/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-learjet-45-plane-crash-2026-01-28-12-43-23.jpg)
Ajit Pawar Death In Plane Crash: અજીત પવારનું વિમાન ક્રેશ થતા નિધન થયું છે. Photograph: (Express Photo)
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-12-43-51.jpg)
Ajit Pawar Death Plane Crash : અજિત પવાર પ્લેન ક્રેશમાં નિધન
અજીત પવારનું પ્લેન ક્રેશ થતા નિધન થયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી મુંબઇથી બારામતી જઇ રહ્યા ત્યારે વિમાન લેન્ડ થતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાન દુર્ઘટનામાં અજીત પવાર સહિત તેમા સવાર તમામ 5 લોકોના મોત થયા છે. હવે વિમાન ક્રેશ કેમ થયું તેની તપાસ ચાલી રહી છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-death-plane-crash-2026-01-28-12-44-48.jpg)
અજિત પવારનું પ્લેન ક્રેશ થયું તે કઇ કંપનીનું હતું?
મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવાર જે વિમાનમાં સવાર હતા, તે VSR ઓપરેટર નું લિયરજેટ 45 પ્લેન (રજિસ્ટ્રેશન નંબર VT SSK) હતું. લિયરજેટ 45 એ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે. વીએસઆર એવિએશન કંપની બિઝનેસ જેટ્સની ફ્લિટ મેનેજ કરે છે અને તેને ઓપરેટ કરે છે. તેના વિમાન કાફલામાં લિયરજેટ 45 અને 45XR જેવા પ્લેન સામેલ છે. VSR એવિએશન ચાર્ટર સેવા, એરક્રાફ્ટ મેનેજમેન્ટ અને કન્સલ્ટન્સી જેવી સેવાઓ આપે છે. કંપની પાસે ઘણા લિયરજેટ 45/45XR પ્લેન છે. અમુક પ્લેનના રજિસ્ટ્રેશન નંબર VT-DBL, VT-TRI, VT-VRV, અને VT-CRA છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/learjet-45-2026-01-28-12-45-56.jpg)
લિયરજેટ 45 એરક્રાફ્ટ કઇ કંપની બનાવે છે?
લિયરજેટ 45 (LJ45) વિમાનનું નિર્માણ બોમ્બાર્ડિયર એરોસ્પેસ (Bombardier Aerospace) ના લિયરજેટ ડિવિઝન (Learjet Division) એ કર્યું છે. આ એક મિડ સાઇઝ બિઝનેસ જેટ પ્લેન છે. આ પ્લેન 1990ના દાયકા થી લઇ 2012 સુધી લિયરજેટ ડિવિઝનની મુખ્ય પ્રોડક્ટ હતી. આ લિયરજેટ 45 પ્લેનના ચાર મોડલ છે - ઓરિજિનલ મોડલ 45, મોડલ 45XR, મોડલ 40 અને મોડલ 40XR.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/learjet-45-aircraft-1-2026-01-28-12-46-48.jpg)
લિયરજેટ 45 વિમાનની ખાસિયત
લિયરજેટ 45 પ્લેનની બે પાયલોટ સાથે પેસેન્જર કેપેસિટી 6 વ્યક્તિની છે. આ વિમાનની લંબાઇ 58 ફુટ (17.68 મીટર) છે. તેના પંખાનો ઘેરાવો (Wingspan) 47 ફુટ 10 ઇંચ (14.58 મીટર) છે. તેની ઉંચાઇ 14 ફુટ 1 ઇંચ (4.30 મીટર) છે. તેનો વિંગ્સ એરિયા 311.6 સ્ક્વેર ફુટ (28.95 સ્ક્વેર મીટર) છે. પેસેન્જર વગર આ વિમાનનું વજન 12,850 પાઉન્ડ (5,829 કિલો) છે. આ વિમાનનું મહત્તમ ટેકઓફ વજન 21,500 પાઉન્ડર (9,752 કિલો) છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/bombardier-learjet-45-2026-01-28-12-46-19.jpg)
લિયરજેટ 45 વિમાનની સ્પીડ
આ વિમાનની કામગીરી વિશે વાત કરીયે તો તેની મહત્તમ સ્પીડ 533 માઇલ પ્રતિ કલાક (858 કિમી પ્રતિ કલાક, 463 નોટ્સ) છે. આ તેની મહત્તમ ક્રૂઝ સ્પીડ है. તો તેની સામાન્ય ક્રૂઝ સ્પીડ 510 માઇલ પ્રતિ કલાક (804 કિમી પ્રતિ કલાક, 445 નોટ્સ) છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/learjet-45-aircraft-2026-01-28-12-48-24.jpg)
વિમાનની કિંમત કેટલી છે?
લિયરજેટ 45 વિમાનની અલગ અલગ જણાવાય છે. અગાઉના સેકેન્ડ હેંડ લિયરજેટ 45 વિમાનની કિંમત સરેરાશ 2.3 મિલિયન ડોલર થી 4.9 મિલિયન ડોલર સુધી હોય છે. જો કે નવા વિમાનની કિંમત લગભગ 10 મિલિયન ડોલર જેટલી છે. વિમાનની કિંમત તેની ક્ષમતા અને ખાસિયતો અનુસાર નક્કી થાય છે.
/indian-express-gujarati/media/media_files/2026/01/28/ajit-pawar-plane-crash-2026-01-28-12-49-14.jpg)
પ્લેન ક્રેશ થતા અજીત પવાર સહિત 5 લોકોના મોત
આ પ્લેનમાં કુલ 5 લોકો સવાર હતા, જેમા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર, તેમની સાથે એક PSO અને એક અટેન્ડેંટ હતા. જ્યારે બે મેમ્બર ફ્લાઇટ ક્રૂ (પાયલટ ઇન કમાન્ડ અને ફર્સ્ટ ઓફિસર) હતા. વિમાનનું બારામતીમાં ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર તમામ 5 લોકોના કરુણ મોત થયા છે. આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના બંને પાયલોટના નામ કેપ્ટન સાહિલ મદાન અને કેપ્ટન યશ છે. આ બંને પાયલોટના પણ પ્લેન ક્રેશમાં મોત થયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us