/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-political-leader-died-2026-01-28-11-47-47.jpg)
અજિત પવાર પહેલા કયા રાજકિય નેતાઓએ જીવ ગુમાવ્યો?
Ajit pawar Baramati plane crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. વિમાન દુર્ઘટના લેન્ડિંગ દરમિયાન બની હતી. આ પહેલી વાર નથી જ્યારે કોઈ રાજકીય નેતાનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય. ચાલો જાણીએ કે આ પહેલા કયા રાજકારણીઓએ આવા વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-ajit-pawar-2026-01-28-11-48-41.jpg)
અજિત પવારનું બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન
28 જાન્યુઆરી 2026ના રોજ સવારેના સમેય પુણે જિલ્લાના બારામતીમાં એરપોર્ટ નજીક લેન્ડિંગ વખતે અજિત પવારનું વિમાન ક્રેશ થયું હતું. પ્લેનમાં સવાર અજિત પવાર અને તમના સહાયક તેમજ ક્રૂર મેમ્બર સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-die-vijay-rupani-2026-01-28-11-49-13.jpg)
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું દુ:ખદ અવસાન
વર્ષ 2025, 12 જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં 242 લોકો સવાર હતા, તેમાંથી ફક્ત એક જ બચી ગયો હતો.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-die-balyogi-2026-01-28-11-49-42.jpg)
હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીએમસી બાલયોગીનું અવસાન
લોકસભાના અધ્યક્ષ અને તેલુગુ દેશમ પાર્ટીના નેતા જીએમસી બાલયોગીનું 3 માર્ચ, 2002ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું. અકસ્માત સમયે, તેઓ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ભીમાવરમથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું હેલિકોપ્ટર કૃષ્ણા જિલ્લાના કૈકાલુર નજીક તળાવમાં ક્રેશ થયું હતું.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-om-prakash-jindal-2026-01-28-11-50-23.jpg)
હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલનું દુઃખદ અવસાન
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ (2005): ઉદ્યોગપતિ અને હરિયાણાના મંત્રી ઓમ પ્રકાશ જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહનું ૨૦૦૫માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું. દિલ્હીથી ચંદીગઢ જતું તેમનું હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્રેશ થયું.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-rajasekhara-reddy-2026-01-28-11-51-11.jpg)
વાય.એસ. રાજશેખર રેડ્ડીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ
આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી (2009), જેઓ વાયએસઆર તરીકે જાણીતા હતા, તેમનું ૨ સપ્ટેમ્બર, 2009ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/plane-crash-sanjay-gandhi-2026-01-28-11-51-30.jpg)
સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ
23 જૂન, 1980ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના પુત્ર કોંગ્રેસ નેતા અને પાયલોટ સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. સંજય સફદરજંગ એરપોર્ટ નજીક દિલ્હી ફ્લાઇંગ ક્લબનું વિમાન ઉડાડી રહ્યા હતા. વિમાન અચાનક કાબુ ગુમાવી બેઠું અને ક્રેશ થયું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us