આ સ્પેસક્રાફ્ટને સૂર્યની સૌથી બહારની પરતથી ઓબ્ઝર્વેશન માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ સૌર્ય વાયુમંડળ એટલે કે ક્રોમોસ્ફેયર અને કોરોનાની ગતિશીલતાનું અધ્યયન કરવાનું છે. આ માટે સૂર્યના રહસ્યોથી પડદો ઉઠાવાશે.
સૂરજની સપાટીથી થોડા ઉપર એટલે કો ફોટોસ્પેયરનું તાપમાન લગભગ 5500 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જ્યારે તેનું તાપમાન લગભગ 1.50 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. આવામાં સ્પસક્રાફ્ટનું ત્યાં જવું સંભવ નથી. આદિત્ય એલ 1 એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે જે સૂરજની ગરમી સહન કરી શકે છે.
આ સૂર્યયાનમાં સૂરજથી નીકળનારી ગરમ હવાઓની સ્થિતિનું આંકલન કરવા માટે પ્લાઝ્મા એનાલાઇઝર પૈકેજ ફોર આદિત્ય લગાવવામાં આવ્યો છે. એ હવાઓમાં હાજર ઇલેક્ટ્રોન્સ અને ભારે આયનના ડાયરેક્શન પર રિસર્ચ કરશે. આ સાથે સૂર્યમાંથી નીકળનાર પાર્ટિકલ્સના વજનનું આંકલન કરવું પણ તેના ઉપકરણનું કામ થશે.
આદિત્ય એલ 1 સૂર્યની સ્ટડી કરનાર પહેલું ભારતીય મિશન છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચંદ્રયાન 3ની જેમ આદિત્ય એલ1 પણ સફળ થશે. ભારતના પહેલા સૂર્ય મિશનને લઇને લોકોના ઉત્સાહને જોતા સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે.