Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Diabetes-Patient.jpg)
ડાયાબિટીસ એક એવી સમસ્યા બની ગઈ છે જે ઝડપથી વધી રહી છે. એક વખત કોઈના શરીરમાં બ્લડ સુગર લેવલ વધી જાય પછી તેને કંટ્રોલ કરવું ખૂબ જ પડકારજનક બની જાય છે. ડાયાબિટીસના દર્દીમાં બ્લડ શુગર લેવલ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં લો-ગ્લાયકેમિક ઇન્ડેક્સ (જીઆઇ) ધરાવતા આહારને ઉમેરવાથી બ્લડ સુગર લેવલ સ્થિર રહે છે. કઠોળમાં ફાઇબર, પ્રોટીન અને જટિલ કાર્બ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ખાંડને ધીમે ધીમે મુક્ત કરે છે અને સુગર લેવલ કન્ટ્રોલમાં રાખે છે. આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાત ડો.સલીમ ઝૈદીએ જણાવ્યું હતું કે ખાંડને નિયંત્રિત કરવા માટે કયા કઠોળ ફાયદાકારક છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Blood-Sugar-Levels-Control.jpg)
ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે સૌથી અગત્યની બાબત એ છે કે નિયમિત આહાર પર ધ્યાન આપવું. જ્યારે આહાર યોગ્ય હોય, ત્યારે લોહીમાં સુગર લેવલ કન્ટ્રોલ રાખવું સરળ બની જાય છે. સામાન્ય રીતે સુગરના દર્દીઓ દ્વારા તમામ પ્રકારના કઠોળનું સેવન કરી શકાય છે, પરંતુ જો તેમની સરખામણી કરવામાં આવે તો કેટલાક કઠોળ એવા હોય છે જે ડાયાબિટીસ દર્દીઓ માટે વધુ સારા હોય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Chana-Dal.jpg)
ચણાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે, કારણ કે ચણાનો લો-ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જીઆઇ 28 છે, જેના કારણે તે ઝડપથી બ્લડ સુગર લેવલમાં વધારો નથી કરતું. તેમાં ફાઇબર અને પ્રોટીનની માત્રા વધુ હોય છે, જે પાચનક્રિયાને ધીમી પાડે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/masoor-dal.jpg)
ડાયાબિટીસ દર્દીઓ માટે મસુર દાળ ફાયદાકારક છે. દાળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે ધીમે ધીમે બ્લડ સુગર લેવલ વધારે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મેગ્નેશ્યિમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/moong-dal.jpg)
મગ દાળમાં ચરબી ઓછી અને વધુ પ્રોટીન હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સારું છે. તેના સેવનથી આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને પાચનમાં સુધારો થાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/toor-dal.jpg)
તુવેર દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને જટિલ કાર્બ્સ હોય છે, જે ધીમે ધીમે બ્લડ સુગરમાં વધારો કરે છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/urad-dal.jpg)
અડદ દાળમાં દ્રાવ્ય ફાઇબર અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં અને ચયાપચયને સુધારવામાં પણ મદદરૂપ છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us