દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે.રક્ષાબંધન શબ્દનો અર્થ પણ આ સંબંધ જેટલો જ સરળ છે. રાખડીના રૂપમાં હાથ પર બંધન બાંધવામાં આવે છે, જે ભાઈ-બહેનને મુશ્કેલ સમયમાં એકબીજાની રક્ષા કરવાની યાદ અપાવે છે.આ વર્ષે દેશભરમાં 30 અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે કોઈ ચોક્કસ રંગની રાખડી બાંધવી એ ભાવ માટે ખૂબ જ શુભ હોય છે.મેષ રાશિના લોકો ખૂબ જ ઊર્જાવાન હોય છે. આ લોકો માટે લાલ રંગની રાખડી શુભ બની શકે છે.વૃષભ રાશિના લોકો ખૂબ જ વ્યવહારુ માનવામાં આવે છે. વૃદ્ધિ અને સ્થિરતાનું પ્રતીક લીલા રંગની રાખડી આ લોકો માટે શુભ હોઈ શકે છે.પીળા રંગની રાખડી મિથુન રાશિના લોકોના ખુશખુશાલ સ્વભાવનું પ્રતિનિધિત્વ કરે છે.કર્ક રાશિના લોકો ખૂબ જ પ્રેમાળ માનવામાં આવે છે. સફેદ રંગની રાશિ તેમના પ્રેમાળ સ્વભાવનું પ્રતિક માનવામાં આવે છે.સોનેરી રંગની રાખડી સિંહ રાશિના લોકોના નેતૃત્વ કૌશલ્યને દર્શાવે છે.કન્યા રાશિના જાતકોને બધું જ સરસ રીતે કરવું ગમે છે. આવા લોકો માટે વાદળી રંગની રાખડી પરફેક્ટ હોઈ શકે છે.ગુલાબી રંગની રાખડી તુલા રાશિના લોકોની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.મરૂન રંગની રાખડી વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ હોઈ શકે છે કારણ કે તેમનું વ્યક્તિત્વ ખૂબ જ જુસ્સાદાર હોય છે.જાંબલી રંગ ધનુ રાશિના લોકોની સર્જનાત્મકતાનું પ્રતીક છે.મકર રાશિ ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. આ લોકો માટે બ્રાઉન રંગની રાખડી શુભ બની શકે છે.કુંભ રાશિના લોકો બોક્સની બહાર વિચારવામાં કુશળ હોય છે. આ લોકો માટે સિલ્વર કલરની રાખડી પરફેક્ટ હોઈ શકે છે.મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ લોકો માટે પિસ્તા રંગની રાખડી શુભ બની શકે છે.અહીં આપેલી માહિતી ધારણાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે.(ફોટો: ફ્રીપિક/પેક્સેલ્સ/પિક્સબે/અનસ્પ્લેશ)