ઉત્સવના રાજા તરીકે ઓળખાતા લાલબાગના રાજાની ગણેશ મુહૂર્ત પૂજા આજે 7 જૂને થઈ હતી. (તમામ તસવીરો - લાલબાગ રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ/ફેસબુક)લાલબાગ રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા લાલબાગના રાજાનું 90મું ગણેશ મુહૂર્ત પૂજન બુધવાર 7 જૂનના રોજ સવારે 6 કલાકે મંડળના પ્રમુખ બાલાસાહેબ કાંબલે અને શિલ્પકારની ચિત્રશાળા ખાતે કાંબલી આર્ટ્સના શિલ્પકાર રત્નાકર મધુસુદન કાંબલીના શુભ હસ્તે યોજાયું હતું. . આ પ્રસંગે ખજાનચી મંગેશ દત્તારામ દળવીએ રસીદ બુકનું પૂજન કર્યું હતું.હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે 2023માં સપ્ટેમ્બરના મધ્યમાં બાપ્પા ભક્તોના ઘરે પધરામણી કરશે. બાપ્પાનું આગમન 19 સપ્ટેમ્બરે થશે અને અનંત ચતુર્દશી 29 સપ્ટેમ્બરે છે. તેથી ભક્તોએ બાપ્પાના આગમન માટે ગત વર્ષની સરખામણીએ 20 દિવસ વધુ રાહ જોવી પડશે.મુંબઈમાં સૌથી પ્રખ્યાત એવા લાલબાગના રાજાની મૂર્તિ બનાવવાનું કામ વહેલું શરૂ થઈ ગયું હતું. આ દરમિયાન સમગ્ર લાલબાગને શણગારવામાં આવે છે. આ ડેકોરેશનનું કામ પણ હવે શરૂ થાય તેવી શક્યતા છે. 10 દિવસ સુધી બાપ્પાની તન-મનથી સેવા કરી શકાય તે માટે બે-ત્રણ મહિના અગાઉથી જ ઉત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આજે 7મી જૂને મુહૂર્ત પૂજન પૂર્ણ થયું છે. બાપ્પાની મૂર્તિ તૈયાર થયા બાદ ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ સૌપ્રથમ જોવા મળે છે. ત્યારબાદ, નિયમિત દર્શન માટે લાંબી લાઇનો શરૂ થાય છે.દર વર્ષે દેશ-વિદેશમાંથી હજારો લોકો બાપ્પાના દર્શન કરવા મુંબઇના લાલબાગ ખાતે આવે છે.કોરોનાના સમયગાળા દરમિયાન, લાલબાગચા રાજા મંડળે સાદગીપૂર્ણ રીતે ગણેશોત્સવ ઉજવવાની પહેલ કરી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે રક્તદાન, પ્લાઝમા ડોનેટ જેવી સામાજિક કલ્યાણકારી પ્રવૃત્તિઓનો અમલ કર્યો હતો. આના પરિણામે મુંબઈમાં અન્ય મંડળોએ પણ લાલબાગચા રાજા મંડળના ઉદાહરણને અનુસરીને સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી હતી.