Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/diwali-lakshmi-mata-murti-puja-1.jpg)
દિવાળી ધનતેરસ પર અમુક વાસ્તુ ટીપ્સ કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. આ સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. આ જ કારણ છે કે મોટાભાગના અમીર લોકો આ મૂર્તિઓને પોતાના ઘરમાં રાખે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવે અને ધન લાભ થાય, તો આ 5 મૂર્તિઓને ઘરમાં જરૂર રાખો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-Vastu-Tips.jpg)
વાસ્તુ શાસ્ત્ર મુજબ પિત્તળ, તાંબા કે ચાંદીથી બનેલી હાથીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. હાથી ધન, યશ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. આથી તે ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે આવકમાં પણ વધારો થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-Vastu-Tips-1.jpg)
કાચબાને ભગવાન વિષ્ણુનો કુર્મ અવતાર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પિત્તળ, તાંબા કે ચાંદી માંથી બનેલો કાચબો ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ મૂર્તિ વેપાર ધંધાની વૃદ્ધિ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/kamdhenu-gay-murti.jpg)
પૌરાણિક કથાઓ અનુસાર કામધેનુ ગાયને તમામ મનોકામના પૂર્ણ કરનારી ગાય માનવામાં આવે છે. વાસ્તુ મુજબ કામધેનુ ગાયની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ક્યારેય ધનની કમી રહેતી નથી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/pyramid-murti.jpg)
વાસ્તુ અનુસાર સ્ફટિક કે ધાતુ માંથી બનેલો પિરામિડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. પિરામિડ રાખવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને જેમનું ઘર બનાવવાનું સપનું છે તે ઝડપથી પૂર્ણ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ghuvad-in-murti.jpg)
ઘુવડ લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં ઘુવડની મૂર્તિ રાખવાથી લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે. આ સાથે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. પ્રોપર્ટી ખરીદવાની પણ સારી તકો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Diwali-2024.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us