Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Shoe-Rack-Vastu-Direction.jpg)
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર અને ઓફિસ હોવું સારું માનવામાં આવે છે. જો વાસ્તુ દોષ હોય તો વ્યક્તિએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ પણ વસ્તુને દિશા અનુસાર ન મુકવામાં આવે તો પણ તેની નકારાત્મક અસર ઘરના તમામ સભ્યો પર પડે છે. તેમજ ઘરની કઈ દિશામાં શું રાખવું જોઈએ અને શું નહીં તેમજ કઈ દિશામાં શું રાખવું શુભ અને અશુભ છે તેની માહિતી વાસ્તુ શાસ્ત્રમાં આપવામાં આવી છે. આવો જાણીએ કે ઘરની કઈ દિશામાં જૂતા-ચપ્પલ રાખવા સારા હોય અને કઈ દિશામાં અશુભ હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Best-Shoe-Rack-Direction.jpg)
વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વ અને ઉત્તર દિશાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે આ દિશા દેવી-દેવતાઓની દિશા માનવામાં આવે છે. આથી આ દિશાને હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. વળી, આ દિશામાં જૂતા-ચપ્પલ રાખવા અશુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ દિશામાં જૂતા-ચપ્પલ રાખવાથી આર્થિક તંગી આવી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Shoe-Rack.jpg)
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશામાં સકારાત્મક ઉર્જા હોય છે, તેથી આ દિશામાં જૂતા-ચપ્પલ રાખવાનું ટાળવું જોઈએ. સાથે જ ઉત્તર-પૂર્વ દિશાને દેવી લક્ષ્મીની દિશા પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ દિશામાં જૂતા અને ચપ્પલ રાખવાથી દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Vastu-Tips-For-Shoe-Rack-Direction.jpg)
ઘણા ઘરોમાં જૂતા ચપ્પલ અસ્તવ્યસ્ત રીતે પડેલા હોય છે. જૂતા ચપ્પલ ક્યારેય વિખેરાયેલા ન હોવા જોઈએ, તેને યોગ્ય ક્રમમાં અને યોગ્ય દિશામાં રાખવા જોઈએ. જો તમે આવુ ન કરો તો તમારે શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/where-keep-shoe-rack-in-house-according-vastu.jpg)
વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમમાં જૂતા ચપ્પલ મૂકવાની શુ રેક ક્યારેય ન રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બેડરૂમમાં જૂતા-ચપ્પલ રાખવાથી વૈવાહિક જીવન પર નકારાત્મક અસર પડે છે. વળી, પતિ-પત્ની વચ્ચે પણ મનભેદ થાય છે. ઉપરાંત, તમારા જૂતા ચપ્પલ ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે મૂકવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે આ સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us