કરણ જોહરના ચેટ શોના લાસ્ટ લેટેસ્ટ એપિસોડમાં અર્જુન કપૂર અને આદિત્ય રોય કપૂર જોવા મળ્યા હતા. કરણ જોહરે આ બંને સાથેના સંબંધો વિશે ઘણી વાતો કરી હતી.શરૂઆતમાં જ કરણ જોહરે અર્જુન કપૂરને પૂછ્યું હતું કે, તમારા બંને વચ્ચેનો સંબંધ હવે દુનિયાની સામે આવી ગયો છે.તમે બંને સાથે જીવન જીવો છો. શું બંને આ સંબંધને એક પગલું આગળ એટલે કે લગ્ન સુધી લઈ જશે?આ સવાલનો જવાબ આપતાં અર્જુને કહ્યું કે, મલાઈકા માટે આ મામલે માત્ર તેનો પક્ષ લેવો ખોટું હશે.અર્જુને કહ્યું કે, કરણ, મને તારા શોમાં આવવું અને ઈમાનદારીથી જવાબ આપવો ગમે છે, પરંતુ હું આ સવાલનો જવાબ આપવા તૈયાર નથી.મલાઈકા વિના અહીં બેસીને અમારા ભવિષ્ય વિશે વાત કરવી તેના માટે ખોટું અને અન્યાયી રહેશે.જ્યારે અમે ત્યાં પહોંચીશું, અમે બંને સાથે મળીને તેના વિશે વાત કરીશું. અત્યારે અમે એકબીજા સાથે ખુશ છીએ.અમારા સંબંધોને અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમ છતાં હું કહીશ કે અમારા સંબંધો વિશે મલાઈકા વિના મારે એકલા બોલવું તે મારા માટે યોગ્ય નથી.