Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Dwarkadhish-Ranchodrai-Temple.jpg)
શ્રાવણ માસમાં ભગવાન શંકર સાથે ભગવાન શ્રીકષ્ણની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ સુદ આઠમની મધ્ય રાત્તે ભગવાન કૃષ્ણનો ગોકુળમાં જન્મ થયો હતો. આથી શ્રાવણ સુદ આઠમને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ભગવાન કૃષ્ણના ગોકુળ, મથુરા અને વૃંદાવન ઉપરાંત ગુજરાતમાં પણ ખાસ મંદિર આવેલા છે. ગુજરાતનું દ્વારકાધીશ મંદિર ભગવાન કૃષ્ણનું મુખ્ય મંદિર છે. જો તમે ભગવાન કૃષ્ણના મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, અહીં ગુજરાતમાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણના 8 મંદિર વિશે જાણકારી આપવામાં આવી છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/dwarkadhish-temple-history.jpg)
દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભારતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરો પૈકીનું એક છે. દ્વારકાધીશ મંદિર હિંદુ ધર્મના ચાર ધામ અને સાત મોક્ષનગરીમાં સ્થાન ધરાવે છે. ગુજરાતના દરિયા કિનારે આવેલા દેવભૂમિ દ્વારકામાં સ્થિત દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા 2500 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા કરાયેલું હોવાનું માન્યતા છે. પ્રાચીન મંદિરનું ઘણી વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યું છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/dwarkadhish-temple-photo.jpg)
દ્વારકાધીશ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન કૃષ્ણની શ્યામ વર્ણની ચતુર્ભુજ મૂર્તિ છે. આકર્ષક દ્વારકાધીશ મંદિરના 43 મીટર ઉંચા શિખર પર 52 ગજની ધજા ફરકે છે. મંદિરમાં બે પ્રવેશ દ્વાર - સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર છે. કૃષ્ણ જન્માષ્ટમી સહિત શ્રાવણ માસ, દિવાળી, દેવ દિવાળી, હોળી પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા દ્વારકા આવે છે. દ્વારકા નજીક દરિયાન વચ્ચે બેટ દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશનું પ્રસિદ્ધ મંદિર છે. દ્વારકાધીશ મંદિરની નજીક આસપાસ ઘણા પૌરાણિક મંદિર છે. નવનિર્મિત સુદામા સેતુ દ્વારકા અને બેટ દ્વારકાને રોડ માર્ગે જોડે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/rukmini-temple.jpg)
દ્વારકામાં દ્વારકાધીશ મંદિરથી દૂર રુક્મિણી દેવી મંદિર આવેલું છે. રુક્મિણી દેવી મંદિર ભગવાન કૃષ્ણના પટરાણીને સમર્પિત છે. રુક્મિણી મંદિર 2500 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે પરંતુ સમય જતાં તેનું પુનઃનિર્માણ થયું હશે. હાલનું મંદિર 12મી સદીનું હોવાનું કહેવાય છે. તે સ્થાપત્ય અને શિલ્પની દ્રષ્ટિએ દ્વારકાધીશ કરતાં વધુ નાજુક અને રમણીય છે પરંતુ એટલી જ ભક્તિ ઉત્સાહને પ્રેરણા આપે છે. મંદિરના ગર્ભગૃહમાં રુક્મિણી દેવીની મૂર્તિ છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rukmini-Temple-History.jpg)
