Basant Panchami 2025: વસંત પંચમી પર સરસ્વતી માતાના પ્રખ્યાત 4 મંદિરના દર્શન, આ સ્થળે પ્રગટ થઇ હતી માતા
Famous Saraswati Temples In India: વસંદ પંચમી માહ સુદ પાંચ તિથિ પર ઉજવાય છે. વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવાનું મહત્વ છે. અહીં ભારતના પ્રખ્યાત 4 સરસ્વતી મંદિર વિશ જાણકારી આપી છે.
Basant Panchami 2025: વસંત પંચમી 2025 વસંત પંચમી સનાતન ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. દર વર્ષે માહ સુદ પાંચમ તિથિ પર વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. તે એક એવો તહેવાર છે જે ઘર, સોસાયટી, ગામ અને શાળામાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, દેવી સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિવત પૂજા કરવામાં આવે છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વસંત પંચમીના તહેવારને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. (Photo: Freepik)
વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા વસંત પંચમી પર સરસ્વતી માતાની પૂજા કરવાની પરંપરા છે. વસંત પંચમીનું ધાર્મિક અને શૈક્ષણિક મહત્વ છે. વસંત પંચમી પર શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે અને લોકો ઘણા સ્થળોની મુલાકાત લે છે. આ લેખમાં દેશના પાંચ પ્રસિદ્ધ સરસ્વતી મંદિરો વિશે જાણકારી આપી છે. આ દિવસે તમે સરસ્વતી માતાના મંદિરોના દર્શન પણ કરી શકો છો. વસંત પંચમી સરસ્વતી માતાના દર્શન કરવા માટે આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ હોય છે. (Photo: Social Media)
સરસ્વતી મંદિર, પુષ્કર (રાજસ્થાન) સરસ્વતી દેવીનું પ્રસિદ્ધ મંદિર રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે. પુષ્કરમાં પહાડ પર સાવિત્રી માતાનું મંદિર આવેલું છે. સરસ્વતી દેવી તેને સાવિત્રી માતા પણ કહેવામાં આવે છે. આ સરસ્વતી મંદિર પુષ્કર આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અદભૂત કોતરણી માટે પ્રખ્યાત આ મંદિર ભગવાન બ્રહ્માના મંદિરની ખૂબ જ નજીક આવેલું છે. (Photo: Rajasthan Tourism)
સરસ્વતી મંદિર, ઉત્તરાખંડ માતા સરસ્વતીનું આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં માણા ગામમાં આવેલું છે. આ મંદિર બદ્રીનાથથી માત્ર 3 કિમી દૂર છે. જ્ઞાન, સંગીત, કળા અને જ્ઞાનની દેવીને સમર્પિત આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતી અહીં પ્રગટ થયા હતા. એવું માનવામાં આવે છે. પૌરાણિક સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન અહીં છે. (Photo: Social Media)
સરસ્વતી મંદિર, નાગપુર (મહારાષ્ટ્ર) નાગપુરમાં સ્થિત આ સરસ્વતી મંદિરમાં વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. અહીં વસંત પંચમી એટલે કે સરસ્વતી પૂજાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. (Photo: Social Media)
સરસ્વતી મંદિર, વારંગલ (આંધ્રપ્રદેશ) આંધ્રપ્રદેશના વારંગલમાં સ્થિત આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિર વારંગલની ટેકરી પર આવેલું છે. મંદિરનું ગર્ભગૃહ ત્રીજા માળની બરાબર એક ટેકરી પર આવેલું છે અને આ મંદિરમાં દેવી સરસ્વતીની મૂર્તિને ઘણા આભૂષણો અને માળાઓથી શણગારવામાં આવે છે. (Photo: Social Media)