Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Hill-Station-1.jpg)
ચોમાસાના વરસાદમાં ફરવા માટે અમદાવાદ નજીક ઘણા સ્થળો આવેલા છે. જો તમે વરસાદની મજા સાથે કુદરતી નજારો માણવાના શોખીન છે તો અહીં અમદાવાદ નજીક 4 પ્રવાસન સ્થળ વિશે જાણકારી આપવામાં આવી છે. અહીં તમને નદી, પાણી, જંગલ, પક્ષીઓનો કલરવ સાથે કુલ મળી કુદરતી સૌંદર્યનો અદભુત નજારો માણવા મળશે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/nal-sarovar.jpg)
નળ સરોવર અમદાવાદ થી એક કલાકના અંતરે આવેલું અદભૂત પ્રકૃતિ અને પક્ષી પ્રેમી માટે સ્વર્ગ સમાન છે. અમદાવાદથી લગભગ 65 કિમી દૂર આવેલું છે. નળ સરોવરનું પ્રાકૃતિક મહત્વ સમજી 2012માં રામસર વેટલેન્ડનો દરજ્જો આપવામાં આવ્યો છે. નળ સરોવરમાં પ્રવાસીઓ બોટિંગની મજા સાથે પક્ષી દર્શનનો નજારો માણી શકે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/nal-sarovar-bird-sanctuary-1.jpg)
નવ સરોવર પક્ષી અભયારણ્ય 120.82 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે, જે પક્ષીઓની 250 થી વધુ પ્રજાતિઓનું ઘર છે. અહીં પ્રવાસીઓ પેલિકન, ફ્લેમિંગો, એગ્રેટ્સ, બગલા, ક્રેન્સ અને ઘણા બધા પક્ષીઓ જોવાનો આનંદ માણી શકે છે.(Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/thol-lake.jpg)
થોર તળાવ પક્ષી અભયારણ્ય અમદાવાદ નજીક કુદરતી સૌંદર્યથી ભરપૂર એક અદભૂત સ્થળ છે. નળ સરોવર જેમ થોર તળાવ પક્ષી અભયારણ્ય પણ રાસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું છે. થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું મીઠા પાણીનું કૃત્રિમ તળાવ છે જેનું નિર્માણ 1912માં થયુ હતુ. 1988માં થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતુ. અહીં 150થી વધુ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે, ખાસ કરીને શિયાળામાં પ્રવાસી પક્ષીઓ જોવાનો લાહવો યાદગાર હોય છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/thol-lake-wildlife-sanctuary.jpg)
થોળ તળાવ અમદાવાદ થી માત્ર 28 કિમી દૂર આવેલું વન ડે પિકનિક સ્થળ છે. થોળ તળાવ ચોમાસામાં પાણીથી ભરાઇ જાય છે ત્યારે નજારો જોવા લાયક હોય છે. તળાવની ચારે બાજુ લીલાછમ વૃક્ષો, પક્ષીઓના કલરવ પ્રવાસીઓને અદભૂત અનુભવ કરાવે છે. અહીં નીલગાય (રોઝડાં), ઝરખ, વરૂ, શિયાળ અને કાળિયાર જોવા મળે છે. (Photo: Gujarat Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/sant-sarovar-dam.jpg)
જો તમને નદી કિનારે નાહવાનો અને ફરવાનો શોખ છે, તેમ ગાંધીનગરના ઈન્દ્રોડા ગામ નજીક આવેલા સંત સરોવર ડેમની મુલાકાત લઇ શકો છો. સાબરમતી નદી કિનારે બનેલો સંત સરોવર ડેમ ચોમાસાના વરસાદ બાદ સોળે કળા ખીલી ઉઠે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/sant-sarovar-dam-place.jpg)
સંત સરોવર ડેમ પર સાબરમતી નદી કિનારે નાહવા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કે પાણી વધારે હોય તો મુલાકાતીઓએ સાહસ કરવું નહીં. સંત સરોવર ડેમ ઉપરાંત ગાંધીનગર ઈન્દ્રોડા ઉદ્યાન પણ જોવા લાયક સ્થળ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/galteshwar-river.jpg)
ગળતેશ્વર નદી ગુજરાતના ખેડા જિલ્લામાં ડાકોર થી 12 કિમી દૂર આવેલું રમણીય સ્થળ છે. ગળેશ્વર મદી નદી અને ગળતી નદીનું ત્રિવેણી સંગમ છે. ગળતી નદી પરથી આ સ્થળનું નામ ગળતેશ્વર પડ્યું છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Galteshwar-Mahadev-temple.jpg)
ચોમાસાના વરસાદ બાદ ગળેશ્વર નદીમાં ભરપુર પાણી હોય છે. અહીં નદીમાં નાહવાની કંઇક અલગ જ મજા હોય છે. ગળેશ્વરમાં નદી કિનારે 12મી સદીનું પ્રાચિન શિવ મંદિર છે. આ મંદિરની સુંદર કોતરણી પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. (Photo – @SPKheda)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us