રુક્મિણી દેવી મંદિર ભગવાન દ્વારકાધીશ મંદિરથી દૂર હોવા પાછળ એક દંતકથા છે. કથા અનુસાર ભગવાન કૃષ્ણ અને રૂક્મિણી એ ઋષિ દુર્વાસાને તેમના મહેલમાં ભોજન કરવા વિનંતી કરી હતી. જેની સામે ઋષિ દુર્વાસા એ એવી શરત મૂકી કે કૃષ્ણ અને રુક્મિણી તેનો રથ ખેંચશે. ઋષિ દુર્વાસાને રથમાં બેસાડી કૃષ્ણ અને રુક્મિણી રથ ખેંચી રહ્યા હતા ત્યારે રસ્તામાં રુક્મિણીને તરસ લાગી. ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના અંગુઠા વડે જમીનમાંથી ગંગા નદી પ્રગટ કરી. રુક્મિણીએ આ પાણી વડે પોતાની તરસ છીપાવી પણ તેઓ ઋષિ દુર્વાસાને પૂછવાનું ભૂલી ગઈ કે શું તેમને પણ તરસ લાગી છે. ઋષિ દુર્વાસાને તેમનું અપમાન થયું હોવાનું લાગ્યું અને તેમણે રુક્મિણી દેવીને શ્રાપ આપ્યો કે તેઓ તેમના પતિથી અલગ રહેશે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Shamlaji-Temple.jpg)
શામળાજી મંદિર ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ કૃષ્ણ મંદિર છે. અરવલ્લીની પર્વતમાળા વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું શામળાજી મંદિર 500 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ ભગવાન કૃષ્ણના દુર્લભ મંદિરો પૈકીનું એક છે જ્યા ગાયની મૂર્તિઓની પણ પૂજા કરવામાં આવે છે અને તેમના બાળપણને ગોવાળ તરીકે દર્શાવવામાં આવે છે. વૈષ્ણવો માટે શામળાજી એ ભારતના 54 સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં સ્થાન ધરાવે છે. શામળાજી મંદિરના નિર્માણ વિશે 3 અલગ અલગ દંતકથા છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Ranchodrai-Temple.jpg)
રણછોડરાય મંદિર ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર ખાતે આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં ભગવાન કૃષ્ણ રણછોડરાય તરીકે પૂજાય છે. રણછોડરાય મંદિરની કથા ભગવાન કૃષ્ણના પરમ ભક્ત બોડાણા સાથે જોડાયેલી છે. પવિત્ર ગોમતી તળાવના કિનારે આવેલું રણછોડરાય મંદિર 8 ગુંબજ અને 24 બુર્જથી સુશોભિત છે, જેમાં મધ્ય ગુંબજની ઉંચાઇ 27 મીટર છે. મંદિરના દર્શન પરિસરના ગુંબજ પર ભગવાન કૃષ્ણની જીવનલીલા ચિત્રોમાં રજૂ કરવામાં આવી છે. રણછોડરાય મંદિરનું નિર્માણ 1772માં થયું હતું. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન શ્યામ પાષાણમાંથી નિર્મિત રણછોડરાયજીની મૂર્તિ 1 મીટર ઉંચી અને 45 સેમી પહોળાઈ, સોના, ઝવેરાત અને મોંઘા વસ્ત્રોથી સુશોભિત છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Sudama-Temple.jpg)
સુદામા મંદિર ગુજરાતના પોરબંદરમાં આવેલું છે. સુદામા મંદિરની કથા ભગવાન શ્રીકૃષ્ણના પરમમિત્ર સુદામા સાથે જોડાયેલી છે. વર્ષ 1902 થી 1907 દરમિયાન નિર્મિત સુદામા મંદિર પોરબંદરના ધમધમતા બજાર વિસ્તારની મધ્યમાં આવેલું છે. આ મંદિર ભગવાન કૃષ્ણ અને તેમના વિશ્વાસુ મિત્ર સુદામા વચ્ચેની મિત્રતાની યાદમાં બનાવવામાં આવ્યું છે. મંદિર સાદું છે પરંતુ આરસના સ્તંભો અને જટિલ શિલ્પવાળા શિખરાથી સુશોભિત છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Bhalka-Teertha.jpg)
ભાલકા તીર્થ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલુ પ્રસિદ્ધ યાત્રાધામ છે. ભાલકા તીર્થ ખાતેનું મંદિર મહાપ્રભુજીના બેઠક તરીકે પણ ઓળખાય છે, અને ભગવાન કૃષ્ણની યાદમાં તુલસીનો છોડ વાવવામાં આવ્યો હતો. રેતાળ પથ્થરમાં બનેલા અદભૂત કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં વડના વૃક્ષો છે. મંદિરની અંદર વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણની સુંદર ત્રિભંગી મૂર્તિ છે. ભાલકા તીર્થ એ સ્થળ છે જ્યાં ભગવાન કૃષ્ણને શિકારીએ હરણ સમજી તીર માર્યું હતું. અહીં જ ભગવાન કૃષ્ણ જીવનલીલા સંકેરી હતી અને સ્વર્ગ ગમન કર્યું હતું. હતી. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us