/indian-express-gujarati/media/media_files/2026/02/09/interesting-facts-of-indian-currency-notes-2026-02-09-18-25-40.jpg)
Mahatma Gandhi Photo On Indian Currency Notes : ભારતની ચલણી નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો હોય છે. Photograph: (IE Gujarati)
/indian-express-gujarati/media/media_files/2026/02/09/500-rupee-notes-2026-02-09-18-15-22.jpg)
ભારતની ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો
મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા છે. ભારતની ચલણી નોટ પર મહાત્મા ગાંધીનું ચિત્ર હોય છે. જો કે શું તમે જાણો છો મહાત્મા ગાંધી પહેલા ભારતની ચલણી નોટો પર કોનો ફોટો છપાતો હતો? ચાલો આપણે ભારતની ચલણી નોટો વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ
/indian-express-gujarati/media/media_files/2026/02/09/100-rupee-and-500-rupee-notes-2026-02-09-18-16-35.jpg)
ભારતની ચલણી નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો ક્યારે છપાયો?
મહાત્મા ગાંધીનો ચહેરો સૌપ્રથમ વર્ષ 1969માં તેની જન્મ શતાબ્દી નિમિત્તે ભારતીય ચલણ પર છપાયો હતો. આ ફોટામાં તેમને બેઠેલા દર્શાવવામાં આવ્યા છે, અને પૃષ્ઠભૂમિમાં તેમના સેવાગ્રામ આશ્રમનું ચિત્ર હતું.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/mahatma-gandhi-photo-2026-02-09-18-18-03.jpg)
RBI એ મહાત્મા ગાંધીના ફોટા વાળી નોટ છાપી
ત્યાર બાદ વર્ષ 1987માં, 500 રૂપિયાની નોટ ફરીથી જારી કરવામાં આવી, જેમાં મહાત્મા ગાંધીનો ફોટો હતી. ત્યાર પછી 1996માં, ભારતીય રિઝર્વ બેંકે મહાત્મા ગાંધી સિરિઝ શરૂ કરી હતી, ત્યારબાદથી તમામ ભારતીય ચલણી નોટો પર તેમનો ચહેરો છાપવામાં આવે છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/king-george-v-2026-02-09-18-18-27.jpg)
આઝાદી પહેલા કોનો ફોટો છપાયો હતો?
આઝાદી પહેલા, ભારતીય ચલણી નોટોમાં રાજા જ્યોર્જ પંચમનો ફોટો હતો. આ નોટો બ્રિટિશ શાસન દરમિયાન જારી કરવામાં આવી હતી. આ નોટો ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવી હતી, અને ડિઝાઇન રંગબેરંગી અને ઉપસેલી હતી. થોડા સમય માટે, રાજા જ્યોર્જ છઠ્ઠા દર્શાવતી નોટો પણ ચલણમાં હતી.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-currency-history-2026-02-09-18-19-01.jpg)
આઝાદી બાદ શું સ્થિતિ હતી?
આઝાદી બાદ ભારત સરકારે ચલણી નોટો માંથી બ્રિટિશ રાજાના ફોટા દૂર કરવાનો નિર્ણય લીધો. સ્વતંત્રતા પછી શરૂઆતમાં ભારતીય ચલણી નોટો પર કોઈ વ્યક્તિનો ફોટો છાપવામાં આવ્યો ન હતો.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-currency-notes-history-2026-02-09-18-19-38.jpg)
ભારતની ચલણી નોટો પર વિવિધ પ્રતિકો
ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે ભારતની નવી નોટો પર અશોક સ્તંભ, કૃષિ, વિકાસ અને ભારતીય સંસ્કૃતિ દર્શાવતા ફોટા છાપ્યા હતા. આ ટ્રેન્ડ ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યું.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-notes-history-2026-02-09-18-20-16.jpg)
RBI એ નવી નોટ રજૂ કરી
વર્ષ 1996માં RBI એ એક નવું ચલણ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મહાત્મા ગાંધીનો ચહેરો ભારતની ચલણી નોટો પર છાપવાનું શરૂ થયું.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-currency-notes-and-coins-2026-02-09-18-23-17.jpg)
ભારતની ચલણી નોટો પર માત્ર મહાત્મા ગાંધીનો ફોટો જ કેમ છપાય છે?
હકીકતમાં મહાત્મા ગાંધી ભારતની સ્વતંત્રતાની લડતમાં સૌથી અગ્રણી હતા. તેમને સત્ય, અહિંસા અને શાંતિના પ્રતીક તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તેમની ખ્યાતી દેશ વિદેશમાં ફેલાયેલી છે.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-currency-notes-mahatma-gandhi-photo-facts-2026-02-09-18-14-01.jpg)
મહાત્મા ગાંધીનો ફોટો સૌપ્રથમ કઇ નોટ પર છપાયો?
શરૂઆતમાં, મહાત્મા ગાંધીના ફોટા 10 રૂપિયા અને 500 રૂપિયાની ચલણી નોટો પર છાપવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે, તેમના ફોટ વિવિધ મૂલ્યોની ચલણી નોટો પર પણ છાપાવા લાગ્યા.
/indian-express-gujarati/media/media_files/2026/02/09/indian-currency-notes-mahatma-gandhi-photo-facts-2026-02-09-18-25-59.jpg)
મહાત્મા ગાંધીનો ફોટો કોણે પાડ્યો હતો?
ભારતની ચલણી નોટો પર સામાન્ય રીતે મહાત્મા ગાંધીનો એક જ ફોટો દેખાય છે. તે કોઇ પેઇન્ટિંગ કે સ્કેચ નહીં પણ અસલી ફોટો છે, જેના કટઆઉટને નોટ પર છાપવામાં આવે છે. મહાત્મા ગાંધીનો આ ફોટો વર્ષ 1946માં અમેરિકાના ફોટોગ્રાફર માર્ગરેટ બોર્ક વ્હાઇટ (Margaret Bourke White) એ પાડ્યો હતો, તેઓ લાઇફ મેગેઝીનના ફોટોગ્રાફર હતા. આ ફોટો કલકત્તાના વાયસરોય હાઉસમાં પાડવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us