Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Puri-jagannath-temple.jpg)
જગન્નાથ રથયાત્રા હિંદુ પંચાગ મુજબ દર વર્ષે અષાઢ સુદ બીજ તિથિ પર યોજાય છે. ઓડિશાના પુરી સ્થિત ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની મૂર્તિઓ રથમાં બેસાડી હાથ વડે ખેંચવામાં આવે છે. માન્યતા મુજબ ભગવાન જગન્નાથની રથયાત્રા જોવાથી વ્યક્તિને પાપ માંથી મુક્તિ મળે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-Rath-Yatra.jpg)
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢ સુદ બીજ તિથિ પર યોજાય છે. આ વખતે હિંદુ પંચાગ અનુસાર 27 જૂન, 2025 શુક્રવારના રોજ જગન્નાથ રથયાત્રા યોજાશે. પુરી ઉપરાંત ભારતના ઘણા શહેરોમાં જગન્નાથ રથયાત્રા નીકળે છે. જેમા અમદાવાદની રથયાત્રા પણ પ્રસિદ્ધ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/ahmedabad-jagannath-temple-1.jpg)
અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની 148મી રથયાત્રા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદની લગભગ 16 કિમી લાંબી રથયાત્રા ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે એક લોક ઉત્સવ સમાન છે. આ રથયાત્રામાં તમામ ધર્મના લોકો સાથ સહકાર આપે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/ahmedabad-saraspur-temple.jpg)
અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં સાબરમતી કિનારે આવેલા જગન્નાથ મંદિરથી ભગવાનની રથયાત્રા સરસપુર મોસાળ પહોંચે છે. સરસપુરમાં ભક્તો દ્વારા ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીનું મામેરું ભરવામાં આવે છે. સરસપુરની પોળમાં રથયાત્રામાં આવેલા હજારો લાખો ભક્તો અને સામાન્ય લોકોનું જમણવાર કરવામાં આવે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Ahmedabad-Iskcon-And-Bhadaj-Rath-Yatra.jpg)
અમદાવાદમા જમાલપુરના જગન્નાથ મંદિરની રથયાત્રા સૌથી પ્રાચીન માનવામાં આવે છે. તે ઉપરાંત અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 6 થી 7 રથયાત્રા નીકળે છે. જેમા અમદાવાદ પશ્ચિમમાં ઇસ્કોન મંદિર, મેમનગર ગુરુકુળની રથયાત્રા, ભાડજ હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમા રથયાત્રા, અમદાવાદ કઠવાડાના ઇસ્કોન મંદિરમાં રથયાત્રા, મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર અને ઘાટલોડિયામાં ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us