોઈએ, ગણવામાં આવે છે?

પ્રાંતોને એ પણ પૂછવામાં આવ્યું છે કે, શું PGWP પાત્રતામાં શ્રમ બજાર આધારિત ફેરફારો આ વર્ષથી શરૂ થતા તમામ સ્નાતકો માટે લાગુ કરવા જોઈએ કે માત્ર નવા વિદ્યાર્થીઓ માટે? શું PGWP માં સૂચિત ફેરફારો પ્રાંત તેના પ્રદેશમાં લાંબા ગાળા માટે રાખવા માંગે છે, તેવા કામદારોના પ્રકાર સાથે સુસંગત છે?

જો અમલમાં મૂકવામાં આવે, તો આ ફેરફારો કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા અથવા આમ કરવાની પ્રક્રિયામાં હોય તેવા લોકોને કેવી અસર કરી શકે છે?

પંજાબના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માત્ર સ્ટડી વિઝા મેળવવા માટે કેનેડામાં અપ્રસ્તુત અભ્યાસક્રમો કરી રહ્યા છે, જેનાથી તેઓ તે દેશમાં કાયમી સ્થાયી થવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશે. જોકે એવા ઘણા સ્નાતક અભ્યાસક્રમ છે, જેની કેનેડિયન શ્રમ બજારમાં વધુ માંગ નથી, જો કે, અન્ય વિવિધ ક્ષેત્રોમાં અનેક ખાલી જગ્યાઓ છે.

શ્રમ બજારની જરૂરિયાતો સાથે પરમિટ જાહેર કરવા માટે PGWP માં ફેરફારો આવા વિદ્યાર્થીઓની યોજનાઓને જરૂર અસર કરશે.

શું આ પહેલીવાર છે, જ્યારે કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર દબાણ લાવી રહ્યું છે?

ના. જાન્યુઆરીમાં, કેનેડાએ તેમની સંખ્યા મર્યાદિત કરી, અને અભ્યાસ વિઝા માટે અરજી કરવા માટે પ્રાંતીય ચકાસણી પત્ર (PAL) ફરજિયાત બનાવ્યું. તેણે ગેરંટીડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC)ને પણ બમણું કરીને $20,635 કર્યું. વિદ્યાર્થી માટે વિઝા મેળવવા માટે GIC જરૂરી છે, કારણ કે તે દર્શાવે છે કે, અરજદાર એક વર્ષ સુધી કેનેડામાં પોતાની જાતને આર્થિક રીતે ટકાવી શકે છે.

આ તમામ પગલાં અભ્યાસ પરમિટ માટે બિન-ગંભીર અરજદારોને નિરાશ કરવા અને કેનેડામાં “અસ્થાયી નિવાસનું કાયમી સ્તર જાળવવા” માટે લેવામાં આવ્યા હતા.

સંભવિત નવી વ્યવસ્થામાં વિઝા અને PGWP બંને મેળવવાની તેમની તકોને સુધારવા માટે સંભવિત વિદ્યાર્થી વિઝા અરજદારોએ શું કરવું જોઈએ?

નિષ્ણાતોના મતે, વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત, વિશિષ્ટ પ્રોગ્રામ્સ પસંદ કરવાની સલાહ આપવામાં આવશે, જે કેનેડિયન શ્રમ બજારમાં નોકરીની માંગને અનુરૂપ હોય, ઓછી માંગ ધરાવતા સામાન્ય અભ્યાસક્રમોને બદલે. તેમણે કહ્યું કે, ઉચ્ચ માંગવાળા અભ્યાસક્રમો પસંદ કરીને, તેઓ વિઝા અને PGWP બંને મેળવવાની તેમની તકો સુરક્ષિત કરી શકે છે.

જલંધર સ્થિત કન્સલ્ટન્ટ સુમિત જૈને જણાવ્યું હતું કે, બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ એકાઉન્ટન્સી જેવા ક્ષેત્રોમાં વિશેષતા મેળવવા વિશે વિચારવું જોઈએ, જ્યારે હોસ્પિટાલિટીનો અભ્યાસ કરતા લોકોએ રસોઈકળા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

આ અભ્યાસક્રમોની માંગ સારી છે

સાયન્સ, બેન્કિંગ, નર્સિંગ, એન્જિનિયરિંગ, આઈટી, બાયોસાયન્સ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સિસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બિઝનેસ ઈન્ટેલિજન્સ, ક્લાઉડ આર્કિટેક્ચર, સિક્યોરિટી એનાલિસિસ અને ફાર્મસી અભ્યાસક્રમો જોબ માર્કેટમાં નોંધપાત્ર સંભાવનાઓ ધરાવતા અભ્યાસક્રમોમાં સામેલ છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ ક્ષેત્રોમાં ડિગ્રી મેળવનારા સ્નાતકો 70,000 કેનેડિયન ડોલરથી 1.37 લાખ સુધીનો વાર્ષિક પગાર મેળવી શકે છે.

I-Can કન્સલ્ટન્સીના નિષ્ણાત ગુરપ્રીત સિંઘે જણાવ્યું હતું કે, “ઉભરતા ઉદ્યોગો વિશે અપડેટ રહો અને કેનેડામાં PGWP અને આખરે પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવાની તમારી તકોને વધારવા માટે ઇચ્છિત ક્ષેત્રોમાં ઔપચારિક શિક્ષણ અને તાલીમ મેળવો.” “કોર્સની પસંદગીને નોકરીની માંગ સાથે સંરેખિત કરવી અને ઇમિગ્રેશન નીતિઓમાં સંભવિત ફેરફારોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે.”

તેમણે કહ્યું. સિંઘે ધ્યાન દોર્યું કે, કેનેડા સત્તાવાર સરકારી વેબસાઇટ્સ પર વિવિધ ક્ષેત્રોમાં નોકરીની ઉપલબ્ધતાને પ્રકાશિત કરે છે. જલંધરમાં પિરામિડ ઈ-સર્વિસીસના એસોસિયેટ ડિરેક્ટર સુનિલ કુમાર વશિષ્ઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થી વિઝા માટે સફળતાનો દર હજુ ઘણો ઊંચો હોવા છતાં, નવા અરજદારોએ તેમના અભ્યાસક્રમો કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