Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/palitana-shatrunjay-jain-temple.jpg)
પાલિતાણા ભાવનગર જિલ્લામાં શેત્રુંજય પર્વતના રમણીય અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત વિસ્તારમાં જૈન ધર્મની તીર્થધામ છે. કારતક પૂનમ પર ચાતુમાસ સમાપ્ત થવાની સાથે પાલિતાણાની તીર્થયાત્રા શરૂ થઇ રહી છે. પાલિતાણા શેત્રુંજય પર્વતમાં આવેલું પવિત્ર જૈન તીર્થધામ છે. આમ પાલિતાણા એક તીર્થયાત્રાની સાથે સાથે પ્રકૃતિનો સુંદર નજારો જોવાની તક પણ મળી રહે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/palitana-jain-temple-history.jpg)
શેત્રુંજય પર્વત પર 900 જેટલા સુંદર કોતરણી કરેલા ભવ્ય દેરાસરો આવેલાં છે. મુલાકાતીઓ પાલિતાણાના જૈન દેરાસરોની બેનમૂન શિલ્પકળા જોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે. અદ્વિતીય કળા વૈભવ અને આસ્થાના સ્થાનક સમું પાલિતાણા જૈનો શ્રદ્ધાળું ઉપરાંત ઘણા લોકોને પોતાના તરફ આકર્ષે છે. પાલિતાણા અગાઉ પાદલિપ્તપુર નામે જાણીતું હતું, તેને મંદિરોનું નગર કહેવાતું હતું. શત્રુંજય નો અર્થ આંતરિક શત્રુઓ પર વિજય અપાવનાર સ્થળ અથવા આંતરિક શત્રુને જીતનાર એવો થાય છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/palitana-shatrunjay-parvat-darshan.jpg)
પાલિતાણા જૈન ધર્મમાં બહુ મહત્વપૂર્ણ તીર્થધામ છે. અહીં જૈન ધર્મના તીર્થકર ભગવાન નેમિનાથને મોક્ષ પ્રાપ્ત થયો તો. આથી પાલિતાણા સિદ્ધક્ષેત્ર અને મોક્ષ દ્વાર તરીકે પણ પ્રખ્યાત છે. જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવનું દેરાસર અહીં નિર્માણ પામેલું છે. જેમને આદિનાથ ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/shatrunjaya-hill-gujarat.jpg)
શેત્રુંજય પર્વત પર સુવ્યવસ્થિત 3795 પગથિયા બનાવવામાં આવ્યા છે. 1800 ફૂટ ઉંચા શેત્રુજ્ય પર્વતના પગથિયા ચઢી શ્રદ્ધાળુ દેરાસરના દર્શન કરે છે. પાલિતાણાના ભવ્ય દેરાસરનું શૃંખલાનું નિર્માણ બાબુ ધનપતસિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ મુર્શિદાબાદના રહેવાસી હતા. ઇ.સ. 13મી સદીના સમયગાળામાં આ પર્વત પર દેરાસરોની શ્રુંખલાનું નિર્માણ શરૂં થયું હતું. જૈન ધર્મના શ્રેષ્ઠ વસ્તુપાલ દ્વારા પાલિતાણાનું નિર્માણ થયું હતું. મુખ્ય દેરાસર જેમાં ભગવાન આદિનાથની ભવ્ય મૂર્તિ છે તેનું ઇ.સ. 1618માં નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલિતાણા શેત્રુંજ્ય પર્વત ચઢતી વખતે રસ્તામાં ખાણી પીણીની ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધિત છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/palitana-temple.jpg)
પાલિતાણા શેત્રુંજય પર્વત પર જૈન દેરાસર ઉપરાંત હિન્દુ મંદિરો પર આવેલા છે. અહીં હિંગળાજ માતાનું પૌરાણિક મંદિર છે. હિંગળાજ માતને શેત્રુજંય પર્વતના અધિષ્ઠાતા દેવી મનાય છે. દૈવી શક્તિનો નિવાસ હોવાથી અહીં સાંજ પછી કોઇને અહીં રોકાવાની પરવાનગી નથી. શેત્રુંજય પર્વત પર અંગાર પીરની દરગાહ પણ આવેલી છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/famous-places-in-palitana.jpg)
શેત્રુંજય પર્વતની તીર્થયાત્રા ઉપરાંત પાલિતાણા નજીક ઘણા જોવાલાયક સ્થળ છે. ભગવાન શંકરને સમર્પિત તખ્તેશ્વર મંદિર, રાજપરા ખોડિયાર માતાનું મંદિર દર્શનીય છે. ઉપરાંત વેળાવદર બ્લેક બક નેશનલ પાર્કમાં હરણ જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/palitana-hill-height.jpg)
પાલિતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. પાલિતાણાની નજીકનું રેલવે સ્ટેશન 6 કિમી અને નજીકનું એરપોર્ટ ભાવનગર 36 કિમી દૂર છે. અમદાવાદ થી ભાવનગર 203 કિમી દૂર છે. (Photo: Gujarat Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us