પ્રિયંકા ચોપરાની ગણતરી બોલિવૂડની લોકપ્રિય એક્ટ્રેસમાં થાય છે. અગાઉ પ્રિયંકાના બોલિવૂડના અમુક એક્ટર સાથે રિલેશન હોવાની ચર્ચા હતી, જેમાં એક નામ છે શાહિદ કપૂર.2011માં પ્રિયંકાના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા.જ્યારે ઈન્કમટેક્સ અધિકારીઓ અભિનેત્રીના ઘરે પહોંચ્યા ત્યારે શાહિદ કપૂરે દરવાજો ખોલ્યો હોવાની અફવા ફેલાઈ હતી.આટલું જ નહીં, એવા અહેવાલો પણ આવ્યા હતા કે શાહિદે તે સમયે માત્ર ટુવાલ પહેરેલો હતો. આ વાતનો ખુલાસો પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.ઈન્ડિયા ટીવીની 'આપકી કી અદાલત'માં આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ સમાચાર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે શું થયું હતું.તેણે કહ્યું કે, “ડોર બેલ વાગ્યા બાદ ઘરની વ્યક્તિ દરવાજો ખોલે છે. મારા ઘરમાં કામ કરતી મહિલાએ દરવાજો ખોલ્યો." "પરંતુ એવી અફવા ફેલાઈ હતી કે શાહિદ કપૂરે દરવાજો ખોલ્યો હતો.""હું એક છોકરી છું. કોઈપણ છોકરી વિશે આવી વાત કરવી ખોટી છે. અહીં જે મહિલાઓ અને છોકરીઓ બેઠી છે. તેઓ મારી લાગણીઓ સમજી શકે છે."પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે, "જ્યારે કોઈ પુરાવા નથી અને મૂળભૂત રીતે આવું કંઈ થયું નથી, તો તમે તેના વિશે ખોટી માહિતી કેવી રીતે આપી શકો? હું પણ કોઈની દીકરી અને બહેન છું."પ્રિયકાએ આ બનાવનો સંપૂર્ણ ઘટનાક્રમે સંભળાવ્યો હતો.પ્રિયંકાએ કહ્યું, “હું મારા માતા-પિતા સાથે રહું છું. જ્યારે આવકવેરા અધિકારીઓ મારા ઘરે આવ્યા ત્યારે મારી માતા ઘરે ન હતી."તે મારા દાદાના જન્મદિવસ માટે ઝારખંડ ગઈ હતી. મારા પિતાને સવારે ઓફિસે જવાનું હોય છે, તેથી તેઓ બીજા ઘરે હતા."તેણે કહ્યું હતું કે, શાહિદ કપૂર મારા ઘરથી માત્ર 3 મિનિટ દૂર રહે છે.જો મેં બીજા કોઈને ફોન કર્યો હોત તો તેમને આવતાં 20-25 મિનિટ લાગી હોત."તેથી મેં શાહિદને ફોન કર્યો. અને અધિકારીઓએ પણ તેને ઘરમાં રહેવાની મંજૂરી આપી. મેં ક્યારેય આ વાતનો ઇનકાર કર્યો નથી," પ્રિયંકાએ આગળ કહ્યું.આ દરમિયાન પ્રિયંકાએ 2018માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે અને તેમને માલતી નામની એક દિકરી પણ છે.(તમામ તસવીરોઃ લોકસત્તા ગ્રાફિક્સ ટીમ, પ્રિયંકા ચોપરા/ઈન્સ્ટાગ્રામ)